ખાન બહાદુર ખાન ઉત્તરપૂર્વીય ઉત્તરપ્રદેશ માં આવતા રોહિલખંડના શાસક હતા, જેઓ માતૃભૂમિને મુક્ત કરાવવા માટે બ્રિટીશરો વિરુદ્ધ લડ્યા હતા, તેમનો જન્મ 1781 માં થયો હતો. ઇસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા આપવામાં આવતી એક ઉચ્ચ અધિકારીની પોસ્ટને નકારી કાઢતાં, ખાન બહાદુર ખાને 70 વર્ષની ઉંમરે 31 મે, 1857 ના રોજ રોહિલખંડની રાજધાની બરેલી ખાતે અંગ્રેજો સામે બળવો કર્યો. તેમણે રોહિલખંડની જનતાને 'ભારતના લોકો' તરીકે સંબોધિત કરીને ઇતિહાસ રચ્યો અને તેમને હાકલ કરી કે : 'આપણી આઝાદીનો શુભ દિવસ ઉમટી પડ્યો છે.અંગ્રેજો છળકપટનો આશરો લઈ શકે છે. તેઓ મુસલમાનો વિરુદ્ધ હિન્દુઓને ઉશ્કેરવા માટે તેમના વધુમાં વધુ પ્રયાસો કરશે. મુસલમાન, જો તમે પવિત્ર કુરાનને માન આપશો, અને હિન્દુઓ, જો તમે ગાય માતાની પૂજા કરો છો, તો તમારા નાના-નાના મતભેદો ભૂલી જાઓ અને આ પવિત્ર યુદ્ધમાં જોડાઓ. એક રાષ્ટ્રધ્વજ હેઠળ લડવું અને તમારા લોહીના મુક્ત પ્રવાહથી હિન્દુસ્તાન ઉપર અંગ્રેજોના વર્ચસ્વને નેસ્તનાબૂદ કરવો’. ખાન બહાદુર ખાનના નેતૃત્વ હેઠળ, શોભારામ વડા પ્રધાન બન્યા હતા, જેઓ તેમની પ્રામાણિકતા માટે જાણીતા હતા, અને બખ્તખાન કમાન્ડર-ઇન-ચીફ બન્યા હતા. જ્યારે રોહિલખંડમાં સ્વતંત્રતાનું પ્રતીક ગ્રીન ફ્લેગ લહેરાવવામાં આવ્યું ત્યારે બ્રિટીશ શાસકો ચોંકી ગયા. ખાન બહાદુર ખાને હિન્દુઓ અને મુસ્લિમોમાં સુમેળ સુનિશ્ચિત કરવા વિવિધ પગલાં લેવામાં આવ્યા. તેમણે હિન્દુ તહેવારો દરમિયાન ગૌહત્યા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેમના ઘણા પ્રયત્નોના પરિણામ રૂપે, બ્રિટિશરો પોતાના સ્વાર્થ માટેના હિતો પૂરા કરવા માટે હિન્દુઓ અને મુસ્લિમોને વહેંચી શક્યા નહીં. બ્રિટિશ લોકોએ પણ તેમના અહેવાલોમાં આ વાત સ્વીકારી છે. અંતે, બ્રિટીશ સેનાપતિઓએ વિશાળ સૈનિકો સાથે બરેલીને ઘેરો ઘાલ્યો. ખાન બહાદુર ખાન પ્રતિકૂળ પરિસ્થિતિમાં અંતિમ ઘડી સુધી દુશ્મન સામે લડ્યા. તેઓ 5 મે, 1858 ના રોજ પોતાના નજીવા સૈનિકો સાથે નેપાળના જંગલોમાં પાછા ફર્યા. પરંતુ નેપાળના શાસક જંગ બહાદુર, જે બ્રિટિશ તરફી હતો, તેણે ખાન બહાદુર ખાનને અંગ્રેજોના હવાલે કર્યો. તેણે રોહિલખંડના નેતા બહાદુર ખાન અને 243 અન્ય લોકોને હવાલે કરવા પ્રયાસ કર્યો જેમણે ઇસ્ટ ઇન્ડિયા કંપની સામેની લડતમાં ભાગ લીધો હતો, અને તેમને ફાંસી આપી. આ બધાને 24 માર્ચ, 1860 ના રોજ બરેલીમાં બ્રિટીશ કમિશનરની જૂની ઓફિસ બિલ્ડિંગમાં એક મોટા વડના ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા હતા. માતૃભૂમિને સલામ કરતાં કરતાં, ખાન બહાદુર ખાન અને તેમના દેશબંધુઓ સાથે, માતૃભૂમિની માટીમાં ભળી ગયા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment