Skip to main content

Posts

Showing posts from February, 2022

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

કુલસુમ સયાની (1900-1987)

ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેતી વખતે સામાજિક દુષણો સામે લડનાર કુલસુમ સયાનીનો જન્મ 21 ઓક્ટોબર, 1900ના રોજ ગુજરાતમાં થયો હતો. તેણી તેના પિતા સાથે 1917 માં મહાત્મા ગાંધીને મળી હતી. ત્યારથી તે ગાંધીજીના બતાવેલા માર્ગ પર ચાલ્યા. તેણી ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન સામાજિક સુધારણા માટે લડ્યા અને ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણીએ વિખ્યાત સ્વાતંત્ર્ય સેનાની ડો. જાન મુહમ્મદ સયાની સાથે લગ્ન કર્યા. તેણીને તેના પતિનો ટેકો મળ્યો, તેણીએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામની વિવિધ પ્રવૃત્તિઓમાં ખૂબ જ સક્રિય ભાગ લીધો. તેણીએ નિરક્ષરોને ભણાવવાનું શરૂ કર્યું અને ચરખા વર્ગમાં સભ્યપદ મેળવ્યું. તેણીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ‘જન જાગરણ’ કાર્યક્રમોમાં પણ સામાજિક દુષણો પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સયાનીની પ્રવૃત્તિઓ મુંબઈ શહેર અને ઉપનગરોને આવરી લેતી હતી. મુસ્લિમ લીગના નેતાઓ તેમની પ્રવૃત્તિઓને પચાવી શક્યા નહીં. તેઓએ વિચાર્યું કે તે ગરીબોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફ આકર્ષિત કરી રહી છે અને તેના પ્રયાસોનો સામનો કરવા માટે સમાંતર કાર્યક્રમો યોજવાનું નક્કી કર્યું. આ પ્રકારના પ્રતિકૂળ વાતાવ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મહેબૂબ (-1985)

મુનશી સૈયદ મહેબૂબ, જેમણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગને મદ્રાસ સિટી લીગના નેતાઓના વર્ચસ્વથી દૂર આંધ્રના ગામડાઓમાં લઈ ગયા, તેમનો જન્મ આંધ્ર પ્રદેશના ગુંટુર જિલ્લાના તેનાલી તાલુકાના યેદલાપલ્લી ગામમાં થયો હતો. સૈયદ મહેબૂબ મુન્શી સૈયદ મહેબૂબ બન્યા કારણ કે તેમણે 'અદીબ-એ-ફાઝિલ' પૂર્ણ કર્યું. તેમનામાં નાની ઉંમરથી જ રાષ્ટ્રવાદી વિચારો વિકસ્યા હોવાથી, તેમણે રાષ્ટ્રીય ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. તેમણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગમાં સભ્યપદ મેળવ્યું અને 1945માં તેનાલીમાં રાજ્યમાં લીગની સ્થાપના કરી. તેમણે સામાન્ય કાર્યકરો વતી મદ્રાસમાં લીગના નેતાઓના આધિપત્ય સામે લડત આપી હતી. તેમણે મુસ્લિમ લીગની પ્રથમ બેઠક, ગુંટુર જિલ્લા શાખાની પ્રથમ બેઠક તેનાલી ખાતે યોજી. તેમાં રાષ્ટ્રવાદી નેતા અને પ્રખ્યાત કવિ ડો. ઉમર અલી શાહ અને કેટલાક અન્ય લોકો સહિત મુસ્લિમ લીગના ટોચના નેતાઓએ હાજરી આપી હતી. તેમણે આંધ્રમાં મુસ્લિમ લીગના સંગઠન માટે સખત મહેનત કરી અને તેનાલી અને તેની આસપાસ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને અભ્યાસ વર્ગો ચલાવીને મુસ્લિમ લીગનો વિકાસ કર્યો. તેમણે અલગતાવાદી વિચારોનો વિરોધ કર્યો જે પાછળથી લીગમાં ઉભો થયો. તેમણે મ...

મૌલાના આઝાદ: જેમના મૃત્યુ પર આખું ભારત રડ્યું!

  જો મૌલાના માત્ર રાજકારણી હોત, તો તેમણે પરિસ્થિતિ સાથે સમાધાન કર્યું હોત; પણ તે જીંદાદિલ અને લાગણીના માલિક હતા, તે ગુલામ દેશમાં ઉછર્યા પણ આઝાદી માટે આયખું વિતાવ્યું, તેમના મનમાં જે નકશો હિંદુસ્તાનનો હતો તેનાથી અલગ નકશો તે સ્વીકારી શક્યા નહીં! તેમના અંગત અને પ્રિયજનોએ જે ઘા માર્યા તે સહન કરવું સહેલું ન હતું. 19 ફેબ્રુઆરી 1958ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયોએ ખબર આપી કે મૌલાના બીમાર પડી ગયા છે, તેમના પર લકવાની અસર થઈ હતી, ડૉક્ટરોની કતાર હતી, પંડિત નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ મૌલાનાના ઘરે આવ્યા હતા, ડૉક્ટરોએ કહ્યું કે 48 કલાક પછી જ કંઈક કહી શકાશે. 21 ફેબ્રુઆરીએ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો, પંડિત નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ અને સમગ્ર મંત્રીમંડળ મૌલાનાના ઘરે હાજર હતા, દરેકના ચહેરા ગમગીન હતા! જ્યારે સાંજ પડી ત્યારે આશા તૂટી ગઈ, મૌલાના હફીઝ ઉર રહેમાન સેહરાવી, મૌલાના અતીક ઉર રહેમાન, મૌલાના અલી મિયાં અને દિગર ઉલામાઓએ કુરાનનો પાઠ કરવાનું શરૂ કર્યું, 22મી ફેબ્રુઆરીના રોજ સવારે 10.15 કલાકે મૌલાનાની રુહ પરવાઝ કરી ગઈ. મૌલાનાના મૃત્યુની ઘોષણા થતાં જ ચીસો પડી ગઈ, જેમ જેમ દિવસ આગળ વધતો ગયો, લગભગ બે લાખની ભીડ મૌલા...

મૌલાના આઝાદ અને ચાની ચુસ્કીઓ

આજે મૌલાના અબુલ કલામ આઝાદ (1888-1958)ની પુણ્યતિથિ છે. સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના આઝાદના જન્મદિવસ (11 નવેમ્બર)ને 'રાષ્ટ્રીય શિક્ષણ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. મૌલાના આઝાદ, જેઓ જમાલુદ્દીન અફઘાની અને શિબલી નોમાનીથી ખૂબ પ્રભાવિત હતા, તેઓ હિંદુ-મુસ્લિમ એકતા, સર્વધર્મ સમભાવ અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવાદના હિમાયતી હતા. તેમણે અલ હિલાલ (1912) અને અલ બલગ (1915) જેવા સંપાદન પેપરો સાથે "ઇન્ડિયા વિન્સ ફ્રીડમ" અને "તરજુમાન અલ-કુરાન" જેવા કુરાન પર મહત્વપૂર્ણ પુસ્તકો પણ લખ્યા. મૌલાના આઝાદ ચા ના રસિક હતા. તેમની આ રસિકતા તેમના પત્રો પરથી સ્પષ્ટ થાય છે, જે તેમણે 1942 માં ભારત છોડો ચળવળ દરમિયાન તેમની ધરપકડ પછી જેલમાંથી લખ્યા હતા. તેમણે આ પત્રો અહમદનગર જેલમાંથી તેમના મિત્ર નવાબ સદર યાર જંગને લખ્યા હતા. 1946માં આ પત્રો 'ગુબાર-એ-ખાતિર' પુસ્તકના રૂપમાં પ્રકાશિત થયા હતા. ઓગસ્ટ 1942-સપ્ટેમ્બર 1943ના લગભગ એક વર્ષના સમયગાળામાં લખાયેલા, આ પત્રો આપણને રાષ્ટ્રવાદી નેતાના રોજિંદા જીવનથી પણ વાકેફ કરાવે છે. આ પત્રો ઘણીવાર વહેલી સવારે ચાની ચુસ્કીઓ લેતી વખતે લખાતા, તેથ...

બીબી અમાતુસ સલામ (1907-1985)

બીબી અમાતુસ સલામ, જેઓ દ્રઢપણે માનતા હતા કે અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્રતા ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા જ મેળવી શકાય છે, તેણીનો જન્મ 1907માં પંજાબના પટિયાલામાં રાજપૂતાના પરિવારમાં થયો હતો. તેમના પિતા કર્નલ અબ્દુલ હમીદ અને માતા અમાતુર રહેમાન હતા. અમાતુસ સલામ છ મોટા ભાઈઓની નાની બહેન હતી. બાળપણથી જ તેણીની તબિયત નાજુક રેહતી. તેણી તેના મોટા ભાઈ સ્વતંત્રતા સેનાની મુહમ્મદ અબ્દુર રશીદ ખાનથી પ્રેરિત હતી. તેણીના ભાઈના પગલે ચાલીને તેણીએ દેશના લોકોની સેવા કરવાનું નક્કી કર્યું. અમાતુસ સલામે ખાદી ચળવળમાં ભાગ લીધો અને ભાઈ સાથે ભારતીય રાષ્ટ્રીય ચળવળની બેઠકોમાં હાજરી આપી. તેણી મહાત્મા ગાંધી અને સેવાગ્રામ આશ્રમના અહિંસાના સિદ્ધાંત તરફ આકર્ષાઈ હતી. તેણીએ સેવાગ્રામ આશ્રમમાં જોડાવાનું નક્કી કર્યું, અને 1931 માં ત્યાં ગઈ. તેણી આશ્રમમાં જોડાઈ અને આશ્રમના કડક સિદ્ધાંતોનું પાલન કર્યું. નિઃસ્વાર્થ સેવાથી તેણી ગાંધી દંપતીની ખૂબ નજીક બની ગઈ. તેઓ અમાતુસ સલામને પોતાની વહાલી દીકરી માનતા. ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન, 1932માં ગાંધીજીની પરવાનગીથી માંદગી હોવા છતાં તેણી અન્ય મહિલાઓ સાથે જેલમાં ગઈ હતી. જેલમાંથી છૂટ્યા બા...

સૈયદ આબીદ હસન સફરાની (1911-1984)

ઇંડિયન નેશનલ આર્મી (આઝાદ હિંદ ફોજ) ના સૈનિક તરીકે અંગ્રેજો સામે લડનાર સૈયદ આબિદ હસન સફરાનીનો જન્મ 11 એપ્રિલ, 1911ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં થયો હતો. તેમના પિતા અમીર હસન અને માતા ફકરુલ હાજિયા બેગમ હતા. તેમનું મૂળ નામ ઝૈનુલ-અલ-આબિદિન હસન હતું. તેમની માતા ફરકરુલ હાજિયા સ્વતંત્ર સેનાની હતા. આબિદે તેમની માતાની ભાવના ચાલુ રાખી અને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેમણે સવિનય કાનૂન ભંગમાં ભાગ લેવા માટે તેમનું કૉલેજ શિક્ષણ છોડી દીધું અને 1931માં સાબરમતી આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમણે થોડો સમય વિતાવ્યો. પાછળથી, તેમણે વિચાર્યું કે માત્ર સશસ્ત્ર સંઘર્ષ જ ભારતમાં સ્વતંત્રતા લાવી શકે છે. આમ, તેમણે ક્રાંતિકારીઓ સાથે કામ કર્યું. ક્રાંતિકારી સંગઠનના સભ્ય તરીકે તેમણે નાસિક જેલમાં રિફાઇનરીનો નાશ કરવાના પ્રયાસમાં ભાગ લીધો. આને કારણે તેમને એક વર્ષની જેલ થઈ. પરંતુ, ‘ગાંધી-ઈરવીન કરાર’ને કારણે સજા પૂરી થાય તે પહેલાં જ તેમને છોડી દેવામાં આવ્યા હતા. તેમણે લગભગ એક દાયકા સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. બાદમાં, તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા જર્મની ગયા, જ્યાં તેઓ ઇંડિયન નેશનલ આર્...

ફરિદુલ ઝમા (1907-1983)

આજીવન મહાત્મા ગાંધીના માર્ગે ચાલનાર અને “વિશાખા ગાંધી” તરીકે ઓળખાતા ફરિદુલ ઝમાનો જન્મ 1907માં આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં થયો હતો. તેઓ બાળપણમાં વિશાખાપટ્ટનમના ખીલા બજારમાં રહેતા હતા. તેઓ બાળપણથી જ ભારતીય સ્વતંત્રતા ચળવળ તરફ આકર્ષાયા હતા અને તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યક્રમોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. તે પછી, તેમણે મહાત્મા ગાંધીના માર્ગને અનુસરવાનું શરૂ કર્યું. તેઓ માનતા કે અહિંસક પદ્ધતિઓનો ઉપયોગ કરીને જ અંગ્રેજોને હરાવી શકાય છે અને તેમણે સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો. ફરિદુલ ઝમાએ 1924માં મદ્રાસમાં "નીલ સત્યાગ્રહ"માં ભાગ લીધો હતો. આ આંદોલનમાં ભાગ લેવા તેઓ વિશાખાપટ્ટનમથી મદ્રાસ ગયા. તે ચળવળમાં તેમની સક્રિય ભાગીદારીને કારણે બ્રિટિશ સરકાર દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. તેમણે અસહકાર ચળવળ, વ્યક્તિગત સત્યાગ્રહ, મીઠા સત્યાગ્રહ, ભારત છોડો અને સમાન અન્ય ચળવળ જેવા ભારતીય સ્વતંત્રતા ચળવળના લગભગ તમામ આંદોલનાત્મક કાર્યક્રમોમાં ખૂબ જ સક્રિયપણે ભાગ લીધો હતો. ફરીદુલ ઝમાએ અંગ્રેજો સામે લડતા ક્રાંતિકારીઓ સાથે પણ સારા સંબંધો જાળવી રાખ્યા હતા, જોકે તેઓ મૂળભૂત રીતે અહિંસ...

મેજર જનરલ શાહ નવાઝ ખાન (1914-1983)

મેજર જનરલ શાહ નવાઝ ખાન, જેઓ ઇંડિયન નેશનલ આર્મી (આઝાદ હિંદ ફોજ) માંના એક જનરલ હતા, તેમનો જન્મ 24 જાન્યુઆરી, 1914 ના રોજ રાવલપિંડીમાં થયો હતો. તેમના પિતા ટિક્કા ખાન બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં ઉચ્ચ કક્ષાના અધિકારી હતા. પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, શાહ નવાઝે લશ્કરી તાલીમ મેળવી અને 1935માં બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા. બીજા વિશ્વ યુદ્ધ સમયે, તેઓ નેતાજી સુભાષ ચંદ્ર બોઝના આમંત્રણ પર ઇંડિયન નેશનલ આર્મીમાં જોડાયા, જેમણે તેમને મેજર જનરલ તરીકે નિયુક્ત કર્યા. તેમણે ઇન્ડિયન નેશનલ આર્મીની ટુકડીઓનું નેતૃત્વ કર્યું, જેણે 1944માં ભારતીય સરહદો પાસે બ્રિટિશ સૈનિકોને હરાવ્યા હતા. આ વિજયનો જબરજસ્ત આનંદ લાંબો સમય ટકી શક્યો નહીં કારણ કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે જાપાને ઇંડિયન નેશનલ આર્મીને તેના પોતાના ભાગ્ય પર છોડી દીધી હતી. તે જટિલ પરિસ્થિતિ દરમિયાન મેજર જનરલ શાહ નવાઝે 1945માં બ્રિટિશ દળો સામે પોતાના સૈનિકોનું નેતૃત્વ કર્યું હતું. તે યુદ્ધમાં ઇંડિયન નેશનલ આર્મીને ભારે નુકસાન થયું હતું. તેના મોટાભાગના સૈનિકોએ જીવ ગુમાવ્યો અને શાહ નવાઝ સહિત બાકીના સૈનિકોને 13 મે, 1945 ના રોજ અટકાયતમાં લેવામાં આવ્યા ...

અનિસ બેગમ કિદવઈ (1906-1982)

ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રતિબદ્ધતા સાથે ભાગ લેનાર અનિસ બેગમ કિદવઈનો જન્મ 1906માં ઉત્તર પ્રદેશના બારાબંકીમાં થયો હતો.તેમના પિતાનું નામ શેખ વિલાયતઅલી હતું.અનીસ બેગમના લગ્ન શફી અહેમદ કિદવઈ સાથે થયા હતા. તેમના પિતા વિલાયત અલી અને તેમના પતિ બંને સ્વતંત્રતા સેનાની હતા. તેમના પતિ અને દેવર રફી અહમદ કિદવઈ પણ ભારતીય રાષ્ટ્રીય ચળવળના નેતા હતા. તેમણે બધાએ ખિલાફત ચળવળમાં ખૂબ જ સક્રિયપણે ભાગ લીધો હતો. પરિણામે, અનિસ કિદવઈ પરિવારને બ્રિટિશ પોલીસના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. પરિવારના કમાઉ સભ્યોએ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે તેમની નોકરીઓ છોડી દીધી હોવાથી, તેમના પરિવારને પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, ન તો પોલીસ, ન તો નાણાકીય મુશ્કેલીઓ તેઓની પ્રતિબદ્ધતાને ઘટાડી શકી હતી. અનિસ બેગમ કિદવઈએ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં છેક સુધી ભાગ લીધો હતો. 1947માં ભારતે આઝાદી મેળવી હોવા છતાં દેશના વિભાજનથી તેણીને ખુબ દુઃખ થયું હતું. એ વખતે, તેમના પતિ શફી અહમદ કિદવઈ, જેમણે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સંવાદિતા માટે કામ કર્યું હતું અને રાષ્ટ્રના વિભાજનનો વિરોધ કર્યો હતો, તેમની સાંપ્રદાયિક શક્તિઓ ...

શબ્બીર હસન ખાન મલિહાબાદી (1894-1982)

શબ્બીર હસન ખાન મલિહાબાદી, જેમણે પોતાની સાહિત્યિક કુશળતાથી બ્રિટિશ શાસકો પર હુમલો કરીને ક્રાંતિકારી કવિ તરીકે ખ્યાતિ મેળવી હતી, તેમનો જન્મ 5 ડિસેમ્બર, 1894ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌ જિલ્લાના મલિહાબાદમાં થયો હતો. તેમણે આગ્રા અને શાંતિ નિકેતનમાં શિક્ષણ મેળવ્યું. પરંતુ 1914 માં તેમના પિતાના આકસ્મિક અવસાનને કારણે તેમણે તેમનો અભ્યાસ બંધ કરવો પડ્યો. તેમણે સ્વ-અભ્યાસ દ્વારા અરબી, ફારસી, ઉર્દૂ અને અંગ્રેજી શીખ્યા. તેમને તેમના દાદા અને પિતા બશીર અહેમદ ખાનની કાવ્યાત્મક પ્રતિભા વારસામાં મળી હતી. તેમણે પ્રખ્યાત કવિ વહિદુદ્દીન સલીમ પાણીપતિના માર્ગદર્શન હેઠળ કવિતા લખવાનું શરૂ કર્યું. હસનની કવિતાઓ ભાવનાત્મક અને હૃદય સ્પર્શી હતી. તેમનું મૂળ ગામ મલિહાબાદ હોવાથી એક કવિ તરીકે તેઓ ‘શબ્બીર હસન ખાન જોશ મલિહાબાદી’ તરીકે પ્રખ્યાત થયા. તેમનો પહેલો કાવ્યસંગ્રહ 'રુહ-એ-આદાબ' 1920માં બહાર પડયો હતો. તેમણે 1924-34 દરમિયાન નિઝામ રાજ્યના અનુવાદ વિભાગમાં કામ કર્યું હતું. પરંતુ તેમણે અંગ્રેજ શાસકો સાથે નિઝામ નવાબની મિત્રતાનો વિરોધ કર્યો અને નોકરી છોડી દીધી. તેમણે 1935 માં એક ઉર્દૂ સાહિત્યિક સામયિક ‘કલીમ’ શરૂ કર્ય...

અબ્દુલ લતીફ ફારુકી (1893-1982)

અબ્દુલ લતીફ ફારૂકી, જેમણે લોકોની મુક્ત થવાની લોકોની વધુ તીવ્ર બનાવવા, બ્રિટિશ વિરોધી સંઘર્ષને પ્રસિદ્ધિ આપવા અને ભારતીય રાષ્ટ્રીય ચળવળના કાર્યકરોને સક્રિય ટેકો આપવાના હેતુથી કાર્ય યોજના સાથે આગળ વધ્યા, તેમનો જન્મ 1893માં તમિલનાડુ રાજ્યના ચેન્નાઈમાં નવાબ પરિવારમાં થયો હતો. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને ઉર્દૂ, તમિલ અને અંગ્રેજી ઉપરાંત અરબી અને હિન્દુસ્તાનીમાં પ્રાવીણ્ય મેળવ્યું. તેમના વિદ્યાર્થીકાળથી જ અંગ્રેજોના કુશાસનની ટીકા કર્યા પછી, તેમણે 1920 માં શરૂ થયેલી ખિલાફત અને અસહકાર ચળવળમાં જોડાઈને રાષ્ટ્રીય ચળવળમાં ડૂબકી લગાવી હતી. તેમણે સક્રિયપણે પરંતુ અહિંસક રીતે આ ચળવળમાં ભાગ લીધો હતો. ગાંધીજીના અનુયાયી હોવાથી, ચેન્નાઈમાં બ્રિટિશ સત્તાધિશોના ક્રોધનો શિકાર બન્યા, છતાં ફારૂકીએ તેમના ગુસ્સાની પરવા કરી ન હોવાથી, બ્રિટિશ સરકારે નવાબોના પરિવારના સભ્ય હોવાના કારણે તેમને મળતું વારસાગત પેન્શન બંધ કરી દીધું. આર્થિક મુશ્કેલીનો સામનો કરતી વખતે પણ તેમણે બ્રિટિશ સરકારના દુષ્કર્મો વિશે સમાચાર ફેલાવવા માટે હિન્દુસ્તાની દૈનિક ‘આઝાદ હિંદ’ શરૂ કર્યું. દૈનિકના બ્રિટિશ વિરોધી વલણ પ્રત્યે અસહિ...

મેજર રાજા હબીબ-ઉર-રહેમાન ખાન (1913-1978)

ભારતીયોને નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો છેલ્લો સંદેશ આપનાર મેજર રાજા હબીબ-ઉર-રહેમાન ખાનનો જન્મ 1913માં કાશ્મીરના ભીંબર જિલ્લાના પંજેરી ગામમાં એક શ્રીમંત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રાજા મુંજૂર અહેમદ ખાન હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમના વતન ખાતે અને માધ્યમિક શિક્ષણ વિવિધ ઉચ્ચ શાળાઓમાં મેળવ્યું હતું. બાદમાં, તેઓ દેહરાદૂન ખાતે પ્રિન્સ ઓફ વેલ્સ રોયલ ઈન્ડિયન મિલિટરી કોલેજમાં જોડાયા. લશ્કરી તાલીમ લીધા પછી, તેઓ 1933 માં એક અધિકારી તરીકે બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા. તેઓ ફેબ્રુઆરી, 1941માં મલાયા ગયા. મલાયામાં તેમના રોકાણ દરમિયાન, જાપાને ડિસેમ્બર, 1941માં પર્લ હાર્બર પર બોમ્બમારો કર્યો, જેના પરિણામે અમેરિકાએ જાપાન સામે યુદ્ધની જાહેરાત કરી. તે સમય સુધીમાં, જાપાન મલાયા વગેરે જેવા કેટલાક બ્રિટિશ વિસ્તારો પર કબજો કરી શકે છે. બ્રિટિશ આર્મી, જે અમેરિકાની સાથી હતી, તેને જાપાને હરાવ્યું હતું. આમ, હબીબ ખાનના નેતૃત્વ હેઠળના સૈનિકોને જાપાન દ્વારા 15 ફેબ્રુઆરી, 1942 ના રોજ યુદ્ધ કેદીઓ તરીકે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તે સમય સુધીમાં, કેપ્ટન મોહન સિંહે જાપાનની મદદથી ભારતીય યુદ્ધ કેદીઓ સાથે ઇંડિયન નેશ...

અલ્લામા સૈયદ અબ્દુલ કરીમ ગની (1907-1978)

  અલ્લામા સૈયદ અબ્દુલ કરીમ ગની, જેઓ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની સલાહકાર પરિષદના સભ્યોમાંના એક હતા, તેમનો જન્મ 1907 માં ભારતના તમિલનાડુમાં શિવ ગંગા જિલ્લાના સોદુગુડી ગામમાં થયો હતો. તેમના પિતા મુહમ્મદ ઈબ્રાહિમ આજીવિકા માટે બર્મા સ્થળાંતર કરી ગયા હોવાથી, તેમણે રંગૂનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.નાની ઉંમરથી જ તેમની સ્વતંત્ર વિચાર પ્રક્રિયા હતી, તેમણે કવિ અને લેખક તરીકે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે રંગૂનથી પ્રકાશિત વિવિધ અખબારો માટે કામ કર્યું અને પ્રતિબદ્ધ પત્રકાર તરીકે ઓળખ મેળવી. તેઓ 1928માં ભારતીય રાષ્ટ્રીય ચળવળના નેતા મૌલાના મુહમ્મદ અલી જૌહરને મળ્યા. આનાથી તેઓ રાષ્ટ્રીય ચળવળ વિશે વિચારવા લાગ્યા. તેમણે 1930માં બર્માથી પોતાનું અખબાર ‘ઉદય સૂર્યન’ શરૂ કર્યું હતું. તેમણે સામાન્ય રીતે લોકોના કલ્યાણ માટે અને ખાસ કરીને મુસ્લિમ યુવાનોના વિકાસ માટે અનેક સ્વૈચ્છિક સંસ્થાઓની સ્થાપના કરી હતી. તેઓ બર્મા વિધાનસભામાં ચૂંટાયા. આ દરમિયાન તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝને મળ્યા. નેતાજીને એક સંપાદક અને ધારાસભ્ય તરીકે સૈયદ અબ્દુલ કરીમ ગનીની સિદ્ધિઓ અને ક્ષમતાઓ વિશે જાણ થતાં, તેમણે તેમની સાથે કામ કર...

શૌકત ઉસ્માની (1901-1978)

શૌકત ઉસ્માની, જેમણે માત્ર બ્રિટિશ સામ્રાજ્યવાદી દળોને દેશમાંથી હાંકી કાઢવા માટે તેમની સામે બળવો જ ન હતો કર્યો, પરંતુ સમાજવાદી રાજ્યની સ્થાપના પણ કરી હતી, તેમનો જન્મ 21 ડિસેમ્બર, 1901ના રોજ રાજસ્થાનના બિકાનેરમાં થયો હતો. તેમનું અસલી નામ મૌલા બક્ષ ઉસ્તાદ હતું. પરંતુ, એક ક્રાંતિકારી તરીકે, તે લોકો માટે જુદા જુદા નામોથી જાણીતા હતા. અંતે, તે શૌકત ઉસ્માની તરીકે સ્થાપિત થયા. તેઓ ખૂબ જ નાની ઉંમરે રાષ્ટ્રવાદી નેતા સંપૂર્ણાનંદના શિષ્ય બન્યા અને રાષ્ટ્રવાદી વિચારધારા તરફ આકર્ષાયા હતા. તેમણે ખિલાફત ચળવળમાં પ્રવેશ લઈને રાષ્ટ્રવાદી ચળવળમાં પ્રવેશ કર્યો. બાદમાં, તેમણે મૌલવી અબ્દુલ બારીની અપીલનો જવાબ આપતાં, જૂન 1920માં ભારતની બહારના અંગ્રેજો સામે યુદ્ધની ઘોષણા કરવા દેશ છોડી દીધો. તેમણે સાહસિક 'હિજરત'ની શરૂઆત કરી અને મુશ્કેલીગ્રસ્ત પાણીમાં વહાણ કરીને રશિયા પહોંચ્યા. તેઓ સામ્યવાદની વિચારધારા તરફ આકર્ષાયા અને ભારતમાં સામ્યવાદી પક્ષના સ્થાપકોમાંના એક બન્યા. તેઓ અંગ્રેજો સામે લડવા અને ભારતમાં સામ્યવાદી ચળવળ ઊભી કરવા બ્રિટિશ ગુપ્તચરોની જાણ વગર ભારત પાછા ફર્યા. બ્રિટિશ સિક્રેટ પોલીસે 11 મે, 1923ના રો...

કાઝી નઝરુલ ઇસ્લામ (1899-1976)

વિદેશી શાસકો સામેની લડાઈમાં પોતાની કલમનો હથિયાર તરીકે ઉપયોગ કરનાર કાઝી નઝરુલ ઈસ્લામનો જન્મ 25 મે, 1899ના રોજ પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લાના ચૂરીલિયા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ કાઝી ફકીર સાહેબ અને માતાનું નામ ઝાહેદા ખાતૂન હતું. તેમણે બાળપણમાં જ પિતા ગુમાવ્યા. આમ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે અનેક જગ્યાએ કામ કરવું પડ્યું. તેમણે એક થિયેટર જૂથ સાથે કામ કર્યું અને તેના માટે ગીતો અને નાટકો લખ્યા. તેઓ 1917માં શસ્ત્રોના ઉપયોગની તાલીમ મેળવવા માટે લશ્કરમાં જોડાયા હતા, આ ઉદ્દેશ્ય સાથે કે વિદેશી શાસકોને દૂર મોકલવામાં તે તેમના માટે ઉપયોગી થશે. પરંતુ જ્યારે તેઓ 1919 માં તેમના વતન પાછા ફર્યા, ત્યારે તેઓ સાહિત્યિક કાર્યમાં સ્થાયી થયા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ લીધું અને રાષ્ટ્રીય ચળવળ દરમિયાન કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લીધો. તેઓ જે તેમના અંતરાત્માએ સ્વીકાર્યા ન હતા એવા ખોટાઓની ટીકા કરવામાં ક્યારેય અચકાતા ન હતા. તેમણે યુવાનોને બ્રિટિશ શાસકોને ઉથલાવી પાડવાની રાષ્ટ્રીય ચળવળમાં જોડાવા માટે પ્રેરણા આપતાં ક્રાંતિકારી સાહિત્યની રચના કરી. પરિણામે, તેમને 'વિદ્રોહી કવિ' ...

મુહમ્મદ ગૌસ બેગ (1885-1976)

આંધ્રપ્રદેશમાં ભારતીય રાષ્ટ્રીય ચળવળના ભાગ રૂપે ચાલતા 'ચિરાલા-પેરાલા' સંઘર્ષમાં સક્રિય ભૂમિકા ભજવનાર મુહમ્મદ ગૌસ બેગનો જન્મ 12 સપ્ટેમ્બર, 1885ના રોજ આંધ્રપ્રદેશના પ્રકાસમ જિલ્લાના ચિરાલા મંડલના ગંતાયાપાલેમ ગામમાં એક શ્રીમંત પરિવારમાં થયો હતો.તેમના પિતાનું નામ હાજી મોહિઉદ્દીન બેગ અને માતાનું નામ ફાતિમા હતું. તેમણે 1907 માં સ્વતંત્રતા ચળવળમાં પ્રવેશ કર્યો, જ્યારે તેઓ વિદ્યાર્થી હતા. બેગે 1920માં કલકત્તા ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ અધિવેશનમાં દુગ્ગીરાલા ગોપાલ કૃષ્ણીયા સાથે હાજરી આપી હતી, જેઓ આંધ્રપ્રદેશની પ્રખ્યાત ચિરાલા-પેરાલા ચળવળના નેતા હતા. બ્રિટિશ સરકારે ચિરાલા અને પેરાલા ગામોને મ્યુનિસિપાલિટીમાં ભેળવી દીધા અને લોકો પર ભારે કર લાદ્યા, જેના કારણે લોકોએ બળવો કર્યો. બેગ, જેમણે લાદવામાં આવેલા ભારે કરનો વિરોધ કર્યો હતો, તેમણે ટેક્સ નોન પેમેન્ટ ચળવળમાં ભાગ લીધો હતો અને પીડિત લોકોને આર્થિક રીતે મદદ કરી હતી. તેમણે ખિલાફત અને અસહકાર ચળવળમાં પણ ભાગ લીધો હતો, જેના માટે તેમને જેલવાસ ભોગવ્યો હતો. તેમણે દુગ્ગીરાલા ગોપાલ કૃષ્ણીયા દ્વારા રચિત ‘રામાદંડુ’ દળનું નેતૃત્વ કર્યું હતું. 1930-32માં મી...

ખાન અબ્દુસ સમદ ખાન (1907-1973)

ખાન અબ્દુસ સમદ ખાન ખાન અબ્દુલ ગફાર ખાનની જેમ 'બલુચી ગાંધી' તરીકે પ્રસિદ્ધ, જેઓ સંપૂર્ણ રીતે ગાંધીવાદી હતા અને આંતરરાષ્ટ્રીય સ્તરે 'ફ્રન્ટિયર ગાંધી' તરીકે વખણાયા હતા, તેમનો જન્મ 7 જુલાઈ, 1907ના રોજ ક્વેટા(પાકિસ્તાન) શહેરની નજીકમાં આવેલા ગુલિસ્તાન ખાતે થયો હતો. 13 વર્ષની નાની ઉંમરે, તેમણે તેમના વિસ્તારમાં આયોજિત સામ્રાજ્યવાદ વિરોધી અભિયાનમાં ભાગ લીધો હતો. તેઓ વિદેશી શાસકો અને સાથી દેશના લોકોમાં અંધશ્રદ્ધાના સખત વિરોધી હતા. તેમણે અંગ્રેજોના જુવાળમાંથી રાષ્ટ્રની મુક્તિ માટે ‘અંજુમન-એ-વતન’ (ધ સોસાયટી ફોર ધ મધરલેન્ડ) શરૂ કરી. બાદમાં, તેમણે તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિલિન કરી દીધું. જોકે તેઓ શરૂઆતમાં 1920 દરમિયાન ગાંધીજીની અહિંસા વિચારધારા તરફ આકર્ષાયા હતા, તેમણે ક્રાંતિકારી સંગઠનો સાથે પણ ગાઢ સંબંધો જાળવી રાખ્યા હતા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઉપયોગ બલુચી લોકોની મુશ્કેલીઓને જાહેરમાં લાવવા અને અંગ્રેજોના કુશાસનની ટીકા કરવા માટે એક મંચ તરીકે કર્યો. તેઓ શક્તિશાળી વક્તા હતા. બ્રિટિશ સરકાર દુષ્કૃત્યોનો પર્દાફાશ કરતા તેમના શક્તિશાળી અને મુક્કાબાજીવાળા ભાષણોને સહન ક...

અબ્દુલ કય્યુમ અંસારી (1905-1973)

  અબ્દુલ કય્યુમ અંસારી, જેમણે માત્ર આઝાદી માટે જ નહીં પરંતુ સામાજિક અને આર્થિક અસમાનતાઓ સામે પણ લડત ચલાવી હતી, તેમનો જન્મ 1 જુલાઈ, 1905ના રોજ બિહારના શાહબાદ જિલ્લાના દેહરી ગામમાં થયો હતો. તેમના પિતા મુન્શી અબ્દુલ હક એક વેપારી હતા અને માતા સફિયા બેગમ. અન્સારી જ્યારે હાઈસ્કૂલમાં હતા ત્યારે અલી ભાઈઓના પ્રભાવ હેઠળ ખિલાફત અને અસહકાર ચળવળમાં પ્રવેશ્યા. 15 વર્ષની નાની ઉંમરે, તેઓ અખિલ ભારતીય ખિલાફત સમિતિના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા અને શાહબાદ જિલ્લાના પ્રતિનિધિ તરીકે કલકત્તા ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં હાજરી આપી. બ્રિટિશ સરકારે તેમને 'ખતરનાક' તરીકે ઓળખાવ્યા અને 1922 માં તેમની ધરપકડ કરી. પાછળથી, કેટલાક પ્રસંગોએ તેમણે જેલના સળિયા પાછળ ઘણા વર્ષો વિતાવ્યા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આંદોલનાત્મક કાર્યક્રમો માટે ખૂબ જ પ્રતિબદ્ધ હતા જેના માટે લોકો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની વિભાજનકારી વિચારધારા સામે ઝુંબેશ ચલાવી હતી. તેમણે લોકોને સમજાવ્યું કે રાષ્ટ્રના વિભાજનથી માત્ર શ્રીમંત મૂડીવાદીઓ, જમીનદારો, કુલીન જૂથો અને સ્વાર્થી રાજકાર...

ચૌધરી ખલીકુઝ્ઝમાન (1889-1973)

ભારતીય ઉપખંડના રાજકારણને પ્રભાવિત કરનાર બ્રિટિશ ભારતમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ચૌધરી ખલીકુઝમાનનો જન્મ 1889માં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના ચુનાર ગામમાં થયો હતો. તેમના પિતા શેખ મોહમ્મદ જમન અને માતા મકબુલુન્નિસા બેગમ હતા. તેઓ અલી ભાઈઓથી પ્રભાવિત થયા અને બાલ્કન યુદ્ધના ઘાયલ સૈનિકોની સેવા કરવા માટે ડૉ. મુખ્તાર અહેમદ અન્સારીના નેતૃત્વમાં તબીબી ટીમ સાથે 1912માં તુર્કી ગયા. તેમણે 1916માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું અને રોલેટ વિરોધી સમિતિના સભ્ય બન્યા. પાછળથી, તેઓ ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના સભ્ય બન્યા. તેમણે ખિલાફત ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો અને અખિલ ભારતીય ખિલાફત સમિતિની રચના કરી. તેમણે લખનૌમાં વકીલ તરીકે તેમની પ્રેક્ટિસ શરૂ કરી અને લોક કલ્યાણના કાર્યક્રમો હાથ ધરીને રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ લખનૌ મ્યુનિસિપલ બોર્ડ માટે ચૂંટાયા અને લાંબા સમય સુધી તેના અધ્યક્ષ તરીકે ચાલુ રહ્યા. તેમણે હોમ રૂલ ચળવળમાં ભાગ લીધો હતો. તેમણે 1921માં પ્રિન્સ ઑફ વેલ્સ મુલાકાતનો બહિષ્કાર કર્યો, જેના માટે તેમને જેલવાસ કરવામાં આવ્યો. બાદમાં, તેઓ 1923 માં સ્વરાજ્ય પાર્ટીમાં જોડાયા. તેમણે 1937 ...

'કાકા બાબુ' મુઝફ્ફર અહેમદ (1889-1973)

મુઝફ્ફર અહેમદ, જેઓ 'કાકા બાબુ' તરીકે જાણીતા હતા, અને જેમણે સામ્રાજ્યવાદી બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા ઉપરાંત એક સમતાવાદી સમાજની ઇચ્છા રાખી હતી, તેમનો જન્મ 5 ઓગસ્ટ, 1889ના રોજ પૂર્વ બંગાળના નૌઆખલી જિલ્લાના સંદ્વિપમાં થયો હતો, જેને હાલમાં બાંગ્લાદેશ કહેવામાં આવે છે. નાનપણથી જ ગરીબીને કારણે તેમણે અભ્યાસ ચાલુ રાખતાંની સાથે પરિવારનું ભરણપોષણ કરવું પડ્યું હતું. વાંચન પ્રત્યેનો તેમનો શોખ અને શીખવા માટેના સમર્પણે તેમને એક સારા લેખક અને આકર્ષક વક્તા બનાવ્યા. તેમણે ખૂબ જ નાની ઉંમરે 1906માં બંગાળના વિભાજનનો વિરોધ કર્યો હતો. મુઝફ્ફર અહેમદ 1916 માં સીધા રાજકારણમાં પ્રવેશ્યા. તેઓ 1917 માં રશિયામાં બોલ્શેવિક ક્રાંતિની સફળતાથી પ્રેરિત થયા. બાદમાં, તેમણે 1919 ના ક્રૂર રોલેટ એક્ટનો વિરોધ કરતી ચળવળનું નેતૃત્વ કર્યું. બંગાળમાં ક્રાંતિકારીઓ સાથે તેમના સૌહાર્દપૂર્ણ સંબંધો હતા. તેઓ મુહાજરીન પાસેથી સામ્યવાદી વિચારધારાથી પરિચિત થયા, જેઓ તેમના ઐતિહાસિક ‘હિઝરત’ પછી રશિયાથી ભારત પાછા ફર્યા. આમ, તેમણે આંતરરાષ્ટ્રીય સામ્યવાદી ચળવળ સાથે સંબંધો સ્થાપિત કર્યા અને બંગાળમાં ભારતીય સામ્યવાદી ચળવળનું નિર્માણ કરવાનું ...

બકર અલી મિર્ઝા (1900-1973)

બકર અલી મિર્ઝા, જેમણે નિઝામના નવાબને નિઝામ રાજ્યને ભારતીય સંઘમાં વિલિન કરવાની સલાહ આપતા ઐતિહાસિક નિવેદનનો મુસદ્દો તૈયાર કર્યો હતો, તેમનો જન્મ 7 માર્ચ, 1900ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદમાં થયો હતો. તેમણે તેમના વિદ્યાર્થીકાળથી જ સામ્રાજ્યવાદી દળોનો સખત વિરોધ કર્યો. જ્યારે તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા, ત્યારે તેઓ વિદ્યાર્થી સંઘના પ્રમુખ બન્યા હતા, જે રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓના જૂથ સાથે રચવામાં આવ્યું હતું. બી.એ. (હોનર્સ) પૂર્ણ કર્યા પછી તેઓ મદદનીશ વન સંરક્ષક તરીકે નિઝામની સરકારી સેવામાં જોડાયા. તેમને કોઈપણ બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવાનું વચન આપતી ઘોષણા આપવા કહેવામાં આવ્યું હતું. આ શરત તેમની પસંદઘી અને સ્વતંત્રતા વિરુદ્ધ હોવાનું કહીને તેમણે નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું. બાદમાં તેમણે પોતાની જાતને જનસેવા માટે સમર્પિત કરી દીધી. તેમણે ટ્રેડ યુનિયન ચળવળમાં પ્રવેશ કર્યો અને ત્રણ લાખથી વધુ સભ્યો ધરાવતા જ્યુટ મિલ લેબર યુનિયનને મજબૂત બનાવ્યું. તેમણે જ્યુટ મિલ કામદારોની હડતાળનું નેતૃત્વ કર્યું અને તેમની માંગણીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી. પરંતુ હડતાલ ...

ટીપુ સુલતાનના વારસદાર નવાબ સૈયદ મુહમ્મદ બહાદુર

નવાબ સૈયદ મુહમ્મદ બહાદુરનું 12 ફેબ્રુઆરી 1919ના રોજ અવસાન થયું હતું. નવાબ સૈયદ મુહમ્મદ બહાદુર દક્ષિણ ભારતના સૌથી ધનિક મુસ્લિમોમાંના એક મીર હુમાયુ બહાદુરના પુત્ર હતા. હુમાયુ બહાદુર એક ગંભીર રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા મુસ્લિમ હતા જેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને તેની પ્રારંભિક અવસ્થામાં નાણાકીય અને બૌદ્ધિક સહાય પૂરી પાડીને મદદ કરી હતી. 1887માં યોજાયેલી ત્રીજી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં હુમાયુ બહાદુરે કોંગ્રેસના નેતાઓને આર્થિક મદદ કરી હતી. તેમની માતા તરફેથી નવાબ સૈયદ મુહમ્મદ બહાદુર મૈસુરના પ્રખ્યાત ટીપુ સુલતાનના વંશજ હતા. તે ટીપુ સુલતાનના ચોથા પુત્ર સુલતાન યાસીનની પુત્રી શાહજાદી શાહરૂખ બેગમના પૌત્ર હતા. તેમની જન્મતારીખ કોઈ પણ વિશ્વસનીય સ્ત્રોતમાંથી જાણી શકાઈ નથી; પરંતુ ઘણા સ્ત્રોતો અનુસાર, નવાબ સૈયદ મુહમ્મદ બહાદુરનું અવસાન 12 ફેબ્રુઆરી 1919 ના રોજ થયું હતું. નવાબ સૈયદ મુહમ્મદ બહાદુરનું સક્રિય રાજકીય જીવન મદ્રાસ અને દિલ્હી જેવા બે મોટા શહેરો વચ્ચે કેન્દ્રિત હતું. નવાબ સૈયદ મુહમ્મદ બહાદુરના મંતવ્યો સામાન્ય અને ટેકનિકલ બંને પ્રકારના શિક્ષણ બાબતે ખૂબ જ ઉદાર હતા. 20મી સદીની શરૂઆતમાં ભારતી...