2 ઓક્ટોબર 'ગાંધી જ્યંતિ', દેશ આઝાદીના 75 વર્ષે અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે, ત્યારે મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા અને તેમના અનુયાયીઓ દાદા અબ્દુલ્લા,ઈમામ સાહેબ અબ્દુલ કાદિર,મૌલાના મઝહરૂલ હક,શેખ ગુલાબ સાહેબ,પીર મુહમ્મદ અન્સારી મુનીશ,બતક મિયાં અન્સારી,મૌલાના મુહમ્મદ અલી, મૌલાના શૌકત અલી, આબદી બાનો બેગમ,અમજદી બાનો બેગમ, મુહમ્મદ ઉમર સોભાની, ખિલાફતવાલે હાજી ઉસ્માન શેઠ, ડો. મુખ્તાર એહમદ અન્સારી, ખાન અબ્દુલ ગફ્ફાર ખાન, ખાન અબ્દુલ સમદ ખાન, ફરિદુલ્લા જામા, જસ્ટિસ અબ્બાસ તૈયબજી, બેગમ અમીના તૈયબજી, બેગમ રેહાના અબ્બાસ તૈયબજી, બેગમ સકીના લુકમાની,બેગમ ખુર્શીદ ખ્વાજા, બીબી અમુતુસ્સલામ,બેગમ ઝોહરા અન્સારી, મૌલાના હસરત મોહાની, મૌલાના અબુલ કલામ આઝાદ, મુહમ્મદ ગુલામ મોહીદ્દીન આઝાદીના લડવૈયાઓનું કોઈ કાર્યક્રમ કે મહોત્સવમાં નામ સંભળાય કે છબી દેખાય છે કે કેમ..! આપ સહું સમક્ષ સૈયદ નસીર અહમદ લિખિત નાની પુસ્તિકા 'મહાત્મા ગાંધી મુસ્લિમ એસોસિએટ્સ - ફોલોવર્સ' નું અનુવાદ ગુજરાતીમાં મૂકતાં આનંદ અનુભવી રહ્યો છું. મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વમાં મહાત્મા ગાંધી તરીકે જાણીતા થયા, જેમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળની ગ...