મુસ્લિમોના વિકાસ માટે શિક્ષણ ઉપરાંત રાજકીય સત્તામાં ભાગીદારી ખૂબ જ જરૂરી હોવાનું માનનારા નવાબ વકાર-ઉલ-મુલ્કનો જન્મ 24 માર્ચ, 1841 ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તેમનું અસલી નામ શેખ મુસ્તાક હુસૈન હતું. પારંપરિક શિક્ષણ પુરૂ થયા પછી, તે સરકારી શાળામાં જોડાયા. તે જે શાળામાં ભણ્યા તે જ શાળામાં શિક્ષક બન્યા. પાછળથી, તેમણે બ્રિટિશ સરકારમાં અધિકારી તરીકે ફરજ બજાવી. હૈદરાબાદના નિઝામે તેમને ‘નવાબ મુસ્તાક હુસેન વકાર-ઉલ-મુલ્ક’ પદવી આપીને સન્માનિત કર્યા. બાદમાં તે ‘નવાબ વકાર–ઉલ-મુલ્ક’ તરીકે પ્રખ્યાત થયા. તેઓ 1861 માં સર સૈયદ અહેમદ ખાનને મળ્યા, ત્યારબાદ, તેમણે પછીથી અલીગઢમાં ચાલતી ‘મુહંમદન એંગ્લો - ઓરિએન્ટલ કોલેજ’ ની પ્રવૃત્તિઓમાં મદદ કરવાનું શરૂ કર્યું. નિઝામના નવાબના આમંત્રણ પર, તેઓ 1875 માં પ્રથમ ગ્રેડ અધિકારી તરીકે હૈદરાબાદ રાજ્યની સેવામાં જોડાયા. નિઝામ, જેમણે તેમની પ્રતિભાઓને માન્યતા આપી, તેમને કાયદા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. તેમના 1878 માં ન્યાયપાલિકામાં સુધારા સૂચવતા રજૂ કરેલા અહેવાલની પ્રશંસા કરવામાં આવી હતી. નવાબ વકાર- ઉલ-મલ્ક નિઝામ સરકારની સેવામાંથી પાછા ફર્યા પછી તેમના વતનના ગામ અમરોહામાં થોડો સમય પસાર કર્યો. બાદમાં, તે 1900 માં ઉર્દૂ ભાષાના રક્ષણ માટેના આંદોલનમાં જોડાયા,જેની શરૂઆત નવાબ મોહસીન-ઉલ-મુલ્ક દ્વારા કરવામાં આવી હતી. તેમણે સત્તાના રાજકારણમાં મુસ્લિમોની ભાગીદારીની વિનંતી કરી કારણ કે તેમના લોકશાહી અધિકારોના અમલીકરણ માટે તે જરૂરી હતું. તેમણે 1901 માં ‘મુહંમદન એંગ્લો - ઓરિએન્ટલ ડિફેન્સ એસોસિએશન’ નું નવીનીકરણ કર્યું હતું. નવાબ વકાર –ઉલ-મુલ્ક એવા મુસ્લિમ પ્રતિનિધિઓમાંના એક હતા જેમણે ઓક્ટોબર 1906 માં વાઇસરોયને મુસ્લિમો માટે રાજકીય પ્રતિનિધિત્વની અપીલ કરી હતી. દરમિયાન, ઢાકાના નવાબ સલીમુલ્લાએ ડિસેમ્બર 1906 માં અખિલ ભારતીય મુહંમદન શૈક્ષણિક પરિષદનું આયોજન કર્યું હતું. ઢાકા પરિષદના સમાપન દિવસે, નવાબ સલીમુલ્લાહ દ્વારા સૂચિત મુજબ ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની રચના કરવામાં આવી હતી અને તેને હકીમ અજમલ ખાને ટેકો આપ્યો હતો. નવાબ વકાર-ઉલ-મુલ્કે મુસ્લિમ લીગની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ત્યારથી, તેમણે પોતાનું બાકીનું જીવન ‘મુહંમદન એંગ્લો - ઓરિએન્ટલ કોલેજ’ અને ‘ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ’ ના વિકાસ માટે સમર્પિત કર્યું. આ બધી પ્રવૃત્તિઓમાં વ્યસ્તતાને કારણે તેમણે સ્વાસ્થ્યની કાળજી લીધી ન હતી,27 જાન્યુઆરી, 1917 ના રોજ તેમનું નિધન થયું હતું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment