બ્રિટિશ વસાહતી શાસનના ચૂંગલમાંથી માતૃભૂમિની મુક્તિ માટે સંઘર્ષનો માર્ગ પસંદ કરી વૈભવી અને ભૌતિક જીવન છોડનારા અબ્દુલ કાદિર બવાઝીરનો જન્મ ગુજરાતના શ્રીમંત વ્યવસાયી પરિવારમાં થયો હતો. નાનપણથી જ વ્યવસાયિક કુશળતા પ્રાપ્ત કર્યા પછી, તે દક્ષિણ આફ્રિકામાં અરબી ઘોડાઓ અને ઘોડાગાડીઓનો વેપાર કરવા ગયા. તે શ્રીમંત વેપારી તરીકે ટ્રાંસવાલમાં વ્યવસ્થિત રીતે સ્થાયી થયા. જોહનિસબર્ગ મસ્જિદમાં તેમણે ઇમામત કરી,આમ તેમને આદરપૂર્વક ‘ઇમામ સાહેબ’ તરીકે પણ ઓળખવામાં આવતા. તેઓ 1903 માં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા. સ્વતંત્ર વિચારોના માણસ હોવાથી, અબ્દુલ કાદિરે જલ્દીથી ગાંઘીજી સાથે આત્મીયતા વિકસાવી અને 1904 માં ગાંધીજીના ફિનિક્સ સેટલમેન્ટમાં તેમની સાથે જોડાયા. તેમણે ગાંધીજી સાથે ફિનિક્સ સેટલમેન્ટમાં 'ફકીર' જીવન જીવવા માટે વૈભવી જીવન અને પોતાનો ઘોડાઓનો વેપાર છોડી દીધો. તે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ ભારતીયો દ્વારા કરવામાં આવેલા તમામ આંદોલનોની સુરક્ષામાં રહ્યા હતા. 1907 માં તેમણે પ્રતિષ્ઠિત ‘હમીદિયા ઇસ્લામિક સોસાયટી’ ના પ્રમુખ તરીકે લોકોની સેવા કરી. 1908 માં તેમને કેદ કરવામાં આવ્યા. જ્યારે 1914 માં ગાંધીજી ભારત પાછા ફર્યા ત્યારે અબ્દુલ કાદિરે ઘોડાગાડીઓનો વેપાર છોડી દીધો અને ગાંધીજીને ભારતમાં અનુસરવા લાગ્યા. તે અને તેમના પરિવારના સભ્યો સાબરમતી આશ્રમમાં રહેતા હતા. તેઓ આશ્રમની પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા. જ્યારે તેઓ પ્રેસમાં કંપોઝિટર તરીકે કામ કરતા, ત્યારે તેમની બેગમ અને બે પુત્રીઓ અમિના અને ફાતિમા પ્રેસ અને આશ્રમના અન્ય કાર્યોમાં હાજરી આપતા. જ્યારે તેમની મોટી પુત્રી અમીનાનાં લગ્ન આશ્રમમાં થયાં ત્યારે ગાંધીજીએ ઇમામ સાહેબને બદલે મહેમાનોને પોતે આમંત્રણ આપતાં ઇમામ સાહેબને પોતાનો ભાઈ જાહેર કર્યો. ઇમામ સાહેબ અને તેમની પુત્રીની ધરપકડ કરવામાં આવી હતી અને ઘણા પ્રસંગોએ રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેવા બદલ તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. 1928 માં, અબ્દુલ કાદિરે સરદાર વલ્લભભાઇ પટેલ સાથે ‘બારડોલી સત્યગ્રાહ’માં સક્રિયપણે ભાગ લીધો. 1930 માં જ્યારે ગાંધીજીએ ‘દાંડી કૂચ’ શરૂ કરી, ત્યારે અબ્દુલ કાદિર કૂચની આગળ ચાલતા, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી અને જેલમાં ધકેલી દેવાયા. જેલમાં તે બીમાર પડ્યા અને હાલત કથળી. તેમને 1931 માં જેલમુક્ત કરવામાં આવ્યા હતા. ‘સત્યાગ્રહ અને હિન્દુ મુસ્લિમ એકતા માટે પોતાના જીવનું બલિદાન આપનાર ગાંધીજી દ્વારા 'મહાન વ્યક્તિ’ તરીકે આદર પામેલા ઇમામ સાહેબ અબ્દુલ કાદિર બવાઝિરનું 31 ડિસેમ્બર, 1931 ના રોજ નિધન થયું હતું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment