ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઘણા ક્રાંતિકારીઓ માટે પ્રેરણારૂપ બની રહેલી ફરાઝી ચળવળની આક્રમક રીતે આગેવાની કરનારા હાજી શરિઅતુલ્લાહનો જન્મ 1780 માં બંગાળના ફરીદપુર જિલ્લાના બહાદુર /બાંદરલાકોલા ગામમાં થયો હતો. તેમના પિતા અબ્દુલ ઝાલીબ વણકર હતા.જ્યારે હાજી શરીઅતુલ્લાહ 18 વર્ષના હતા,ત્યારે તે મક્કા યાત્રા પર ગયા, જ્યાં તેમણે આધ્યાત્મિક લિપિનો વિસ્તૃત અભ્યાસ કર્યો અને વિદ્વત્તા પ્રાપ્ત કરી. મક્કામાં હાજી શરીઅતુલ્લાહ વહાબી આંદોલનના સ્થાપક સૈયદ અહમદ બરેલવી અને યોદ્ધા સૈયદ મીર નિસાર અલી (ટીટૂ મીર) ને મળ્યા જેમણે ભારતમાં વહાબી ચળવળમાં આક્રમણશીલતાનો ઉમેરો કર્યો. ત્રણેય લોકોએ ભારત જતાં પહેલાં તેમના આંદોલનનો માર્ગ નક્કી કર્યો. તેમના નિર્ણયોના પરિણામ સ્વરૂપે, હાજી શરિયતુલ્લાહ 1802 માં ફરીદપુર પહોંચ્યા. માતૃભૂમિ પરત ફર્યા પછી, તે ઢાકા (હાલના બાંગ્લાદેશની રાજધાની) નજીકના નવાબારી ગામમાં સ્થાયી થયા. આધ્યાત્મિક જ્ઞાન આપતી વખતે, તેઓ લોકોને બ્રિટીશ રાજના અંકુશમાંથી ગણતરીમાં મુક્ત થવા માટે આંદોલન તરફ લોકોને પ્રોત્સાહિત કરતા. તેમનું આંદોલન ‘ફરાઝી આંદોલન’ તરીકે જાણીતું હતું અને તેમના અનુયાયીઓ ઇતિહાસમાં ‘ફરાઝીઓ’ તરીકે જાણીતા હતા. જ્યારે તેમણે બંગાળમાં મોટા પ્રમાણમાં લાંબો પ્રવાસ કર્યો ત્યારે ખેડૂત, મજૂરો અને કારીગરોની મુશ્કેલીઓ જોવા મળી, જેમનું ઇસ્ટ ઇન્ડિયા કંપની, જમીનદારો,મહાજનો અને અધિકારીઓ દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું હતું. હાજી શરિયતુલ્લાએ લોકોને આ સમસ્યાઓથી મુક્ત કરવાનો નિર્ણય લીધો અને ક્રાંતિના માર્ગ પર આગળ વધ્યા. તેમણે ખેડુતો, મજૂરો,કારીગરો અને વિવિધ વર્ગના લોકોનો ટેકો મેળવ્યો. હાજી શરિયતુલ્લાએ લોકો વતી અંગ્રેજી શાસકો,જમીનદારો અને અંગ્રેજી ખેતમાલિકો સામે લડ્યા અને ઘણી વાર સફળ થયા. શરિયતુલ્લા કાનૂની બાબતોમાં ખૂબ સાવધ હોવાથી કોર્ટ અને કાયદાઓ તેમને પરેશાન કરી શક્યા ન હતા. હાજી શરિયતુલ્લાહના ઉપદેશો અને ફરાઝી આંદોલનથી લોકોને અરાજકતા સામે લડવામાં મદદ જ ન મળી, પણ તેમની વચ્ચે સ્વતંત્રતાની ઇચ્છાને પણ ભડકાવી. ફરાઝી ચળવળ લગભગ અડધી સદી સુધી સક્રિય હતી અને પછીથી તે બીજી અડધી સદી સુધી સ્વતંત્રતા ચળવળને પ્રભાવિત કરતી રહી. ફરાઝી ચળવળના માર્ગદર્શક-રાહચિંધક એવા, હાજી શરિયતુલ્લાહનું 1839 માં અવસાન થયું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment