ઇંડિયન નેશનલ આર્મી (આઝાદ હિંદ ફોજ) ના સૈનિક તરીકે અંગ્રેજો સામે લડનાર સૈયદ આબિદ હસન સફરાનીનો જન્મ 11 એપ્રિલ, 1911ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં થયો હતો. તેમના પિતા અમીર હસન અને માતા ફકરુલ હાજિયા બેગમ હતા. તેમનું મૂળ નામ ઝૈનુલ-અલ-આબિદિન હસન હતું. તેમની માતા ફરકરુલ હાજિયા સ્વતંત્ર સેનાની હતા. આબિદે તેમની માતાની ભાવના ચાલુ રાખી અને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેમણે સવિનય કાનૂન ભંગમાં ભાગ લેવા માટે તેમનું કૉલેજ શિક્ષણ છોડી દીધું અને 1931માં સાબરમતી આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમણે થોડો સમય વિતાવ્યો. પાછળથી, તેમણે વિચાર્યું કે માત્ર સશસ્ત્ર સંઘર્ષ જ ભારતમાં સ્વતંત્રતા લાવી શકે છે. આમ, તેમણે ક્રાંતિકારીઓ સાથે કામ કર્યું. ક્રાંતિકારી સંગઠનના સભ્ય તરીકે તેમણે નાસિક જેલમાં રિફાઇનરીનો નાશ કરવાના પ્રયાસમાં ભાગ લીધો. આને કારણે તેમને એક વર્ષની જેલ થઈ. પરંતુ, ‘ગાંધી-ઈરવીન કરાર’ને કારણે સજા પૂરી થાય તે પહેલાં જ તેમને છોડી દેવામાં આવ્યા હતા. તેમણે લગભગ એક દાયકા સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. બાદમાં, તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા જર્મની ગયા, જ્યાં તેઓ ઇંડિયન નેશનલ આર્મીના નેતા નેતાજી સુભાષ ચંદ્ર બોઝને મળ્યા. તેમણે 1942 થી લગભગ બે વર્ષ સુધી નેતાજીના સચિવ તરીકે કામ કર્યું અને વિશ્વભરમાં વ્યાપક પ્રવાસ કર્યો. આબિદે 8 ફેબ્રુઆરી, 1943ના રોજ સબમરીનમાં તેમની સાહસિક યાત્રા દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો સાથ આપ્યો હતો. આબિદે 'જય હિંદ' સૂત્ર બનાવ્યું અને લોકપ્રિય બન્યું, જેણે રાષ્ટ્રને પ્રેરણા આપી અને 'નેતાજી' શીર્ષકની પણ શરૂઆત કરી. સુભાષચંદ્ર બોઝ જ્યારે જર્મનીમાં હતા, ત્યાં પછી, સમગ્ર રાષ્ટ્ર દ્વારા લોકપ્રિય થયા અને તેમને 'નેતાજી' તરીકે યાદ કરવામાં આવ્યા. આબિદને બાદમાં નેતાજી દ્વારા ભારતીય રાષ્ટ્રીય સેનાના ગાંધી બ્રિગેડના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય સેનાના અન્ય કમાન્ડરો સાથે આબિદની પણ અંગ્રેજોએ ધરપકડ કરી હતી અને તેમણે થોડો સમય જેલમાં વિતાવ્યો હતો. 1947માં જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે આબિદ જવાહરલાલ નેહરુની વિનંતી પર વિદેશ મંત્રાલયમાં જોડાયા હતા. તેમણે પેકિંગ (હવે બેઇજિંગ) અને કૈરોમાં પ્રથમ સચિવ તરીકે કામ કર્યું. તેમણે દમાસ્કસ, બગદાદ અને ડેનમાર્કમાં કોન્સ્યુલ-જનરલ તરીકે પણ કામ કર્યું. સૈયદ આબિદ હસન સફરાની, નિવૃત્તિ પછી તેમના વતન હૈદરાબાદ પાછા ફર્યા જ્યાં તેમણે 1984 માં અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment