Skip to main content

અઝીમુલ્લાહ ખાન (-1859)


1857 ની પ્રથમ સ્વાતંત્ર્યતાની લડતમાં વ્યૂહરચનાકાર તરીકે પ્રખ્યાત અઝીમુલ્લાહ ખાનનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. એવા સમયે જ્યારે મૂળ શાસકો, રજવાડાઓના વડાઓ કોઈ પણ આયોજનો સાથે બ્રિટિશરો સામે લડવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા હતા, ત્યારે અઝીમુલ્લાહનું મંતવ્ય હતું કે આયોજનબદ્ધ કાર્યવાહી બળના આંધળા ઉપયોગ કરતાં વધુ પરિણામો લાવી શકશે. તેથી, તેમણે બ્રિટિશરો સામે લડવાની વ્યૂહરચના ઘડી કાઢી.તેઓ અંગ્રેજી અને ફ્રેંચ ભાષા શીખ્યા, કાનપુર કોલેજમાં અભ્યાસ કરેલો, જ્યાં તેઓ શિક્ષક બન્યા. કાનપુરના શાસક નાના સાહેબ પેશવાને અઝીમુલ્લાહની પ્રતિભા વિશે જાણ થઈ અને તેમણે તેમના વકીલ બનવાની ઓફર કરી. કાનપુર સ્ટેટની કાયદાકીય બાબતોને પહોંચી વળવા નાના સાહેબના આમંત્રણ પર અઝીમુલ્લાહ ઇંગ્લેન્ડ ગયા, જ્યાં તેઓ બે વર્ષ રહ્યા. ઈંગ્લેન્ડના રોકાણ દરમિયાન તેમણે બ્રિટીશરોના રાજકારણનું નજીકથી અવલોકન કર્યું. ભારત પરત ફરતી વખતે તેમણે અનેક દેશોની મુલાકાત લીધી હતી. જ્યારે તે માલ્તા પહોંચ્યા, ત્યારે તેમને ખબર પડી કે રશિયન સૈનિકોએ માલ્તા ખાતે એંગ્લો-ફ્રેન્ચ સૈન્યને પરાજિત કરી દીધું છે. અને તેથી રશિયન સૈન્યની શક્તિ જાણવા કોન્સ્ટન્ટીનોપલ ગયા. બાદમાં, તેમણે ફ્રાન્સ અને ક્રિમીઆની મુલાકાત લીધી અને સંબંધિત દેશોના શાસકોની રાજનીતિ અને યુદ્ધની વ્યૂહરચનાઓનું અવલોકન કર્યું. આ બધા દેશોની સ્વતંત્રતાની લડતનો તેમના પર પ્રભાવ પડ્યો અને ભારતની સ્વતંત્રતા માટે કામ કરવાની પ્રેરણા મળી હતી. અઝીમુલ્લાહે તે દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગ્રેજો સામેના સંઘર્ષમાં મદદ કરવા તૈયાર હતા. ભારત પાછા ફર્યા પછી, તેમણે નાના સાહેબ સાથે તેમના વિચારો આપ-લે કર્યા અને 1857ના બળવાને સમર્થન આપવા માટે મૂળ શાસકોને પત્ર લખ્યા. તેમના પત્રોમાં, તેમણે અંગ્રેજો સામે બળવો કરવાની જરૂરિયાત સમજાવી. તેમણે અંગ્રેજો વિરુદ્ધ જાહેર અભિપ્રાય ઊભું કરવા માટે હિન્દી અને ઉર્દૂમાં ‘પયામ-એ-આઝાદી’ નામનું એક અખબાર શરૂ કર્યું. તેમણે અવધના બેગમ હઝરત મહેલ, મૌલવી અહમદુલ્લાહ શાહ, ઝાંસીની લક્ષ્મીબાઈ, મુઘલ રાજા ફિરોઝ શાહ,તાતીયા ટોપે અને નાના સાહેબની સાથે બ્રિટિશરો સામેની વ્યૂહરચના ઘડવામાં મદદ કરી. તેઓ જ્યારે નાના સાહેબ, હઝરત મહલ અને અન્ય લોકો સાથે નેપાળના જંગલો તરફ વળ્યા ત્યારે ભારતની આઝાદીની પ્રથમ લડતમાં હારની નજીકની પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા હતા. ઓક્ટોબર 1859 માં ,બ્રિટિશરો સામે લડવાની નાણાંકીય અને લશ્કરી સહાય મેળવવાના પ્રયત્નો કરતી વખતે અઝીમુલ્લાહ ખાનનું નિધન થયું.

- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) 

મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...