Skip to main content

સૈયદ અલી ઇમામ (1869-1932)


સૈયદ અલી ઇમામ, જેમણે જાહેર કર્યું હતું કે રાષ્ટ્રની સંપત્તિમાં સમુદાયનો હિસ્સો તે દેશની આઝાદી માટે અપાતા ત્યાગ-બલિદાનના હિસ્સાના પ્રમાણમાં હોવું જોઈએ, તેમનો જન્મ 11 ફેબ્રુઆરી, 1869 ના રોજ બિહારના નેઓરા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સૈયદ ઇમદાદ ઇમામ હતું. તે સ્વાતંત્ર્ય સેનાની સૈયદ હસન ઇમામના મોટા ભાઈ હતા. સૈયદ અલી ઇમામ 1887 માં લંડન કાયદાના અભ્યાસ માટે ગયા હતા અને 1890 માં ભારત પાછા ફર્યા હતા. તે ટૂંકા ગાળામાં જ એક પ્રખ્યાત વકીલ બન્યા હતા. તેમની વ્યસ્ત કાનૂની પ્રેક્ટીસ હોવા છતાં, તેઓ લોક કલ્યાણ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેતા હતા, જેના કારણે લોકોમાં લોકપ્રિય હતા અને બિહાર ડિસ્ટ્રિક્ટ બોર્ડના સભ્ય બનાવવામાં આવ્યા હતા. 1909 માં તેઓ બંગાળ વિધાન પરિષદમાં સત્તાવાર સભ્ય તરીકે નિયુક્ત થયા. તેમણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની રચના કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને 1908 માં અમૃતસરમાં લીગની સંમેલનની અધ્યક્ષતા કરી હતી. સંમેલનને સંબોધન કરતાં તેમણે કહ્યું: 'પ્રથમ ક્રમના ભારતીય તરીકે સંબોધન કરવું મારા માટે ખુશીની વાત છે.’ અલી ઇમામની 1917 માં પટના હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પાછળથી, તેમણે ટૂંકા ગાળા માટે વિશેષ આમંત્રણ પર હૈદરાબાદ નિઝામ રાજ્યમાં મંત્રી તરીકે કામ કર્યું હતું. તે પછી, તેમણે ફરીથી 1920 થી એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી અને પોતાને ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સંપૂર્ણ રીતે સામેલ કર્યા. મુસ્લિમ લીગના નેતા તરીકે, તેમણે 1927 માં સાયમન કમિશનના બહિષ્કાર માટેના ઠરાવને આગળ વધાર્યો. તેમણે 1928 માં નહેરુ સમિતિના અહેવાલને સમર્થન આપ્યું. તેમણે કહ્યું હતું કે અલગ મતદાર રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચાડશે. આમ, તેમણે 1931 માં અખિલ ભારતીય મુસ્લિમ લીગ સંમેલનમાં અલગ મતદારોના વિચારનો વિરોધ કર્યો હતો. તેમણે અલગ મતદારક્ષેત્રો બનાવવા માટે કોમવાદી નેતાઓના વિચારને સંપૂર્ણપણે નકારી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદ ભાગલા અને અલગતા દ્વારા પ્રાપ્ત કરી શકાતું નથી. તેમણે કહ્યું કે મુસ્લિમોની અસલ મુક્તિ વાસ્તવિક રાષ્ટ્રવાદથી ગૂંથાયેલી હતી. તેમણે મુસ્લિમોને અપીલ કરી હતી કે તેઓ સાંપ્રદાયિક રાજકારણમાં ન આવે. અલી ઇમામ એક મહાન વિદ્વાન હતા, જેમણે ઘણી ભાષાઓનું જ્ઞાન હતું. એક સારા વક્તા પણ હતા. સૈયદ અલી ઇમામની દલીલો અને ભાષણો પોતાના કટ્ટર હરીફોને પણ મંત્રમુગ્ધ કરી દેતા, 17 ઓક્ટોબર, 1932 ના રોજ રાંચીમાં તેમનું નિધન થયું.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...