મૌલવી અલી મુસલિયાર, જેમણે ‘મલબાર મોપલાહ રિવોલ્ટ’ની રાષ્ટ્રીય ભાવનાથી આગેવાની કરી, ,જેનો આશરે 120 વર્ષનો જુનો ઇતિહાસ છે, તેમનો જન્મ કેરળના ઇસ્ટ મંજેરી જિલ્લાના પંડિકક્ડ નજીક નેલ્લીકુટ્ટુ ગામમાં 1853 માં થયો હતો. તેમના પિતાનું નામ ઇરીકકુનન પલ્લટ્ટુ મલયાલી કુંચી મોહિદ્દિન અને માતાનું નામ અમીના. મૌલવી મુસલિયારનું પ્રાથમિક શિક્ષણ તેમના મૂળ વતનમાં થયું હતું અને પછીથી તેઓ મક્કા ગયા, જ્યાં તેમણે આધ્યાત્મિક શિક્ષણ મેળવ્યું. વતન પરત ફર્યા પછી, તેમણે શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે બ્રિટિશ સરકારના અધિકારીઓ અને માલાબાર મોપલાહ ખેડુતો પરના મૂળ જમીનદારો દ્વારા કરાયેલા અત્યાચારોનું નજીકથી અવલોકન કરી અને બ્રિટિશ શાસનને ઉથલાવવાનું નક્કી કર્યું. જ્યારે તેમણે આ સંદર્ભમાં 1916 માં પોતાના પ્રયાસો શરૂ કર્યા, ત્યારે ભારતીય રાષ્ટ્રીય ચળવળનો પવન માલાબાર સુધી પહોંચ્યો હતો. મહાત્મા ગાંધી અને મૌલાના મોહમ્મદ અલી અને અન્ય નેતાઓના પ્રભાવ હેઠળ રાષ્ટ્રીય ચળવળમાં સામેલ થયા. તેમણે યુવાનોને બ્રિટિશ વિરુદ્ધ બળવાનો માર્ગ પસંદ કરવાની અપીલ કરી અને સારી રીતે પ્રશિક્ષિત યુવાનો સાથે ક્રાંતિકારી જૂથો શરૂ કર્યા. બ્રિટિશ સરકારે તેમને ‘ડેન્જરસ વ્યક્તિ’ જાહેર કરી અને તેની ધરપકડ કરવાનો નિર્ણય કર્યો. જો કે, લોકોએ અલીની ધરપકડ અટકાવવા માટે ખિલાફત નેતા મૌલવી કુનયી કાદિરના નેતૃત્વ હેઠળ અંગ્રેજો વિરુદ્ધ બળવો કર્યો હતો. પોલીસ ફાયરિંગ કરીને પણ લોકોને કાબૂમાં કરી શકી ન હતી. તે ટોળાને કાબૂમાં કરવામાં નિષ્ફળ જતાં પોલીસ અધિકારીઓ તે જગ્યાએથી પાછા હટ્યા હતા. મૌલવીએ પરિસ્થિતિનો ઉપયોગ કરી તેના ક્રાંતિકારી જૂથોની મદદથી તિરુંગાડી વિસ્તારની વહીવટી લગામ હાથ ધરી. આ વિકાસથી ગુસ્સે થઈને બ્રિટીશ અધિકારીઓએ મૌલવીને ખતમ કરવાનો નિર્ણય કર્યો. અલીને તેની જાન અને તેના લોકો પરનું જોખમ સમજાયું. મૌલવી અલી મુસલિયારે રાષ્ટ્રીય નેતાઓ જેવા કેશવ મેનન, મુહંમદ અબ્દુર રેહમાન, યુ.ગોપાલ રાવ, મૌલવી ઇ. મોઈદુ અને અન્ય લોકો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. ત્યાં સુધી તેઓ લોકોને કોઈ નુકસાન પહોંચાડવા માંગતો ન હતા, તેથી તેમણે બ્રિટિશરો સાથે વાતચીત કરવાની તૈયારી જાહેર કરી. બ્રિટીશ અધિકારીઓ આ વાટાઘાટો માટે સહમત થયા હતા પરંતુ ભારે પોલીસ દળ સાથે તિરુન્ગાડી પહોંચ્યા હતા. તેઓએ તિરુંગાડીમાં જામા મસ્જિદની નાકેબંધી કરી જ્યાં મૌલવી અલી રોકાયો હતો અને ગોળીબાર કર્યો. તેમના 114 અનુયાયીઓ સાથે મૌલવી પોલીસ દ્વારા ઘેરાયેલા હતા. બંને પક્ષો વચ્ચેની લડત દરમિયાન, મૌલવી જૂથ સાથે જોડાયેલા 22 લોકો અને 20 પોલીસ કર્મીઓએ જીવ ગુમાવ્યો હતો. અંતે, મૌલવી મુસલિયાર અને તેના 32 અનુયાયીઓએ શરણાગતિ સ્વિકારી. બ્રિટીશ સરકારે મૌલવી અને તેના અનુયાયીઓને તેમના વતી વકીલની નિમણૂકની પણ તક પૂરી પાડી ન હતી . તેમનું ટ્રાયલ ચલાવનારી વિશેષ અદાલતે મૌલવી સહિત 12 લોકોને મોતની સજા, ત્રણને દેશનિકાલ અને 33 લોકોને આજીવન કેદની સજા ફટકારી. જો કે, મૌલવી મુસલિયારને મૃત્યુદંડની સજા લાગુ થાય તે પહેલાં 17 ફેબ્રુઆરી, 1922 ના રોજ અવસાન થયું હતું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment