Skip to main content

Posts

Showing posts from October, 2021

‘ખિલાફતવાલે’ હાજી ઉસ્માન શેઠ (૧૮૮૭-૧૯૩૨)

હાજી ઉસ્માન શેઠ, જે તેમની ઉદારતા માટે જાણીતા હતા અને ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કેશ બેગ’ તરીકે પ્રશંસા મેળવેલ તેમનો જન્મ 1887 માં કર્ણાટક રાજ્યની હાલની રાજધાની બેંગ્લુરુમાં થયો હતો. તેમના પૂર્વજો ગુજરાત રાજ્યના કચ્છ પ્રદેશના હતા અને બેંગ્લોર સ્થાયી થયા હતા. વેપારીઓના શ્રીમંત કુટુંબમાં જન્મેલા, ઉસ્માન તેમના પિતાની સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભાગ લેતા હતા, જે તેઓ સારી વ્યવસાયિક કુશળતાથી કરતા. તેઓએ બેંગ્લુરુ શહેરના મધ્યમાં ‘કેશ બઝાર’ નામના એક શોપિંગ સંકુલની સ્થાપના કરી. જ્યારે તેમને ખિલાફત આંદોલન વિશે જાણ થઈ કે તરત તે 1919 માં તેમાં જોડાયા. જ્યારે તે ‘અલી બ્રધર્સ’ અને મહાત્મા ગાંધી સાથે સંપર્કમાં આવ્યા, ત્યારે તેમણે તેમાં ખૂબ જ સક્રિયતાથી ભાગ લીધો. તેઓ ટૂંક સમયમાં ‘ખિલાફતવાલે’ ઉસ્માન કહેવાયા. તેમણે ગાંધીજીની સલાહથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સભ્યપદ લીધું અને તેમના પ્રખર અનુયાયી બન્યા. હાજી ઉસ્માન શેઠે સ્વદેશી આંદોલનના ભાગ રૂપે લાખો રૂપિયાની કિંમતના પોતાના ‘કેશ બજાર’ સ્ટોર્સમાં તમામ વિદેશી ચીજોની જાહેરમાં હોળી કરી હતી. બ્રિટિશ સરકાર આ વર્તન પર ખીજાઈ અને તેમના વ્યવસાય પર પ...

સર મિયાં મુહમ્મદ શફી (1869-1932)

સર મિયાં મુહમ્મદ શફી, જેમનું માનવું હતું કે રાજકીય સત્તામાં ભાગીદારી વિનાનો સમુદાય સારી રીતે પ્રગતિ કરી શકતો નથી અને તેમણે તે દિશામાં પોતાનો કાર્યક્રમ ઘડ્યો, તેમનો જન્મ 1869 માં લાહોરમાં 'બાગબાન-પુરા' કુટુંબમાં થયો હતો. તે . ઉચ્ચ અભ્યાસ માટે 1889 માં ઇંગ્લેન્ડ ગયા. તેમણે નાનપણથી જ જાહેર સેવાકીય પ્રવૃત્તિઓમાં રસ દાખવ્યો હતો. જ્યારે તે ઇંગ્લેંડમાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમણે ‘અંજુમન-એ-ઇસ્લામીયા’ માં સભ્યપદ લીધું અને બાદમાં તેના પ્રમુખ બન્યા. કાયદાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી, તે ભારત પાછા ફર્યા. મિયાં મુહમ્મદ શફીનું માનવું હતું કે રાજકીય સશક્તિકરણમાં પોતાનો યોગ્ય હિસ્સો ન ધરાવતા સમુદાયનો વિકાસ થઈ શકતો નથી. તેમણે 1906માં સિમલા પ્રતિનિધિ મંડળમાં ભાગ લીધો. ભારતમાં મુસ્લિમ સમુદાયના પછાતપણાનું અવલોકન કરતાં, તેમણે રાજકીય, વિશિષ્ટ અને શૈક્ષણિક ક્ષેત્રે મુસ્લિમોને માર્ગદર્શન આપવા અને વિકસાવવા માટે ‘મુસ્લિમ એસોસિએશન’ શરૂ કર્યું. મુસ્લિમો માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરતી વખતે, મિયાં મુહમ્મદ શફીએ 6 ડિસેમ્બર, 1906 ના રોજ નવાબ સર ખ્વાજા સલીમુલ્લાહના આમંત્રણ પર ઢાકામાં ‘ઓલ ઈન્ડિયા મુ...

સૈયદ અલી ઇમામ (1869-1932)

સૈયદ અલી ઇમામ, જેમણે જાહેર કર્યું હતું કે રાષ્ટ્રની સંપત્તિમાં સમુદાયનો હિસ્સો તે દેશની આઝાદી માટે અપાતા ત્યાગ-બલિદાનના હિસ્સાના પ્રમાણમાં હોવું જોઈએ, તેમનો જન્મ 11 ફેબ્રુઆરી, 1869 ના રોજ બિહારના નેઓરા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સૈયદ ઇમદાદ ઇમામ હતું. તે સ્વાતંત્ર્ય સેનાની સૈયદ હસન ઇમામના મોટા ભાઈ હતા. સૈયદ અલી ઇમામ 1887 માં લંડન કાયદાના અભ્યાસ માટે ગયા હતા અને 1890 માં ભારત પાછા ફર્યા હતા. તે ટૂંકા ગાળામાં જ એક પ્રખ્યાત વકીલ બન્યા હતા. તેમની વ્યસ્ત કાનૂની પ્રેક્ટીસ હોવા છતાં, તેઓ લોક કલ્યાણ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેતા હતા, જેના કારણે લોકોમાં લોકપ્રિય હતા અને બિહાર ડિસ્ટ્રિક્ટ બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા હતા. 1909 માં તેઓ બંગાળ વિધાન પરિષદમાં સત્તાવાર સભ્ય તરીકે નિયુક્ત થયા. તેમણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની રચના કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને 1908 માં અમૃતસરમાં લીગની સંમેલનની અધ્યક્ષતા કરી હતી. સંમેલનને સંબોધન કરતાં તેમણે કહ્યું: 'પ્રથમ ક્રમના ભારતીય તરીકે સંબોધન કરવું મારા માટે ખુશીની વાત છે.’ અલી ઇમામની 1917 માં પટના હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરવામાં આ...

અબ્દુલ કાદિર બવાઝિર (-1931)

બ્રિટિશ વસાહતી શાસનના ચૂંગલમાંથી માતૃભૂમિની મુક્તિ માટે સંઘર્ષનો માર્ગ પસંદ કરી વૈભવી અને ભૌતિક જીવન છોડનારા અબ્દુલ કાદિર બવાઝીરનો જન્મ ગુજરાતના શ્રીમંત વ્યવસાયી પરિવારમાં થયો હતો. નાનપણથી જ વ્યવસાયિક કુશળતા પ્રાપ્ત કર્યા પછી, તે દક્ષિણ આફ્રિકામાં અરબી ઘોડાઓ અને ઘોડાગાડીઓનો વેપાર કરવા ગયા. તે શ્રીમંત વેપારી તરીકે ટ્રાંસવાલમાં વ્યવસ્થિત રીતે સ્થાયી થયા. જોહનિસબર્ગ મસ્જિદમાં તેમણે ઇમામત કરી,આમ તેમને આદરપૂર્વક ‘ઇમામ સાહેબ’ તરીકે પણ ઓળખવામાં આવતા. તેઓ 1903 માં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા. સ્વતંત્ર વિચારોના માણસ હોવાથી, અબ્દુલ કાદિરે જલ્દીથી ગાંઘીજી સાથે આત્મીયતા વિકસાવી અને 1904 માં ગાંધીજીના ફિનિક્સ સેટલમેન્ટમાં તેમની સાથે જોડાયા. તેમણે ગાંધીજી સાથે ફિનિક્સ સેટલમેન્ટમાં 'ફકીર' જીવન જીવવા માટે વૈભવી જીવન અને પોતાનો ઘોડાઓનો વેપાર છોડી દીધો. તે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ ભારતીયો દ્વારા કરવામાં આવેલા તમામ આંદોલનોની સુરક્ષામાં રહ્યા હતા. 1907 માં તેમણે પ્રતિષ્ઠિત ‘હમીદિયા ઇસ્લામિક સોસાયટી’ ના પ્રમુખ તરીકે લોકોની સેવા કરી. 1908 માં તેમને કેદ કરવામાં આવ્યા...

મૌલાના મુહંમ્મદઅલી જૌહર (1878-1931)

ખિલાફત-અસહકાર આંદોલનનું નેતૃત્વ કરનાર મૌલાના મુહમ્મદઅલી જોહરનો જન્મ 10 ડિસેમ્બર, 1878 ના રોજ થયો હતો. અબ્દુલઅલી અને અબદી બાનો બેગમ તેમના માતાપિતા હતા. મોહમ્મદ અલીએ બી.એ. ડિગ્રી, અલીગઢ અને બી.એ. (ઓનર્સ ) ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ભારત પાછા ફર્યા પછી, તેમણે ઘણી મહત્વપૂર્ણ નોકરીઓ કરી. અંતે તે એક પત્રકાર તરીકે સ્થાયી થયા. 1906 માં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગનો પાયો નાંખવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે જણાવ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમો જયારે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં સાથે કામ કરશે ત્યારે જ આપણે આપણા લક્ષ્યો પ્રાપ્ત કરી શકીશું. અંગ્રેજો સામે લોકોમાં રાજકીય ચેતના લાવવા તેમણે 1911 માં અંગ્રેજી દૈનિક અખબાર ‘ધી કોમરેડ’ અને 1913 માં એક ઉર્દૂ દૈનિક ‘હમદર્દ’ શરૂ કર્યું. બંને દૈનિકોએ કટ્ટર બ્રિટીશ વિરોધી વલણ અપનાવતાં બ્રિટિશ સરકાર દ્વારા તે બંને પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મૌલાનાઅલી અને તેમના ભાઈ મૌલાના શૌકત અલીને 1915 માં ચિંદનવાડા ગામે નજરકેદ કરવામાં આવ્યા હતા. અલી ભાઈઓએ મહાત્મા ગાંધી સાથે ગાઢ સંબંધો જાળવી રાખ્યા અને ખિલાફત-અસહકાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી. મુહમ્મદ અલી ઇસ...

મૌલાના મઝહરુલ હક (1866-1930)

મૌલાના મઝહરુલ હક, સમાન હિતો મેળવવા માટે વ્યક્તિગત હિતોનું બલિદાન આપવામાં ભારપૂર્વક માનતા હતા, તેમનો જન્મ 22 ડિસેમ્બર, 1866 ના રોજ બિહારના પટના જિલ્લાના બરહામપુર ગામમાં થયો હતો. તેઓ કાયદાના અધ્યયન માટે 1888 માં ઇંગ્લેન્ડ ગયા, જ્યાં તેમની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઇ. તેમણે ઈંગ્લેન્ડમાં ‘અંજુમન-એ-ઇસ્લામીઆ’ શરૂ કર્યું, જે ત્યાંના ભારતીય વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સ્થાન બની ગયું. તેઓ 1891 માં ભારત પાછા ફર્યા અને જ્યુડીશ્યલ સેવાઓમાં જોડાયા, પરંતુ 1896 માં નોકરીમાંથી રાજીનામું આપ્યું અને છપરામાં એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી. મૌલાના મઝહરુલ હક સમાજ કલ્યાણ પ્રવૃત્તિઓમાં ખૂબ સક્રિય હતા અને લોકો સાથે ગાઢ સંબંધો જાળવતા, અનેક જાહેર પ્રતિનિધિ પદો પર તેઓ ચૂંટાયા.. તેઓ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સ્થાપક સચિવ હતા જેની શરૂઆત 1906 માં થઈ હતી. તેમણે તેને કોમવાદથી દૂર રાખવા માટે પ્રયત્નો કર્યા. તેઓ 1908 માં પટના સ્થળાંતર થયા અને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો અને લગભગ બે દાયકા સુધી બિહારના રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવી. તેમણે 1916 માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ વચ્ચે લખ...

સૈય્યદ અમીર અલી (1849-1928)

મુસ્લિમોમાં રાજકીય ચેતના જગાડવાની જરૂરિયાતને પ્રાધાન્ય આપનાર પ્રથમ મુસ્લિમ વિદ્વાન સૈયદ મીર અલીનો જન્મ 6 એપ્રિલ, 1849 ના રોજ ઓરિસ્સાના કટક ખાતે થયો હતો. તેમના પિતાનું નામ સાદત અલી ખાન, જે અરબી અને ફારસીના વિદ્વાન હતા. અમીર અલીએ આ ભાષાઓ ઇસ્લામિક સ્ક્રીપ્ચર્સ(ગ્રંથ) સાથે તેમના પિતા પાસેથી શીખી હતી. પાછળથી, તે ઇંગ્લેન્ડ ગયા, જ્યાં તેમણે સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિની મદદથી કાયદાનું અધ્યયન કર્યું. તેઓ 1873 માં ભારત પરત ફર્યા અને કલકત્તા ખાતે કાયદાની પ્રેક્ટીસ શરૂ કરી. તેમણે કેટલીયે સંસ્થાઓમાં સભ્યપદ લીધું અને તેમાં મુખ્ય પદ સંભાળ્યા. પ્રખ્યાત વકીલ બન્યા પછી, તેમણે મુસ્લિમોમાં રાજકીય ચેતના જગાડવા માટે ‘સેન્ટ્રલ નેશનલ મુહમ્મદન એસોસિએશન’ની સ્થાપના 1877 માં કરી. તેઓ 1878 માં બંગાળ વિધાન પરિષદ માટે તેમજ શાહી વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા. 1885 માં અલીની ‘સેન્ટ્રલ નેશનલ મુહમ્મદન એસોસિએશને’ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પાયામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેમણે કોંગ્રેસને હિન્દુઓ માટે પક્ષપાતી હોવાનો આક્ષેપ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી પીછેહઠ કરી. ત્યારથી, તેમણે તેમના ‘સેન્ટ્...

કાશ્મીરને બચાવનાર ભુલાઈ ગયેલ તારણહાર

  સમય છે મકબુલ શેરવાનીને યાદ કરવાનો , જેમણે આદિવાસી આક્રમણકારોથી હજારો લોકોને બચાવ્યા. કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં પશ્તુન આદિવાસીઓ લૂંટ ચલાવી રહ્યા હતા ત્યારે 22 ઓક્ટોબરનો તે ઠંડો દિવસ હતો .   મકબૂલ શેરવાની ડર્યા વિના હુમલાખોરોને મળ્યા અને તેમને આગળ ન વધવાની સૂચના આપી .   તેમણે એક જૂઠ બોલ્યું , જેણે કાશ્મીરને બચાવી લીધું . ઉત્તર કાશ્મીરનું બારામુલ્લા નગર એક એવા માણસની યાદનું ઘર છે જે વિભાજન પછી તરત જ પખ્તુન આદિવાસીઓ દ્વારા પ્રોક્સી સશસ્ત્ર હુમલા દ્વારા કાશ્મીર અને પાકિસ્તાન દ્વારા તેના જોડાણની વચ્ચે ઉભો હતો અને મહારાજા હરિ સિંહે ભારતના રજવાડાના રાજ્યનો ભાગ બનાવવાના દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા તે પહેલાં .. વિશ્વના કોઈપણ દેશની યુવા પેઢી તેના આવનાર ભવિષ્યનો પાયો હોય છે .   તે તેના સામાજિક માળખાની મજબૂત કડી હોય છે , તેની આશાઓ અને આકાંક્ષાઓનો સંદેશ હોય છે , તેમની   આત્મા હોય છે .   તે દેશના મુશ્કેલ સમયમાં એક સાચા માર્ગદર્શક હોય છે , જે તેના ઉત્સાહથી તેના તૂટેલા મનોબળને મજબૂત ઇચ્છાશક્તિથી ઊંચું કરે છે .   આવા યુવાનો ધરાવતો દેશ પોતાને સાર્થક અનુભવતો હ...