નવાબ સૈયદ મુહંમદ,‘મૈસુર ટાઇગર’ ટીપુ સુલતાનના વંશજ, તેમનો જન્મ 1867 માં તમિલનાડુ રાજ્યના મદ્રાસમાં થયો હતો. ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે તેમના પિતા મીર હુમાયુના માર્ગદર્શન હેઠળ તેમના કૌટુંબિક વ્યવસાયના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. વ્યવસાય દરમિયાન તેમણે લોક કલ્યાણ અને રાજકીય પ્રવૃત્તિઓમાં પણ રસ લીધો. તેઓ 1894 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેઓ 1896 માં મદ્રાસ શહેરના શેરિફ તરીકે ચૂંટાયા. બ્રિટિશ સરકારે તેમને ‘નવાબ’ પદથી નવાજ્યા. તેઓ 1900 માં મદ્રાસ વિધાન પરિષદમાં ચૂંટાયા અને 1901 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સભ્ય પણ બન્યા. નવાબ સૈયદ મુહંમદ, 'મદ્રાસ મહાજન સભા'ના અધ્યક્ષ બન્યા, જે હમ વતનો વચ્ચે સામાજિક-આર્થિક અને રાજકીય જાગૃતિ લાવવાના આશયથી રચવામાં આવી હતી. ગરીબ મુસ્લિમોના વિકાસ માટે તેમણે અનેક નવી સંસ્થાઓની સ્થાપના પણ કરી. નવાબ સૈયદ મુહંમદે ગરીબ ખેડુતો પર ટેક્સનો ઘટાડો કરી ભારણ ઓછું કરવાની માંગ કરી હતી અને સરકારને તકનીકી શિક્ષણને પ્રોત્સાહન આપવા મદદ કરવા પણ કહ્યું હતું. તેમણે 1903 માં મદ્રાસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઓગણીસમા અધિવેશનની બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, તેના રિસેપ્શન કમિટીના પ્રમુખ તરીકે, તેમને વ્યાપક મંજૂરી મળી હતી. સૈયદ મુહંમદ 1905 માં શાહી વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા. પરંતુ તેમણે 1906 માં લોર્ડ મિન્ટોને મળવા માટે આવેલા પ્રતિનિધિમંડળના સભ્ય બનવાનો ઇનકાર કર્યો હતો જે મુસ્લિમો માટે અલગ ચુંટણીની માંગ કરતો હતો. જાહેર તમામ મુદ્દાઓ પર તેમણે હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ટેકો આપ્યો હતો. 1913 માં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાંચી સત્રનું અધ્યક્ષસ્થાન તેમને આપવામાં આવ્યું હતું ,નવાબ સૈયદ મુહંમદે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વિકાસને આગળ વધારવા માટે મોટી રકમ દાનમાં આપી અને પોતાની સંપત્તિમાંથી ઘણો ખર્ચ કર્યો હતો. તેને મજબૂત કરવા તેમણે ખૂબ જ પ્રયત્ન કર્યો. એવા સમયે જ્યારે અનેક અગ્રણી મુસ્લિમ નેતાઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા હતા, ત્યારે તે ખૂબ જ નિશ્ચિતપણે અડગ રહી તેની સાથે ઊભા રહ્યા હતા અને કોંગ્રેસ વિરોધી પ્રચારનો સામનો કર્યો હતો. નવાબ સૈયદ મુહંમદે આજીજી કરી હતી કે એકતા એકલી જ સ્વતંત્રતાના સમાન ધ્યેયને હાંસલ કરી શકે છે અને જાહેર હિતોને ટેકો આપનારાઓને જ જાહેર લાભમાં પોતાનો હિસ્સો માંગવાનો અધિકાર છે. તેમણે હિન્દુઓ - મુસ્લિમો વચ્ચેના સંઘર્ષને ટાળવાની અપીલ કરી અને બંધુત્વની હિમાયત કરી. નવાબ સૈયદ મુહંમદ કે જે ‘ભારતનો મહાન સપુત’ કહેવાયા, તેમનું 12 નવેમ્બર, 1919 ના રોજ મદ્રાસમાં નિધન થયું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment