મૌલાના પીર અલી ખાન, જેમણે બ્રિટિશ સૈન્ય દળની વિરુદ્ધ લડત આપી હતી અને જાહેર કર્યું હતું કે માતૃભૂમિની મુક્તિ માટે પોતાની જાતનું બલિદાન આપવું તે દરેક દેશવાસી માટે દેશ પ્રત્યેના પ્રેમનો પુરાવો છે, તેમનો જન્મ બિહારના આઝમબાદ જિલ્લાના મુહંમ્મદપુર ગામમાં 1820 માં થયો હતો. પિતાનું નામ મોહર અલી ખાન હતું. એક યુવાન તરીકે, પીર અલી, જ્ઞાનની તરસ છીપાવવા માટે તેમનું ગામ છોડીને અરબી, ફારસી અને ઉર્દૂ ભાષાઓમાં નિપુણતા પ્રાપ્ત કરી અને અંતે એક પુસ્તક વેચનાર તરીકે પટણા સ્થાયી થયા. ઇંગ્લિશ શાસકો દ્વારા કરવામાં આવતા અતિરેકના વિરોધને લીધે તેઓ સ્થાનિક ક્રાંતિકારી સમિતિના સભ્ય બનવા માટે આગળ ધપી ગયા. તેમણે બ્રિટીશ સરકારના એક અધિકારી, મૌલવી મુહંમદીને શસ્ત્રો મેળવવામાં મદદ કરવા સમજાવ્યા, જેની સાથે તેમણે દાનાપુર ખાતેના અંગ્રેજી આર્મી કેમ્પ પર સાહસિક હુમલો કર્યો. આથી નારાજ, બ્રિટિશ સૈન્ય અધિકારીઓએ તેમની 4 જુલાઈ, 1857 ના રોજ ક્રાંતિકારી પરિષદના અન્ય 43 સભ્યોની સાથે ધરપકડ કરી. મૌલાના અને તેના પક્ષના સભ્યો વિરુદ્ધ કરવામાં આવેલા કેસની સુનાવણીને ઇતિહાસમાં Patna Conspiracy Case (‘પટના કાવતરું કેસ’) તરીકે ઓળખવામાં આવ્યું. આ કિસ્સામાં, મૌલાના અને તેના નવ અનુયાયીઓને વિલિયમ ટાયર દ્વારા ફાંસીની સજા આપવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન અને કસ્ટડીમાં મૌલાનાને તેની ક્રાંતિકારી પરિષદના સભ્યોને ફરીથી આ કાવતરા બાબતે માહિતી કઢાવવા માટે ત્રાસ આપવામાં આવ્યો હતો. તેમના શરીર પર રક્ત ઇજાઓ હોવા છતાં પણ તેમણે મોં ખોલ્યું ન હતું. છેવટે તેમણે હિંમતપૂર્વક જાહેર કર્યું : ‘‘કોઈ વ્યક્તિના જીવનને બચાવવા માટે કેટલીક વખત ચાલાકીપૂર્વક વર્તવું પડે છે; પરંતુ જીવ બચાવવું તે બધા જ પ્રસંગોમાં મહત્વનું નથી. કેટલીક વાર, કોઈકે માતૃભૂમિ માટે બલિદાન આપવું પડે છે. અને પછી તે બલિદાન એ માતૃભૂમિ પ્રત્યેના પ્રેમનો પુરાવો હશે ... તમે મારા સાથીદારોને મારી આંખો સમક્ષ ફાંસી આપી હતી..તમે હજી ઘણાને ફાંસીએ લટકાવશો. તમે મને પણ મારી નાંખશો ... પણ એક વાત યાદ રાખજો માતૃભૂમિને મુક્ત કરવા માટે લોહી વહેવડાવવા તૈયાર થયેલા માટીના આ પુત્રોને તમે અથવા કોઈ શક્તિ દબાવી શકશો નહી. આ યુદ્ધમાં અમે લોહીના ટીપા રેડ્યા છે જે અમારા દેશના સ્વતંત્ર લડવૈયાઓમાં જોશની આગ પ્રગટાવશે. તમારી સરકાર અને તમે ચોક્કસ ગુસ્સાની આ જ્વાળાઓમાં રાખ થઈ જશો.” મૌલાનાને ફાંસીની સજા સંભળાવનારા વિલિયમ ટેલરે આ બહાદુર ઘટનાની વિગતો નોંધી હતી. આ બદનામીભર્યા જવાબથી ગુસ્સે થઈને, અંગ્રેજી અધિકારીએ તેના હાથ અને પગ પર કડક હાથકડી, બેડીઓ તૈયાર કરાવી, પહેરાવી અને તેમને વધુ શૈતાની રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો,પરંતુ મૌલાના પીરઅલી ખાન છેલ્લી ક્ષણ સુધી ફાંસીના માંચડા પર ચડાવવામાં આવે છે ત્યાં સુધી તેમણે લટકાવેલા ફાંસીના દોરડાને આવનારા મૃત્યુને આવકારી સન્માન સાથે ચુંબન કર્યું હતું અને 7 જુલાઈ, 1857 ના દિવસે શહીદ થયા હતા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment