જસ્ટિસ બદરૂદ્દીન તૈયબજીનો જન્મ 8 ઓક્ટોબર, 1844 ના રોજ મહારાષ્ટ્રના બોમ્બેમાં થયો હતો. તે એવા પરિવારમાંથી હતા જેમની ત્રણ પેઢીઓએ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમના પિતાનું નામ તૈય્યબ અલી અને માતાનું નામ અમીના તૈય્યબજી. તૈયબ અલી, જેમણે ઘરેલું અને વિદેશી વેપાર બંનેને પોતાનો વ્યવસાય-સામ્રાજ્ય બનાવ્યું હતું, તેમણે બાળકોને અંગ્રેજી શિક્ષણ આપ્યું. બદરૂદ્દીન ઉર્દૂ, ફારસી, અરબી, ગુજરાતી, મરાઠી અને નાની ઉંમરે થોડું અંગ્રેજી શીખ્યા. તેમણે 1865 માં મોતી બેગમ સાથે લગ્ન કર્યા. તૈયબજી બાર-એટ-લોનો અભ્યાસ કરવા માટે લંડન ગયા. તે ભારત પરત આવ્યા અને બોમ્બેમાં કાયદાની પ્રેક્ટિસ શરુ કરી અને બોમ્બેમાં તે દિવસોમાં સહુથી વધુ ફી ચુકવાતા બેરીસ્ટર બન્યા. તેમના મિત્રો ફિરોઝ શાહ મહેતા અને કાસિનાથ તેલંગ સાથે, તેમણે 1871 માં લોકો વતી આંદોલન કરીને જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. ત્રણેય મિત્રો ‘ત્રણ સ્ટાર્સ’ તરીકે જાણીતા હતા. તેઓ 1873 માં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર બન્યા અને બાદમાં બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં સભ્ય બન્યા. તેમણે બ્રિટિશરોની ભેદભાવપૂર્ણ નીતિઓનો વિરોધ કર્યો. ડિસેમ્બર 1885 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક સભ્યોમાંના એક તરીકે, તેમણે પોતાને ભારતની સ્વતંત્રતાના હેતુ માટે સમર્પિત કર્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેની નીતિ નિર્માણમાં પ્રભાવશાળી હતા. તેમણે સર સૈયદ અહેમદ ખાન, સૈયદ અમીર અલી અને નવાબ અબ્દુલ લતીફની દલીલોને પણ નકારી કાઢેલી જેમણે મુસ્લિમોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. ન્યાયાધીશ બદરૂદ્દીન તૈય્યબજીએ 1887 માં મદ્રાસ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રીજા અધિવેશનની અધ્યક્ષતા કરી હતી. તેમણે 1895 માં બોમ્બે હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ ન બન્યા ત્યાં સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મજબૂત બનાવવા માટે સખત મહેનત કરી. તેમણે મુસ્લિમોના વિકાસ માટે સામાજિક-આર્થિક, શૈક્ષણિક સુધારાની માંગ કરી. તેઓ દ્રઢપણે માનતા હતા કે મહિલાઓ માટે આધુનિક શિક્ષણ માત્ર તેમના વિકાસ માટે જ નહીં, પરંતુ સમગ્ર મુસ્લિમ સમુદાયના વિકાસ માટે પણ જરૂરી છે. આથી તેમણે અનેક સમાજ સેવી અને શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી. તેઓ 1902 માં બોમ્બે હાઈકોર્ટના કામચલાઉ ચીફ જસ્ટિસ બન્યા, બાદમાં 1906 માં તેઓ પૂર્ણકાલીન ન્યાયમૂર્તિ બન્યા. ન્યાયશાસ્ત્રી અને રાષ્ટ્રવાદી તરીકે દેશની સેવા કરનાર તે પ્રથમ ભારતીય હતા. ન્યાયમૂર્તિ બદરૂદ્દીન તૈયબજી, જેમને ‘પહેલા ભારતીય તરીકે, પછી મુસ્લિમ અને અંતે એક સર્વવ્યાપક માનવી’ માનવામાં આવ્યા, 19 ઓગસ્ટ, 1906 ના રોજ ઈંગ્લેન્ડમાં અવસાન પામ્યા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment