1857 ના વિદ્રોહની અગ્રણી મહિલા બેગમ હઝરત મહેલનો જન્મ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદમાં 1830 માં થયો હતો. તેણીનું અસલી નામ મુહંમદી ખાનુમ હતું. તેણીના પિતાનું નામ ગુલામ હુસૈન. પોતાની નાની ઉંમરે જ, તેણીએ સાહિત્યમાં સારી પ્રતિભા બતાવી. તેણીના લગ્ન અવધના નવાબ વાજિદ અલી શાહ સાથે થયા હતા. તેઓને એક પુત્ર મિર્ઝા બિરજિસ ખાદીર બહાદુર રુપે આશીર્વાદ મળ્યો. 13 ફેબ્રુઆરી, 1856 ના રોજ, બ્રિટીશ સૈનિકોએ વાજિદ અલી શાહને કેદ કરી 13 માર્ચે કલકત્તા મોકલ્યા અને અવધ પર ગેરકાયદેસર કબજો કર્યો. આનાથી લોકો અને મૂળ શાસકો ચિંતાતુર થયા. તેઓએ બેગમ હઝરત મહેલના નેતૃત્વ હેઠળ અંગ્રેજો વિરુદ્ધ બળવો કર્યો. મૂળ શાસકો અને લોકો 31 મે, 1857 ના રોજ અવધની રાજધાની લખનૌના છાવણી વિસ્તારમાં મળ્યા અને સ્વતંત્રતાની ઘોષણા કરી. તેઓએ બ્રિટીશ સૈન્યને પાઠ ભણાવ્યો અને લખનઉમાં તેમની સત્તાનો અંત કર્યો. પાછળથી, બેગમ હઝરત મહેલે તેમના પુત્ર બિરજિસ ખાદીરને 7 જુલાઈ, 1857 ના રોજ અવધના નવાબ તરીકે ઘોષિત કર્યા. રાજાની માતા તરીકે, તેમણે 1,80,000 સૈનિકો ભેગા કર્યા અને મોટા પ્રમાણમાં પૈસા ખર્ચ કરીને લખનૌના કિલ્લાનું નવીનીકરણ કર્યું. રાજ્યના સુશાસન માટે તેમણે ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરી જેમાં તેમણે મમ્મુ ખાન, મહારાજા બાલકૃષ્ણ, બાબુ પૂર્ણચંદ, મુનશી ગુલામ હઝરત, મુહંમદ ઇબ્રાહિમ ખાન, રાજા માનસિંહ, રાજા દેશીબક્ષ સિંહ, રાજા બેની પ્રસાદ અને અન્ય સભ્યોની નિમણૂક કરી.મુખ્ય પ્રધાન તરીકે શરાફ-ઉદ-દૌલા અને કલેક્ટર તરીકે રાજા જૈલ લાલ સિંહની નિમણૂક કરવામાં આવી હતી. હઝરત મહલે લગભગ દસ મહિના સુધી તેમના પુત્ર વતી રાજ્ય કર્યું,લોકો અને સાથી વતન શાસકોમાં દેશભક્તિની પ્રેરણા ભરીને બ્રિટીશ સૈન્યને પડકાર્યો. તેણીએ 31 ડિસેમ્બર, 1818 ના રોજ ઐતિહાસિક નિવેદન જારી કર્યું હતું, જેમાં 1 નવેમ્બર,1858 ના રોજ રાણી વિક્ટોરિયા દ્વારા જાહેર કરાયેલ જાહેરાતને પડકારવામાં આવ્યું. પરંતુ, જ્યારે દિલ્હી, સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધના મુખ્ય કેન્દ્ર પર કબજો કરવામાં આવ્યો, ત્યારે બ્રિટિશ સૈનિકો દ્વારા ઘેરાયેલા હતા અને માર્ચ 1859 માં લખનૌ પર હુમલો કર્યો. કંપનીના સૈનિકો અને બેગમના સૈનિકો વચ્ચે ભીષણ યુદ્ધ થયું. જ્યારે હાર અનિવાર્ય બની ગઈ ત્યારે બેગમ હઝરત મહેલ નાના સાહેબ પેશ્વા જેવા સહ-ક્રાંતિકારી નેતાઓ સાથે નેપાળના જંગલોમાં પાછા ફર્યા. બ્રિટિશ શાસકોએ તેણીને લખનૌ પાછા ફરવા માટે મોટી રકમ અને વૈભવી સુવિધાઓ ઓફર કરવામાં આવીં. પરંતુ, બેગમે તે લોભ-લાલચને નકારી અને સ્પષ્ટ કરી દીધું કે સ્વતંત્ર અવધ રાજ્ય સિવાય બીજું કંઇ તેમને સ્વીકાર્ય નથી. બેગમ હઝરત મહેલ તેમના અંતિમ શ્વાસ સુધી તેમના રાજ્યની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહી હતી. 7 એપ્રિલ, 1879 ના રોજ તેણીનું નેપાળના કાઠમંડુ ખાતે નિધન થયું. 1984 માં ભારત સરકારે તેણીના માનમાં ટપાલ ટિકિટ જાહેર કરી હતી.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment