ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પુરુષોની સમકક્ષ સક્રિય ભાગ લેનાર મહિલા અબાદી બાનો બેગમનો જન્મ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના અમરોહા ગામમાં 1852 માં થયો હતો. તેણીના લગ્ન પ્રીન્સ્લી સ્ટેટ રામપુરના અબ્દુલઅલી ખાન સાથે થયા હતા.તેણીએ નાની ઉંમરે પતિને ગુમાવ્યા હતા,ફરીથી લગ્ન કર્યા નહીં. તેણીને બે પુત્રો મૌલાના મુહંમદ અલી, મૌલાના શૌકત અલી હતા, જે ‘અલી બ્રધર્સ ’ તરીકે પ્રખ્યાત હતા. તેણીએ ભારતીય સ્વતંત્રતા ચળવળના યાદગાર નેતાઓ બનાવવા માટે તેમના બાળકોનું એ પ્રમાણે ઉછેર કર્યો. તેણીની સ્વતંત્રતા ચળવળમાં સામેલ થવાની શરૂઆત હોમ રુલ ચળવળથી થઈ હતી, જેમાં તેણીએ નૈતિક અને સૌથી અગત્યનું, આર્થિક ટેકો આપ્યો હતો. જ્યારે ભારતીય સંરક્ષણ નિયમનો હેઠળ બ્રિટિશ સરકારે ચિંદનવાડ ગામમાં અલી બ્રધર્સની અટકાયત કરી ત્યારે તે તેમની સાથે ગઈ હતી. જ્યારે એક પોલીસ અધિકારીએ તેમના પુત્રોને શરણાગતિ માટે પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેણીએ જડતાથી એમ કહીને ઇનકાર કરી દીધો : ‘જો મારા પુત્રો સરકારની દરખાસ્તને સ્વીકારે તો હું તેમને ગળું દબાવીને મારી નાખીશ. હું આશા રાખું છું કે ખુદા આ વૃદ્ધ મહિલાના હાથોને પૂરતી તાકાત આપે’. અબાદી બાનો પ્રથમ વખત 1917 માં મહાત્મા ગાંધીને મળ્યા હતા.એ પછી તો મહાત્મા ગાંધી હંમેશાં તેમને ‘અમ્મીજાન’ કહીને સંબોધન કર્યું હતું, અને અન્ય તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓએ ગાંધીજીના સંબોધનને અનુસર્યું હતું. તેણીએ મહાત્મા ગાંધી અને અન્ય ખિલાફત નેતાઓને ભારતના પ્રવાસ માટે તમામ આર્થિક મદદ કરી. તેણીએ કલકત્તા ખાતે આયોજિત 1917 માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના અધિવેશનમાં ભાગ લીધો હતો. તે બેઠકોમાં તેણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતા દ્વારા જ સંપૂર્ણ સ્વતંત્રતા હાંસલ કરી શકાશે. તેણીએ 1919 માં ખિલાફત અને અસહકાર આંદોલનમાં રચનાત્મક ભૂમિકા પણ નિભાવી હતી.ઘણી બેઠકોમાં જાહેર કર્યું હતું કે 'તેણીની મહત્વાકાંક્ષા હતી કે દેશના કુતરાઓ અને બિલાડીઓ પણ બ્રિટિશરોની ગુલામી હેઠળ ન રહેવા જોઇએ.' તેથી જ બ્રિટિશ સરકારના અધિકારીએ તેણીને એક 'ખતરનાક વ્યક્તિ' ગણાવી હતી, જેના કારણે તેણીએ વસાહતી શાસન પર પડકાર ફેંક્યો હતો. રાજનીતિમાં ભાગ લેવા ઉપરાંત તેણીએ સમગ્ર ભારતના અનેક મહિલા સંગઠનોને માર્ગદર્શન પણ આપ્યું હતું. એટલી તીવ્ર દેશભક્તિ અને રાષ્ટ્રવાદની ભાવનાથી ભરપુર હતાં કે વૃદ્ધાવસ્થા, માંદગી અને પોલીસના ક્રૂર અત્યાચારની પરવા જરાય કરતા નહીં. રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવનારા ભારતમાતાનાં મહાન ‘અમ્મીજાન’ અબાદી બાનો બેગમે 13 નવેમ્બર, 1924 ના રોજ અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment