બ્રિટિશ છાવણીઓમાં ગભરાહટ પેદા કરનાર મૌલવી અહમદુલ્લાહ શાહ ફૈઝાબાદીનો જન્મ 1787 માં હાલના તમિળનાડુ રાજ્યના ચેન્નઇમાં થયો હતો. તેમના પિતાનું નામ મૌલવી મુહંમ્મદ અલી ખાન હતું. મૌલવીનું અસલ નામ સૈયદ એહમદઅલી ખાન હતું. તેમના આધ્યાત્મિક જ્ઞાનના કારણે તેમણે મૌલવીનું બિરુદ મેળવ્યું. લોકો દ્વારા તેમને મૌલવી માનવામાં આવ્યા અને આદર આપવામાં આવ્યું. તેમણે અન્ય શૈક્ષણિક અભ્યાસની સાથે માર્શલ આર્ટ્સની તાલીમ મેળવી. મૌલવી અહમદુલ્લાહ શાહ, હૈદરાબાદ નવાબ નિઝામના આમંત્રણ પર ઇંગ્લેન્ડ, ઇરાક, ઈરાન,મક્કા અને મદીનાની મુલાકાતે ગયા હતા. ભારત પાછા ફર્યા પછી, મૌલવી અહમદુલ્લાહ સુફી વિચારધારા તરફ આકર્ષાયા અને સૈયદ ફુરકાન અલી શાહના શિષ્ય બન્યા,જેમનો ‘કાદરી’ સિલસિલો હતો. અહમદુલ્લાહ શાહને તેમના પીર (ગુરુ) દ્વારા ગ્વાલિયર મોકલાયા જેથી લોકોમાં સુફી વિચારધારાનો પ્રચાર-પ્રાસાર કરવામાં આવે. લોકોને સૂફી ફિલસૂફીનો ઉપદેશ આપતી વખતે, તેઓ તેમને શોષણકારી વિદેશી શાસન સામે બળવો કરવાની પ્રેરણા પણ આપતા રહયા હતા. આનાથી બ્રિટિશ અધિકારીઓ ગુસ્સે થયા, જેમણે તેમને રાજદ્રોહના આરોપમાં કેદ કર્યા. દરમિયાન, 1857 નું ભારતીય સ્વતંત્રતાનું પ્રથમ યુદ્ધ શરૂ થયું. મૌલવી અહમદુલ્લાહ તેમાં ડૂબી ગયા અને ઇસ્ટ ઈન્ડિયા કંપનીના દળો સામે લડ્યા અને તેમની ઉપર ઘણીવાર જીત મેળવી. મૌલવી અહમદુલ્લાએ સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધમાં વ્યક્તિગત રીતે ઘણી લડાઇઓમાં ભાગ લીધો હતો, જે સરદાર હિક્મતુલ્લાહ (પૂર્વ ઇસ્ટ ઇંડિયા કંપનીના નાયબ કલેક્ટર), બેગમ હઝરત મહલ (અવધની રાણી), ખાન બહાદુર ખાન (રોહિલખંડના શાસક), ફિરોઝ શાહ (મોગલ રાજા) દ્વારા લડવામાં આવ્યા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ રૂ. 50,000, મૌલવી અહમદુલ્લાહને જીવતો કે મરેલો પકડવા માટે જાહેરાત કરી હતી.જ્યારે તે પોવેનના રાજા જગન્નાથ સિંહાને સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધમાં આમંત્રણ આપવા પોવેન ગયો હતો, ત્યારે જગન્નાથ સિંહાના લોભી ભાઈએ મૌલવીને ઠાર માર્યો હતો. મૌલવી અહમદુલ્લાહ શાહ ફૈઝાબાદી પોવેન ખાતે સિંહાની બાજુમાં હતો ત્યારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાદમાં, સિંહાના ભાઈએ મૌલવી અહમદુલ્લાહનું માથું કાપીને તેનું માથું કાપડથી ઢાંકી શાહજહાંપુર નજીકના બ્રિટીશ પોલીસ સ્ટેશને લઈ ગયો હતો. આ રીતે, મૌલવી અહમદુલ્લા શાહ ફૈઝાબાદીને 15 જૂન, 1858 ના રોજ શહાદત મળી. ‘પોવેનનો પશુ’, જેણે સૌથી વધુ દેશદ્રોહ કર્યો, તેને બ્રિટીશરો તરફથી રૂ 50,000-00 નું ઇનામ મળ્યું.મૌલવી અહમદુલ્લા શાહ ફૈઝાબાદીના મૃત્યુના સમાચારથી બ્રિટિશ સેનાપતિઓ ખુશ થઈ ગયા હતા. તેમને લાગ્યું કે તેઓ 'ઉત્તર ભારતમાં ઇસ્ટ ઈન્ડિયા કંપનીના ખુબ જ શક્તિશાળી દુશ્મનને પણ ખતમ કરવા માટે સક્ષમ છે.'
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment