1857 ની આઝાદીની જે લડત સિપાહીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી,ધીમે ધીમે દરેક ક્ષેત્રના જુદા જુદા લોકો આ લડતમાં ભાગ લેતા ગયા. કેટલાક વિદ્વાનોએ ભારતની આઝાદીની લડતમાં ભાગ લેવા તેમની પોતાની કલમોને વિદાય આપી અને હાથમાં તલવારો પકડી લીધી હતી. તેમાંના એક હતા મૌલવી લિયાકત અલી ખાન, જેમનો જન્મ 5 ઓક્ટોબર, 1817 ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જિલ્લાના છાયીલ તાલુકાના મ્હાગવ ગામમાં વણકર પરિવારમાં થયો હતો. તેમની માતાનું નામ અમીનાબી અને પિતાનું નામ સૈયદ મેહર અલી હતું. તેમણે નાનપણથી જ ધાર્મિક જ્ઞાન મેળવ્યું અને બ્રિટિશ વિરોધી વલણ વિકસાવ્યું. તે પહેલાં બ્રિટિશ સૈન્યમાં જોડાયા અને બ્રિટિશ વિરોધી વિચારોને ભારતીય સૈનિકોના મગજમાં બેસાડવાનું શરૂ કર્યું. ઇસ્ટ ઈન્ડિયા કંપનીના અધિકારીઓને આ વાતનો અહેસાસ થઇ ગયો અને તેમને સૈન્યમાંથી હાંકી કાઢ્યા. મૌલવી લિયાકત અલીએ કાયદેસરના અધિકારને સુરક્ષિત રાખવા એક તરફ લોકોને ધાર્મિક માર્ગદર્શન આપવા તેમના વતનના ગામ મ્હાગવથી પ્રવૃત્તિઓ ફરી શરૂ કરી અને બીજી તરફ પોતાનું શાસન ફરીથી સ્થાપિત કરવા બ્રિટીશરો સામે ન્યાયી યુદ્ધ કરવાની સલાહ આપી. તેમણે અલ્હાબાદમાં બ્રિટીશ વિરોધી જૂથોને એક કરવા માંડ્યા. તેમના પ્રયત્નોને થોડુક પરિણામ મળ્યું,તેમણે પોતાના દળ સાથે અલ્હાબાદ નગરમાં પ્રવેશ કર્યો, ઇસ્ટ ઈન્ડિયા કંપની દળ અને અધિકારીઓને હાંકી કાઢ્યા અને નગરનો કબજો મેળવ્યો. મૌલવીએ પોતાની જાતને દિલ્હી સમ્રાટ બહાદુર શાહ ઝફરનો પ્રતિનિધિ જાહેર કર્યો અને હેડ ક્વાર્ટર્સ તરીકે કૌસરબાગથી શહેરનો વહીવટ ચલાવ્યો. તેમણે એક ગીત લખ્યું હતું ‘પયામ-એ-અમલ’ જેણે બ્રિટીશ શાસનના દુષ્કર્મોને ઉજાગર કર્યું અને હિન્દુ - મુસ્લિમ - શીખ એકતા કરવા ઉપરાંત દેશવાસીઓ અને ખાસ કરીને બ્રિટિશ સૈન્યમાં ભારતીય સૈનિકોમાં દેશભક્તિની પ્રેરણા ભરી હતી.આ કવિતાને અન્ય એક સ્વાતંત્ર્ય સેનાની અઝિમુલ્લાહ ખાને સંપાદિત કરી ઉર્દૂ સામયિક ‘પયામ-એ-આઝાદી’ માં પ્રકાશિત કરી હતી. ઇસ્ટ ઈન્ડિયા કંપનીના જનરલ નેઈલે જરૂરી દળોને એકઠા કર્યા અને 11 જૂન 1857 ના રોજ લિયાકત અલીના હેડ ક્વાર્ટર્સ પર હુમલો કર્યો. મૌલવીએ અંત સુધી લડત આપી હતી, પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં 17 જૂને યુદ્ધનું ક્ષેત્ર છોડી દીધું હતું. કંપનીના અધિકારીઓએ તેમના માથે એક મોટું ઈનામ જાહેર કર્યું. મૌલવી 14 વર્ષના સમયગાળા સુધી પકડથી દુર રહ્યા. પછીથી,કોઈક દેશદ્રોહીની સૂચનાથી, તેને બ્રિટિશ સૈન્યે પકડ્યો. ત્યારબાદ ચાલેલ ટ્રાયલમાં, સ્પષ્ટપણે જાહેર કર્યું કે તેણે ફક્ત બ્રિટિશરોના ચુન્ગલમાંથી તેની માતૃભૂમિને છોડાવવા માટે હથિયારો ઉપાડ્યા હતા. ટ્રાયલ પછી, મૌલવી લિયાકત અલી ખાનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને તેમને અંદમાનમાં સોંપવામાં કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે 17 મે, 1892 ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment