મુલ્લા અબ્દુલ કય્યુમ ખાનનો જન્મ 1853 માં મદ્રાસમાં થયો હતો. તેઓ શકિતશાળી બ્રિટીશરો અને નિઝામ સામે લડવા લોકોને જાગૃત કરનારાઓ અગ્રણીઓમાંના એક હતા. નાનપણમાં તેમના માતાપિતા હૈદરાબાદ સ્થાયી થયા હતા. દારૂલ-ઉલૂમમાં ફારસી અને ઉર્દુ શીખ્યા પછી તેમણે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું. તે એક કર્મચારી તરીકે હૈદરાબાદના રજવાડામાં જોડાયા અને ટૂંક સમયમાં ઉચ્ચ પદ પર પહોંચી ગયા. તેઓ 1880 માં પ્રખ્યાત કવયિત્રી સરોજિની નાયડુના પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાયને મળ્યા. તેમની વચ્ચે વિકસિત મિત્રતા હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે રહી અને હૈદરાબાદ રાજ્યની અનેક ઐતિહાસિક ઘટનાઓ તરફ દોરી ગઈ હતી. અબ્દુલ કય્યુમને નાનપણથી જ જાહેર સેવામાં રસ હતો. તેમણે શિક્ષણ અને જ્ઞાન ફેલાવવાને પ્રાધાન્ય આપ્યું અને તે માટે વિવિધ સંઘઠનો અને સંસ્થાઓની સ્થાપના કરી. અબ્દુલ કય્યુમ ખાને ડો.અઘોરનાથની સાથે "એન્ટી-ચંદા રેલ્વે પ્રોજેક્ટ એજીટેશન" માં સક્રિય ભાગ લીધો હતો અને આ સાથે, તેમણે સામાન્ય લોકોમાં જાગૃતિ પેદા કરી કે તેઓ નિઝામના આદેશોનું અનાદર કરશે, જો તેઓ મોટા પાયા પર લોકોના કલ્યાણ માટે કામ નહિ કરે.. આ કારણોસર, તેમણે નિઝામ દ્વારા હાલાકીનો સામનો કર્યો અને થોડા સમય માટે હૈદરાબાદ રાજ્યમાંથી દેશનિકાલ કરવામાં આવ્યા.1885 માં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાનારા હૈદરાબાદ રાજ્યના પ્રથમ મુસ્લિમ નેતા તરીકે ઇતિહાસ રચ્યો. સર સૈયદ અહેમદ ખાનના નેતૃત્વ હેઠળના કોંગ્રેસ વિરોધી અભિયાનનો સામનો કરવા તેમણે ‘સેફાયર-એ-ડેક્કન’ નામના અખબારમાં નિબંધ લખ્યા. તેમણે તેમના ટીકાકારોને ચૂપ કરવા માટે 1905 માં એક પેમ્ફલેટ પ્રકાશિત કર્યું. તેમણે માત્ર મુસ્લિમોને જ નહીં પરંતુ તમામ લોકોને નિઝામના આદેશોની અવગણના કરવા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાવા હાકલ કરી હતી. 1905 માં બંગાળના ભાગલા વિરુદ્ધના આંદોલનમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને સ્વદેશી આંદોલનને વેગ અને ઉત્સાહ આપ્યો હતો. સાંપ્રદાયિક સુમેળને પ્રોત્સાહન આપવાના તેમના કાર્ય માટે, તેમણે માત્ર 'હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રણેતા' તરીકે નહીં, પણ 'હિન્દુ-મુસ્લિમ એકતાના મૂર્ત સ્વરૂપ' તરીકે પણ લોકોમાં ખુબ નામના મેળવી. તેમના સમાનતાવાદી વિચારો, દેશભક્તિના ઉત્સાહ, વૈશ્વિક ભાઈચારાના આદર્શો સરોજિની નાયડુને 'એક મહાન મુસ્લિમ, એક મહાન ભારતીય અને મહાન માનવી' તરીકે વર્ણવવા માટે પ્રભાવિત કર્યા. આવા મહાન દેશભક્ત મુલ્લા અબ્દુલ કય્યુમ ખાને 27 ઓક્ટોબર, 1906 ના રોજ અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment