Skip to main content

સૈય્યદ મીર નિસાર અલી (1782-1832)


વહાબી ચળવળે ભારતમાં બ્રિટીશ શાસન સામે બળવાના ઇતિહાસમાં વિશેષ દરજ્જો મેળવ્યો,જ્યારે ટીટુ મીરે, જેનું અસલી નામ સૈયદ મીર નિસાર અલી હતું, તેમાં લડાયકશીલતા ઉમેરી. તે ભારતની સ્વતંત્રતા સંગ્રામની અનેક હિલચાલ માટે પ્રેરણારૂપ બન્યું. ટીટુ મીરનો જન્મ પશ્ચિમ બંગાળના નર્કેલબેરિયા પરગણા, હૈદરપુર ગામમાં 1782 માં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સૈયદ મીર હસન અલી અને માતાનું નામ આબીદા રૂકૈયા ખાતુન હતું. તે નાની ઉંમરે એક પ્રખ્યાત કુસ્તીબાજ હતા અને છૂટક-નાના કામોમાં રોકાયેલા રેહતા. સૈયદ મીર નિસાર અલી 1822 માં મક્કાની યાત્રાએ ગયા અને વહાબી ચળવળના સ્થાપક સૈયદ અહેમદ બરેલવી અને ફરાઝી ચળવળના સ્થાપક, હાજી શરિયતુલ્લાહને મળ્યા. ત્રણેય નેતાઓની બેઠકથી ‘વહાબી-ફરાઝી’ના ચળવળ વધુ મજબૂત બની હતી. મક્કાથી પરત આવ્યા પછી, તેઓ હૈદરપુર સ્થાયી થયા. તેમણે વિસ્તૃત મુસાફરી કરી અને ઇસ્ટ ઇન્ડિયા કંપની, જમિંદારો અને મહાજનોના અધિકારીઓના અત્યાચારો જોયા. સૈયદ મીર નિસાર અલી આ શોષણકારોની ચુંગલમાં સપડાયેલા લોકોની મુશ્કેલીઓના સાક્ષી રહ્યા.ટીટુએ આ શોષણનો અંત લાવવાનો નિર્ણય કર્યો અને તેમના આધ્યાત્મિક અભિયાનની સાથે વિદેશી શાસકો વિરુદ્ધ બળવા માટે લોકોને ઉશ્કેરવાની ઝુંબેશ હાથ ધરી. તેમણે બ્રિટિશ પોલીસ અને ઇસ્ટ ઇન્ડિયા કંપની સશસ્ત્ર દળો, જે જમિંદાર અને મહાજનોને સમર્થન આપતા હતા, સામે સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો. જમિંદારો અને તેમના માણસો દાઢી રાખવા પર અને મુસ્લિમોને પજવવા માટે વેરા વસૂલતા હતા. કંપનીના શાસકો દ્વારા લાદવામાં આવતા જુલમ કર અને સ્થાનિક જમિંદારોની અમાનવીય પ્રવૃત્તિઓનો વિરોધ કરતાં ટીટુ મીરે જાતે જ અનેક બળવાઓને દોર્યા હતા. ટીટુ મીર જમિંદારો, મહાજનો અને બ્રિટીશ દળ દ્વારા સામાન્ય લોકો પર થતા અત્યાચાર અને હુમલાઓથી ચિંતિત હતા. સૈયદ મીર નિસાર અલી એટલા હિંમતવાન હતા કે તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓને અને પોલીસને તેના હુમલાઓ વિશે અગાઉથી જ માહિતી આપતો હતો. તેમનો હિંમતવાન અભિગમ ગરીબોને પોતાની તરફ આકર્ષિત કરતો. કોઈ પણ પ્રકારની જાતિ-ધર્મના ભેદભાવ વગર હજારો લોકો તેમના બળવાઓમાં તેની પાછળ જોડાયા,પોલીસ અને બ્રિટીશ દળો સામે તેમના હકો માટે લડ્યા. ટીટુ મીરે નરકેલબારિયામાં વાંસનો કિલ્લો બનાવ્યો જ્યાં તેમણે તેમના અનુયાયીઓને સશસ્ત્ર સંઘર્ષ માટે તાલીમ આપી અને લગભગ એક દાયકા સુધી કંપનીના શાસકોને ભયમાં રાખી મૂક્યા. બ્રિટિશ સેનાપતિઓએ સૈયદ મીર નીસાર અલી (ટીટુ મીર) ના કિલ્લા પર 19 નવેમ્બર, 1831 ના રોજ નર્કેલબારિયા પર હુમલો કર્યો, જ્યાં તેઓ 1832 માં ઈજાઓના કારણે મૃત્યુ પામ્યા.

- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...