Skip to main content

અબ્દુલ કાદિર બવાઝિર (-1931)


બ્રિટિશ વસાહતી શાસનના ચૂંગલમાંથી માતૃભૂમિની મુક્તિ માટે સંઘર્ષનો માર્ગ પસંદ કરી વૈભવી અને ભૌતિક જીવન છોડનારા અબ્દુલ કાદિર બવાઝીરનો જન્મ ગુજરાતના શ્રીમંત વ્યવસાયી પરિવારમાં થયો હતો. નાનપણથી જ વ્યવસાયિક કુશળતા પ્રાપ્ત કર્યા પછી, તે દક્ષિણ આફ્રિકામાં અરબી ઘોડાઓ અને ઘોડાગાડીઓનો વેપાર કરવા ગયા. તે શ્રીમંત વેપારી તરીકે ટ્રાંસવાલમાં વ્યવસ્થિત રીતે સ્થાયી થયા. જોહનિસબર્ગ મસ્જિદમાં તેમણે ઇમામત કરી,આમ તેમને આદરપૂર્વક ‘ઇમામ સાહેબ’ તરીકે પણ ઓળખવામાં આવતા. તેઓ 1903 માં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા. સ્વતંત્ર વિચારોના માણસ હોવાથી, અબ્દુલ કાદિરે જલ્દીથી ગાંઘીજી સાથે આત્મીયતા વિકસાવી અને 1904 માં ગાંધીજીના ફિનિક્સ સેટલમેન્ટમાં તેમની સાથે જોડાયા. તેમણે ગાંધીજી સાથે ફિનિક્સ સેટલમેન્ટમાં 'ફકીર' જીવન જીવવા માટે વૈભવી જીવન અને પોતાનો ઘોડાઓનો વેપાર છોડી દીધો. તે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ ભારતીયો દ્વારા કરવામાં આવેલા તમામ આંદોલનોની સુરક્ષામાં રહ્યા હતા. 1907 માં તેમણે પ્રતિષ્ઠિત ‘હમીદિયા ઇસ્લામિક સોસાયટી’ ના પ્રમુખ તરીકે લોકોની સેવા કરી. 1908 માં તેમને કેદ કરવામાં આવ્યા. જ્યારે 1914 માં ગાંધીજી ભારત પાછા ફર્યા ત્યારે અબ્દુલ કાદિરે ઘોડાગાડીઓનો વેપાર છોડી દીધો અને ગાંધીજીને ભારતમાં અનુસરવા લાગ્યા. તે અને તેમના પરિવારના સભ્યો સાબરમતી આશ્રમમાં રહેતા હતા. તેઓ આશ્રમની પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા. જ્યારે તેઓ પ્રેસમાં કંપોઝિટર તરીકે કામ કરતા, ત્યારે તેમની બેગમ અને બે પુત્રીઓ અમિના અને ફાતિમા પ્રેસ અને આશ્રમના અન્ય કાર્યોમાં હાજરી આપતા. જ્યારે તેમની મોટી પુત્રી અમીનાનાં લગ્ન આશ્રમમાં થયાં ત્યારે ગાંધીજીએ ઇમામ સાહેબને બદલે મહેમાનોને પોતે આમંત્રણ આપતાં ઇમામ સાહેબને પોતાનો ભાઈ જાહેર કર્યો. ઇમામ સાહેબ અને તેમની પુત્રીની ધરપકડ કરવામાં આવી હતી અને ઘણા પ્રસંગોએ રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લેવા બદલ તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. 1928 માં, અબ્દુલ કાદિરે સરદાર વલ્લભભાઇ પટેલ સાથે ‘બારડોલી સત્યગ્રાહ’માં સક્રિયપણે ભાગ લીધો. 1930 માં જ્યારે ગાંધીજીએ ‘દાંડી કૂચ’ શરૂ કરી, ત્યારે અબ્દુલ કાદિર કૂચની આગળ ચાલતા, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી અને જેલમાં ધકેલી દેવાયા. જેલમાં તે બીમાર પડ્યા અને હાલત કથળી. તેમને 1931 માં જેલમુક્ત કરવામાં આવ્યા હતા. ‘સત્યાગ્રહ અને હિન્દુ મુસ્લિમ એકતા માટે પોતાના જીવનું બલિદાન આપનાર ગાંધીજી દ્વારા 'મહાન વ્યક્તિ’ તરીકે આદર પામેલા ઇમામ સાહેબ અબ્દુલ કાદિર બવાઝિરનું 31 ડિસેમ્બર, 1931 ના રોજ નિધન થયું હતું.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...