અવધના નવાબ વાજીદઅલી શાહ અને બેગમ હઝરત મહલના પુત્ર મિર્ઝા બિરજિસ કાદિર બહાદુરનો જન્મ 1845 માં થયો હતો. તેમનું મૂળ નામ મુહંમદ રમઝાન અલી બહાદુર હતું. તેમણે અવધ પાછું મેળવ્યું હતું જેના પર બ્રિટિશરો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો હતો અને તેમની માતા બેગમ હઝરત મહલની દેખરેખ હેઠળ 7 જુલાઈ, 1857 ના રોજ ખૂબ જ નાની ઉંમરે અવધના શાસક બન્યા હતા. બેગમ હઝરત મહલના સક્ષમ નેતૃત્વ હેઠળ સ્થાનિક લડવૈયાઓ, મૂળ શાસકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ બહાદુરીના કારણે બ્રિટિશરો લખનૌથી પીછેહઠ કરી ગયા. બાદમાં, મિર્ઝા બિરજિસ કાદિરને અવધનો નવાબ જાહેર કરાયો. તેમણે લગભગ 10 મહિના અવધ પર રાજ કર્યું. જ્યારે પહેલી નવેમ્બર 1858 ના રોજ રાણી વિક્ટોરિયાની ઘોષણા પ્રકાશિત થઈ,તો સામે 31 ડિસેમ્બર, 1858 ના રોજ બિરજિસ કાદીરના નામે પ્રતિવાદમાં ઘોષણા કરાઈ. બ્રિટિશ સેનાપતિ બિરજીસ કાદિર તરફથી કરવામાં આવેલ પડકાર સહન કરી શક્યા નહીં. પરિણામે, બ્રિટિશ સેનાપતિઓ કોલિન કેમ્પબેલ, હેવલોક, જેમ્સ આઉટરમ અને અન્ય લોકોએ સૈનિકોના ભારે સૈન્ય સાથે લખનૌને ઘેરી લીધું હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી શીખ અને ગુરખાઓ લડ્યા. જોકે લખનઉ અને અવધ સૈનિકોએ તેમની કક્ષાએ શ્રેષ્ઠ લડત આપી હતી, તેમ છતાં તેઓ યુદ્ધ જીતી શક્યા ન હતા. બીજો કોઈ વિકલ્પ નહીં બચતાં બિરજીસ કાદિર અને બેગમ હઝરત મહલને નેપાળના જંગલોમાં પાછા જવું પડ્યું. બેગમનું 1879 માં નેપાળમાં નિધન થયું હતું અને બાદમાં નવાબ વાજીદ અલી શાહનું પણ કલકત્તા ખાતેની ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જેલમાં અવસાન થયું હતું. વાજિદ અલી શાહના મૃત્યુ પછી, બ્રિટિશરોએ બિરજિસ કાદિર અને તેમના પરિવારને ખતમ કરવા કાવતરું ઘડ્યું હતું. તેઓએ તેમને ચર્ચા માટે કલકત્તા બોલાવ્યા. બ્રિટીશરોના ઘડાયેલ બદઇરાદાથી અજાણ, બિરજીસ કાદિર પરિવાર સાથે કલકત્તા પહોંચ્યા. તેમના પુત્ર ખુર્શીદ કાદિર અને પુત્રી જમાલ આરા બેગમ સાથે મળીને, 13 ઓગસ્ટ, 1893 ના રોજ બ્રિટિશરોએ રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું; તેઓને ઝેરી ખોરાક પીરસાયો. તેનું સેવન કર્યા બાદ ત્રણેયનું મોત નીપજ્યું હતું. જો કે, બિરજીસ કાદિરની પત્ની મોહબ્બત આરા બેગમ અને નાની પુત્રી હુસ્ન અદા બેગમ બચી શકી હતી, કેમ કે તેઓ રાત્રિભોજનમાં સામેલ થયા ન હતા. આમ, મિર્ઝા બિરજિસ કાદિર બહાદુર 14 ઓગસ્ટ, 1892 ના રોજ અંગ્રેજોના કપટ ષડયંત્રનો શિકાર બન્યા હતા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment