ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રતિબદ્ધતા સાથે ભાગ લેનાર અનિસ બેગમ કિદવઈનો જન્મ 1906માં ઉત્તર પ્રદેશના બારાબંકીમાં થયો હતો.તેમના પિતાનું નામ શેખ વિલાયતઅલી હતું.અનીસ બેગમના લગ્ન શફી અહેમદ કિદવઈ સાથે થયા હતા. તેમના પિતા વિલાયત અલી અને તેમના પતિ બંને સ્વતંત્રતા સેનાની હતા. તેમના પતિ અને દેવર રફી અહમદ કિદવઈ પણ ભારતીય રાષ્ટ્રીય ચળવળના નેતા હતા. તેમણે બધાએ ખિલાફત ચળવળમાં ખૂબ જ સક્રિયપણે ભાગ લીધો હતો. પરિણામે, અનિસ કિદવઈ પરિવારને બ્રિટિશ પોલીસના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. પરિવારના કમાઉ સભ્યોએ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે તેમની નોકરીઓ છોડી દીધી હોવાથી, તેમના પરિવારને પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, ન તો પોલીસ, ન તો નાણાકીય મુશ્કેલીઓ તેઓની પ્રતિબદ્ધતાને ઘટાડી શકી હતી. અનિસ બેગમ કિદવઈએ ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં છેક સુધી ભાગ લીધો હતો. 1947માં ભારતે આઝાદી મેળવી હોવા છતાં દેશના વિભાજનથી તેણીને ખુબ દુઃખ થયું હતું. એ વખતે, તેમના પતિ શફી અહમદ કિદવઈ, જેમણે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે સંવાદિતા માટે કામ કર્યું હતું અને રાષ્ટ્રના વિભાજનનો વિરોધ કર્યો હતો, તેમની સાંપ્રદાયિક શક્તિઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેમના પતિને ગુમાવવાથી તેણીને ખૂબ જ દુઃખ થયું. આ ખરાબ ઘટના બાદ, પોતાના પતિના નિધન બાદ દિલ્હીમાં મહાત્મા ગાંધીને મળ્યા. તેમણે સુભદ્રા જોષી, મૃદુલા સારાભાઈ અને અન્ય મહિલા નેતાઓ સાથે મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ તેમના જેવી પીડિત મહિલાઓને ટેકો આપવા અને મદદ કરવા માટે કામ કરવાનું શરૂ કર્યું જેઓ દેશના વિભાજનને કારણે દુખ ભોગવી રહી હતી. તેણીએ પીડિતો માટે બચાવ શિબિરો શરૂ કરી અને તેમને દરેક રીતે ટેકો આપ્યો. તેઓ પ્રેમથી તેણીને ‘અનીસ આપા’ (બહેન અનિસ) કહેતા. આઝાદી પછી, તેણી 1957 માં રાજ્યસભાના સભ્ય બન્યા અને 1968 સુધી ચાલુ રહ્યા. તેમણે તેમના પુસ્તક 'આઝાદી કી છાઓં મેં' માં રાષ્ટ્રના વિભાજન દરમિયાનના તેમના અનુભવો લખ્યા. અનીસ બેગમ કિદવઈએ ‘ઝુલુમ’ અને ‘અબ જિંકે દેખને’ પુસ્તકો પણ લખ્યાં, જેમાં તેમણે સાંપ્રદાયિક શક્તિઓની ક્રૂરતાનું વર્ણન અને નિંદા કરી. તેણીએ 1976 માં નિબંધોનો કાવ્યસંગ્રહ 'નજરે ખુશ ગુઝરે' પણ પ્રકાશિત કર્યો હતો. તેણીની સાહિત્યિક કુશળતાને ભારત સરકાર દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. સાહિત્ય કલા પરિષદ દ્વારા તેણીનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજનીતિ, સાહિત્ય અને જાહેર સેવામાં એકસાથે સફળતા મેળવનાર અનીસ બેગમ કિદવઈનું 16 જુલાઈ, 1982ના રોજ નિધન થયું હતું.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment