Skip to main content

મૌલવી અલી મુસલિયાર (1853-1922)


મૌલવી અલી મુસલિયાર, જેમણે ‘મલબાર મોપલાહ રિવોલ્ટ’ની રાષ્ટ્રીય ભાવનાથી આગેવાની કરી, ,જેનો આશરે 120 વર્ષનો જુનો ઇતિહાસ છે, તેમનો જન્મ કેરળના ઇસ્ટ મંજેરી જિલ્લાના પંડિકક્ડ નજીક નેલ્લીકુટ્ટુ ગામમાં 1853 માં થયો હતો. તેમના પિતાનું નામ ઇરીકકુનન પલ્લટ્ટુ મલયાલી કુંચી મોહિદ્દિન અને માતાનું નામ અમીના. મૌલવી મુસલિયારનું પ્રાથમિક શિક્ષણ તેમના મૂળ વતનમાં થયું હતું અને પછીથી તેઓ મક્કા ગયા, જ્યાં તેમણે આધ્યાત્મિક શિક્ષણ મેળવ્યું. વતન પરત ફર્યા પછી, તેમણે શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે બ્રિટિશ સરકારના અધિકારીઓ અને માલાબાર મોપલાહ ખેડુતો પરના મૂળ જમીનદારો દ્વારા કરાયેલા અત્યાચારોનું નજીકથી અવલોકન કરી અને બ્રિટિશ શાસનને ઉથલાવવાનું નક્કી કર્યું. જ્યારે તેમણે આ સંદર્ભમાં 1916 માં પોતાના પ્રયાસો શરૂ કર્યા, ત્યારે ભારતીય રાષ્ટ્રીય ચળવળનો પવન માલાબાર સુધી પહોંચ્યો હતો. મહાત્મા ગાંધી અને મૌલાના મોહમ્મદ અલી અને અન્ય નેતાઓના પ્રભાવ હેઠળ રાષ્ટ્રીય ચળવળમાં સામેલ થયા. તેમણે યુવાનોને બ્રિટિશ વિરુદ્ધ બળવાનો માર્ગ પસંદ કરવાની અપીલ કરી અને સારી રીતે પ્રશિક્ષિત યુવાનો સાથે ક્રાંતિકારી જૂથો શરૂ કર્યા. બ્રિટિશ સરકારે તેમને ‘ડેન્જરસ વ્યક્તિ’ જાહેર કરી અને તેની ધરપકડ કરવાનો નિર્ણય કર્યો. જો કે, લોકોએ અલીની ધરપકડ અટકાવવા માટે ખિલાફત નેતા મૌલવી કુનયી કાદિરના નેતૃત્વ હેઠળ અંગ્રેજો વિરુદ્ધ બળવો કર્યો હતો. પોલીસ ફાયરિંગ કરીને પણ લોકોને કાબૂમાં કરી શકી ન હતી. તે ટોળાને કાબૂમાં કરવામાં નિષ્ફળ જતાં પોલીસ અધિકારીઓ તે જગ્યાએથી પાછા હટ્યા હતા. મૌલવીએ પરિસ્થિતિનો ઉપયોગ કરી તેના ક્રાંતિકારી જૂથોની મદદથી તિરુંગાડી વિસ્તારની વહીવટી લગામ હાથ ધરી. આ વિકાસથી ગુસ્સે થઈને બ્રિટીશ અધિકારીઓએ મૌલવીને ખતમ કરવાનો નિર્ણય કર્યો. અલીને તેની જાન અને તેના લોકો પરનું જોખમ સમજાયું. મૌલવી અલી મુસલિયારે રાષ્ટ્રીય નેતાઓ જેવા કેશવ મેનન, મુહંમદ અબ્દુર રેહમાન, યુ.ગોપાલ રાવ, મૌલવી ઇ. મોઈદુ અને અન્ય લોકો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. ત્યાં સુધી તેઓ લોકોને કોઈ નુકસાન પહોંચાડવા માંગતો ન હતા, તેથી તેમણે બ્રિટિશરો સાથે વાતચીત કરવાની તૈયારી જાહેર કરી. બ્રિટીશ અધિકારીઓ આ વાટાઘાટો માટે સહમત થયા હતા પરંતુ ભારે પોલીસ દળ સાથે તિરુન્ગાડી પહોંચ્યા હતા. તેઓએ તિરુંગાડીમાં જામા મસ્જિદની નાકેબંધી કરી જ્યાં મૌલવી અલી રોકાયો હતો અને ગોળીબાર કર્યો. તેમના 114 અનુયાયીઓ સાથે મૌલવી પોલીસ દ્વારા ઘેરાયેલા હતા. બંને પક્ષો વચ્ચેની લડત દરમિયાન, મૌલવી જૂથ સાથે જોડાયેલા 22 લોકો અને 20 પોલીસ કર્મીઓએ જીવ ગુમાવ્યો હતો. અંતે, મૌલવી મુસલિયાર અને તેના 32 અનુયાયીઓએ શરણાગતિ સ્વિકારી. બ્રિટીશ સરકારે મૌલવી અને તેના અનુયાયીઓને તેમના વતી વકીલની નિમણૂકની પણ તક પૂરી પાડી ન હતી . તેમનું ટ્રાયલ ચલાવનારી વિશેષ અદાલતે મૌલવી સહિત 12 લોકોને મોતની સજા, ત્રણને દેશનિકાલ અને 33 લોકોને આજીવન કેદની સજા ફટકારી. જો કે, મૌલવી મુસલિયારને મૃત્યુદંડની સજા લાગુ થાય તે પહેલાં 17 ફેબ્રુઆરી, 1922 ના રોજ અવસાન થયું હતું.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...