મૌલવી હાફિઝ મુહમ્મદ બરકતુલ્લાહ ભોપાલી, જેમણે પોતાનું આખું જીવન બ્રિટીશરોની ચુંગાલથી પોતાની માતૃભૂમિની મુક્તિ માટે સશસ્ત્ર લડતમાં સમર્પિત કર્યું હતું, તેમનો જન્મ મધ્યપ્રદેશના ભોપાલમાં 7 જુલાઈ, 1854 ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ કુદરતુલ્લાહ ભોપાલી હતું. નાનપણથી જ બરકતુલ્લાહને જ્ઞાન પ્રાપ્ત કરવાનો ખૂબ શોખ હતો અને તેની જ શોધમાં તેમણે 1883 માં ઘરેથી નીકળી પડ્યા. તેમની સફરમાં, તેમણે આજીવિકા માટે શિક્ષક અને પત્રકાર તરીકે કામ કર્યું. તેઓ 1895 માં ઇંગ્લેન્ડ ગયા, જ્યાં તેઓ બ્રિટિશરો વિરુદ્ધ સશસ્ત્ર લડતને ટેકો આપતા સાથીઓ એવા ભારતીય ક્રાંતિકારીઓને મળ્યા. પાછળથી, બરકતુલ્લાહ 1903 માં અમેરિકા ગયા. તેઓ અમેરિકાની ગદર પાર્ટીના ક્રાંતિકારીઓને મળ્યા. અમેરિકાથી પાછા આવ્યા પછી તેમણે પોતાને ક્રાંતિકારી આંદોલનમાં સમર્પિત કર્યા. તેઓ 1909 માં જાપાન ગયા, જ્યાં તેમણે પ્રોફેસર તરીકે કામ કર્યું. પ્રોફેસર તરીકે કામ કરતાં તેમણે ‘ઇસ્લામિક ફ્રેટર્નિટી ’ જર્નલ શરૂ કર્યું. સરકાર વિરોધી વલણ અને ક્રાંતિકારીઓને ટેકો આપવાને કારણે બ્રિટિશરોએ 1912 માં ‘ઇસ્લામિક ફ્રેટર્નિટી’ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે દરમિયાન, તેમણે નોકરી ગુમાવી અને ફરીથી અમેરિકા ગયા, જ્યાં તે ગદર પાર્ટીમાં જોડાયા અને તેના ઉપપ્રમુખ બન્યા. મૌલવી મુહમ્મદ બરકતુલ્લાહ ભોપાલી 1914 માં જર્મની ગયા, જ્યાં તેમણે હર દયાલ અને ચંપકરમન પિલ્લઇ જેવા તેમના સાથી ક્રાંતિકારીઓ સાથે મળીને ‘ઇન્ડિયન કાઉન્સિલ ફોર ઇન્ડિપેન્ડન્સ’ શરૂ કર્યું. જર્મનીથી, તેના માટે ટેકો મેળવવા માટે તુર્કી ગયા. તેઓ તુર્કીના રાષ્ટ્રપતિ અનવર પાશાને મળ્યા અને સશસ્ત્ર લડત માટે સફળતાપૂર્વક તેમનો ટેકો મેળવ્યો. ત્યારબાદ, તેમણે અને તેમના સાથીઓએ 2 ઓક્ટોબર, 1915 ના રોજ ભારત માટે સ્વતંત્રતાની ઘોષણા કરી અને ‘ગવર્નમેન્ટ ઓફ ઇંડિયા ઇન એકઝાઈલ' ની રચના કરી, રાજા મહેન્દ્ર પ્રતાપ તેના પ્રમુખ તરીકે અને બરકતુલ્લાહ ભોપાલી વડા પ્રધાન તરીકે નિમાયા. તુર્કી અને જર્મનીએ ‘ગવર્નમેન્ટ ઓફ ઇંડિયા ઇન એકઝાઈલ' ને માન્યતા આપી. આનાથી બ્રિટિશરો ભયભીત થયા જેમણે અફઘાન સરકારને બરકતુલ્લાહના આશ્રય આપવાનો ઇનકાર કરવાની ફરજ પડી હતી. પરિણામે, બરકતુલ્લાહ રશિયા ગયા જ્યાં તેઓ મદદ મેળવવા ત્યાંના નેતા લેનિનને મળ્યા.પરંતુ, રશિયા તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળી શક્યો નહીં. તે ફરી એકવાર જર્મની ગયા અને છૂપી રીતે અનેક ક્રાંતિકારી અખબારોનું પ્રકાશન કરવાનું શરૂ કર્યું. તેમણે અખબારો દ્વારા લોકોને પ્રેરણા આપી સશસ્ત્ર લડત માટે લોકોનો સમર્થન એકત્રિત કર્યો. તેમણે 1927 માં બેલ્જિયમમાં યોજાયેલી સામ્રાજ્યવાદ વિરોધી પરિષદમાં સામ્રાજ્યવાદીઓ વિરુદ્ધ એક શક્તિશાળી ભાષણ પણ આપ્યું હતું. સામ્રાજ્યવાદીઓ સામે અથાક સંઘર્ષ કરનાર મૌલવી હાફિઝ મુહમ્મદ બરકતુલ્લાહ ભોપાલીએ 20 સપ્ટેમ્બર, 1927 માં જર્મનીમાં અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment