Skip to main content

હાજી શરિયતુલ્લાહ (1780-1839)


ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઘણા ક્રાંતિકારીઓ માટે પ્રેરણારૂપ બની રહેલી ફરાઝી ચળવળની આક્રમક રીતે આગેવાની કરનારા હાજી શરિઅતુલ્લાહનો જન્મ 1780 માં બંગાળના ફરીદપુર જિલ્લાના બહાદુર /બાંદરલાકોલા ગામમાં થયો હતો. તેમના પિતા અબ્દુલ ઝાલીબ વણકર હતા.જ્યારે હાજી શરીઅતુલ્લાહ 18 વર્ષના હતા,ત્યારે તે મક્કા યાત્રા પર ગયા, જ્યાં તેમણે આધ્યાત્મિક લિપિનો વિસ્તૃત અભ્યાસ કર્યો અને વિદ્વત્તા પ્રાપ્ત કરી. મક્કામાં હાજી શરીઅતુલ્લાહ વહાબી આંદોલનના સ્થાપક સૈયદ અહમદ બરેલવી અને યોદ્ધા સૈયદ મીર નિસાર અલી (ટીટૂ મીર) ને મળ્યા જેમણે ભારતમાં વહાબી ચળવળમાં આક્રમણશીલતાનો ઉમેરો કર્યો. ત્રણેય લોકોએ ભારત જતાં પહેલાં તેમના આંદોલનનો માર્ગ નક્કી કર્યો. તેમના નિર્ણયોના પરિણામ સ્વરૂપે, હાજી શરિયતુલ્લાહ 1802 માં ફરીદપુર પહોંચ્યા. માતૃભૂમિ પરત ફર્યા પછી, તે ઢાકા (હાલના બાંગ્લાદેશની રાજધાની) નજીકના નવાબારી ગામમાં સ્થાયી થયા. આધ્યાત્મિક જ્ઞાન આપતી વખતે, તેઓ લોકોને બ્રિટીશ રાજના અંકુશમાંથી ગણતરીમાં મુક્ત થવા માટે આંદોલન તરફ લોકોને પ્રોત્સાહિત કરતા. તેમનું આંદોલન ‘ફરાઝી આંદોલન’ તરીકે જાણીતું હતું અને તેમના અનુયાયીઓ ઇતિહાસમાં ‘ફરાઝીઓ’ તરીકે જાણીતા હતા. જ્યારે તેમણે બંગાળમાં મોટા પ્રમાણમાં લાંબો પ્રવાસ કર્યો ત્યારે ખેડૂત, મજૂરો અને કારીગરોની મુશ્કેલીઓ જોવા મળી, જેમનું ઇસ્ટ ઇન્ડિયા કંપની, જમીનદારો,મહાજનો અને અધિકારીઓ દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું હતું. હાજી શરિયતુલ્લાએ લોકોને આ સમસ્યાઓથી મુક્ત કરવાનો નિર્ણય લીધો અને ક્રાંતિના માર્ગ પર આગળ વધ્યા. તેમણે ખેડુતો, મજૂરો,કારીગરો અને વિવિધ વર્ગના લોકોનો ટેકો મેળવ્યો. હાજી શરિયતુલ્લાએ લોકો વતી અંગ્રેજી શાસકો,જમીનદારો અને અંગ્રેજી ખેતમાલિકો સામે લડ્યા અને ઘણી વાર સફળ થયા. શરિયતુલ્લા કાનૂની બાબતોમાં ખૂબ સાવધ હોવાથી કોર્ટ અને કાયદાઓ તેમને પરેશાન કરી શક્યા ન હતા. હાજી શરિયતુલ્લાહના ઉપદેશો અને ફરાઝી આંદોલનથી લોકોને અરાજકતા સામે લડવામાં મદદ જ ન મળી, પણ તેમની વચ્ચે સ્વતંત્રતાની ઇચ્છાને પણ ભડકાવી. ફરાઝી ચળવળ લગભગ અડધી સદી સુધી સક્રિય હતી અને પછીથી તે બીજી અડધી સદી સુધી સ્વતંત્રતા ચળવળને પ્રભાવિત કરતી રહી. ફરાઝી ચળવળના માર્ગદર્શક-રાહચિંધક એવા, હાજી શરિયતુલ્લાહનું 1839 માં અવસાન થયું.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.



Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...