છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરે સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધનું નેતૃત્વ કર્યું હતું, જેને ઇતિહાસમાં બ્રિટીશરો સામે ભારતના લોકોમાં ક્રોધનું પ્રતીક માનવામાં આવ્યું હતું. તેમનો જન્મ 24 ઓક્ટોબર, 1775 માં થયો હતો. તેમના પિતા અકબર શાહ-બીજો એ ચૌદમા મુઘલ સમ્રાટ હતા. લાલબાઈ તેમની માતાનું નામ. બહાદુર શાહ ઝફર વિદ્વાન-કવિ ઉપરાંત તેમણે માર્શલ આર્ટ્સની તાલીમ મેળવી હતી. 1857 માં મેરઠ ખાતે ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે બળવો કરનારા ભારતીય સૈનિકો દિલ્હી પહોંચ્યા. જ્યારે તેઓ 1 મે 1857 ના રોજ દિલ્હીના લાલ કિલ્લામાં પ્રવેશ્યા, બહાદુર શાહ ઝફરે 12 મેના રોજ તેની કોર્ટ ચલાવી વિવિધ સમ્રાટોની નિમણૂકો કરી અને બ્રિટિશરો સામે યુદ્ધની ઘોષણા કરી. પાછળથી, તેમણે ધર્મ અને જાતિથી ઉપર ઉઠી એની પરવા કર્યા વિના ગ્રેટર એડમિનિસ્ટ્રેટિવ અફેર્સ કાઉન્સિલની સ્થાપના કરી અને, તેમની ક્ષમતા અને નિષ્ઠા અનુસાર જુદા જુદા લોકોને વિવિધ જવાબદારીઓ સોંપી. બહાદુર શાહ ઝફરે હિન્દુઓ અને મુસ્લિમોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડ્યા વિના ક્રાંતિકારી પગલાં લીધાં. તેમણે પોતાના સૈનિકો અને ‘ભારતના લોકો’ ને અંગ્રેજોને હરાવવા અપીલ કરી. બ્રિટિશરોની પીછેહઠ પછી, બહાદુર શાહ ઝફરે યોદ્ધાઓને આમંત્રણ આપ્યું, જેઓ દિલ્હીની બહાર ઇસ્ટ ઇંડિયા કંપની વિરુદ્ધ બળવો કરી રહ્યા હતા. ભારતીય લડવૈયાઓએ દિલ્હીને કોઈ હાલમાં ન ગુમાવવાનું નક્કી કરે છે. પરંતુ બ્રિટિશરો કાવતરું ઘડી રહ્યા હતા અને દિલ્હીને કબજે કરવા માટે વારંવાર પ્રયાસો કરી રહ્યા હતા. આવી ગંભીર પરિસ્થિતિમાં, ભારતીય લડવૈયાઓ અને ઇસ્ટ ઈન્ડિયા કંપનીના સૈનિકો વચ્ચે 14 સપ્ટેમ્બર, 1857 સુધી 72મી વખત ભીષણ લડાઈ થઈ. છેવટે બ્રિટિશ સૈનિકોએ લાલ કિલ્લામાં પ્રવેશ કર્યો અને 19 સપ્ટેમ્બર, 1857 ના રોજ તેના પર સંપૂર્ણ રીતે કબજો કરી લીધો. બહાદુર શાહ ઝફરને તેના પરિવારના કેટલાક સભ્યો સાથે પીછેહઠ કરી હુમાયુની કબર પાસે આશ્રય લેવો પડ્યો હતો, જ્યાં ઝફરની 21 સપ્ટેમ્બર, 1857 ના રોજ અંગ્રેજોએ ધરપકડ કરી. પાછળથી, બ્રિટીશરોએ ઝફરને અપરાધી જાહેર કર્યો અને 8 ડિસેમ્બર, 1858 ના રોજ તેમને રંગૂન જેલમાં દેશનિકાલ કર્યા. તેમની સાથે તેમની પ્રિય બેગમ જીન્નત મહલ અને તેમના બે પુત્રો પણ હતા. તે અને તેના પરિવારના સભ્યોએ ચાર વર્ષના સમયગાળા માટે રંગૂન જેલમાં ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં જીવન વ્યતીત કર્યું. પાછળથી છેલ્લા મોઘલ રાજા બહાદુર શાહ ઝફરે નવેમ્બર, 1862 ના રોજ જેલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ પોતાની જાતને વારંવાર કહેતા કે : ‘તમે કેટલા કમનસીબ છો ઝફર! તમારી પ્રિય માતૃભુમીમાં તમારી કબર માટે કમ સે કમ બે ગજ જમીન મળવાના પણ ભાગ્ય નથી તમારા. ’
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment