Skip to main content

મીર કાસીમ અલી ખાન (-1777)

 


મીર કાસીમ અલી ખાન એક યોદ્ધા નવાબ હતા જેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે અંત સુધી લડત આપી,અને દ્રઢપણે માનતા કે તેઓ તેમના રાજ્યની સલામતી, પોતાના લોકો માટે સ્વાતંત્ર્યતા અને સમૃદ્ધિની ખાતરી ફક્ત બ્રિટિશરોને ભારતમાંથી હાંકી કાઢીને કરી શકે છે. કાસીમઅલી 27 સપ્ટેમ્બર 1760 ના રોજ બંગાળના નવાબ બન્યા, કંપની શાસકોએ મીર જાફરને પછાડ્યો. નવાબ મીર કાસીમ અલી મીર જાફરનો ભત્રીજો હતો. તે સમયે, ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને વેપારીઓ ખુબ કુખ્યાત પ્રમાણમાં અતિરેકે પહોંચી ગયા હતા. બ્રિટિશરો સામે વિરોધ કરવાની હિંમત કરનારા લોકોને કેદ અને શારીરિક ત્રાસ જેવી કડક સજા ભોગવવી પડતી હતી. ઇસ્ટ ઈન્ડિયા કંપનીના કર્મચારીઓ દ્વારા થતા અત્યાચાર મીર કાસીમ અલી ખાન સહન કરી શક્યા નહીં. આથી નવાબે સ્વતંત્ર નિર્ણય લેવાનું શરૂ કર્યું. તેમણે ઈસ્ટ ઈન્ડિયા કંપનીની કાઉન્સિલને પત્ર લખીને મે, 1762 માં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓના અત્યાચારોનો વિરોધ વ્યક્ત કર્યો હતો. પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો ન હતો. દરમિયાન, કંપનીના અધિકારીઓ દ્વારા થતા અત્યાચારોમાં અનેકગણો વધારો થયો.અન્ય કોઈ વિકલ્પ ન દેખાતાં, મીર કાસીમ અલીએ ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે લડવાનું નક્કી કર્યું. તેમણે 1762માં મુર્શિદાબાદથી મોંગિરમાં બંગાળની રાજધાની સ્થાનાંતરિત કરી. મીર કાસીમે 10 જૂન, 1763 ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપની દળ સામે યુદ્ધ શરૂ કર્યું. પરંતુ, બ્રિટીશ સૈન્યનો હાથ ઊંચો રહેવાથી તેણે યુદ્ધનું ક્ષેત્ર છોડી દીધું હતું. ત્યારબાદ મીર કાસીમ અવધ પહોંચ્યો. તેમણે અવધના નવાબ શુજા-ઉદ-દૌલાહ અને દિલ્હીના બાદશાહ શાહ આલમ -૨ નો ટેકો મેળવ્યો. તેઓ કંપની સામેના યુદ્ધમાં તેની સાથે રહેવા સંમત થયા હતા. મીર કાસીમઅલી ખાને બક્સર ખાતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્યનો અવધ અને દિલ્હી સૈન્યની મદદ મેળવવાની આશા સાથે સામનો કર્યો હતો. પરંતુ અવધ અને દિલ્હી સૈન્ય આગળ ન આવ્યા અને તેઓ બ્રિટીશ શાસકોના કાવતરાના કારણે યુદ્ધમાં માત્ર દર્શકની ભૂમિકા સુધી સીમિત રહ્યા. વિશ્વાસઘાતી કૃત્યના પરિણામ સ્વરૂપે, મીર કાસીમને પરાજયનો સામનો કરવો પડ્યો અને યુદ્ધની જગ્યા છોડી દેવાની ફરજ પડી. દુશ્મનની સામે પોતાને શરણાગતિ સ્વીકારવી ના પડે તેથી તેને અવગણી મીર કાસીમ અલી યુદ્ધના મેદાનમાંથી છટકી ગયો.અને તે ગુપ્ત રીતે જુદા જુદા મૂળ શાસકો પાસે સમર્થન મેળવવા માટે આગળ વધ્યો, જેથી તે ફરી એકવાર બ્રિટિશરો સામે લડી શકે. તેમણે બ્રિટિશરો સામે લડવાના અનેક અવિનય પ્રયાસો કર્યા. મીર કાસીમ અલી ખાનનું 1777 માં દિલ્હી નજીક અવસાન થયું હતું.

સૌજન્ય : સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...