Skip to main content

અનિસ બેગમ કિદવઈ (1906-1982)


ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રતિબદ્ધતા સાથે ભાગ લેનાર અનિસ બેગમ કિદવઈનો જન્મ 1906માં ઉત્તર પ્રદેશના બારાબંકીમાં થયો હતો.તેમના પિતાનું નામ શેખ વિલાયતઅલી હતું.અનીસ બેગમના લગ્ન શફી અહેમદ કિદવઈ સાથે થયા હતા. તેમના પિતા વિલાયત અલી અને તેમના પતિ બંને સ્વતંત્રતા સેનાની હતા. તેમના પતિ અને દેવર રફી અહમદ કિદવઈ પણ ભારતીય રાષ્ટ્રીય ચળવળના નેતા હતા. તેમણે બધાએ ખિલાફત ચળવળમાં ખૂબ જ સક્રિયપણે ભાગ લીધો હતો. પરિણામે, અનિસ કિદવઈ પરિવારને બ્રિટિશ પોલીસના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. પરિવારના કમાઉ સભ્યોએ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે તેમની નોકરીઓ છોડી દીધી હોવાથી, તેમના પરિવારને પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, ન તો પોલીસ, ન તો નાણાકીય મુશ્કેલીઓ તેઓની પ્રતિબદ્ધતાને ઘટાડી શકી હતી. અનિસ બેગમ કિદવઈએ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં છેક સુધી ભાગ લીધો હતો. 1947માં ભારતે આઝાદી મેળવી હોવા છતાં દેશના વિભાજનથી તેણીને ખુબ દુઃખ થયું હતું. એ વખતે, તેમના પતિ શફી અહમદ કિદવઈ, જેમણે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સંવાદિતા માટે કામ કર્યું હતું અને રાષ્ટ્રના વિભાજનનો વિરોધ કર્યો હતો, તેમની સાંપ્રદાયિક શક્તિઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેમના પતિને ગુમાવવાથી તેણીને ખૂબ જ દુઃખ થયું. આ ખરાબ ઘટના બાદ, પોતાના પતિના નિધન બાદ દિલ્હીમાં મહાત્મા ગાંધીને મળ્યા. તેમણે સુભદ્રા જોષી, મૃદુલા સારાભાઈ અને અન્ય મહિલા નેતાઓ સાથે મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ તેમના જેવી પીડિત મહિલાઓને ટેકો આપવા અને મદદ કરવા માટે કામ કરવાનું શરૂ કર્યું જેઓ દેશના વિભાજનને કારણે દુખ ભોગવી રહી હતી. તેણીએ પીડિતો માટે બચાવ શિબિરો શરૂ કરી અને તેમને દરેક રીતે ટેકો આપ્યો. તેઓ પ્રેમથી તેણીને ‘અનીસ આપા’ (બહેન અનિસ) કહેતા. આઝાદી પછી, તેણી 1957 માં રાજ્યસભાના સભ્ય બન્યા અને 1968 સુધી ચાલુ રહ્યા. તેમણે તેમના પુસ્તક 'આઝાદી કી છાઓં મેં' માં રાષ્ટ્રના વિભાજન દરમિયાનના તેમના અનુભવો લખ્યા. અનીસ બેગમ કિદવઈએ ‘ઝુલુમ’ અને ‘અબ જિંકે દેખને’ પુસ્તકો પણ લખ્યાં, જેમાં તેમણે સાંપ્રદાયિક શક્તિઓની ક્રૂરતાનું વર્ણન અને નિંદા કરી. તેણીએ 1976 માં નિબંધોનો કાવ્યસંગ્રહ 'નજરે ખુશ ગુઝરે' પણ પ્રકાશિત કર્યો હતો. તેણીની સાહિત્યિક કુશળતાને ભારત સરકાર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. સાહિત્ય કલા પરિષદ દ્વારા તેણીનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજનીતિ, સાહિત્ય અને જાહેર સેવામાં એકસાથે સફળતા મેળવનાર અનીસ બેગમ કિદવઈનું 16 જુલાઈ, 1982ના રોજ નિધન થયું હતું.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...