હાકીમ અજમલ ખાન, જે ભારતના સ્વરાજ્યના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈપણ પ્રકારે બલિદાન આપવા માટે હંમેશા તત્પર હતા, તેમનો જન્મ 12 ફેબ્રુઆરી, 1868 ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા, હકીમ અબ્દુલ ગુલામ મુહમ્મદ ખાન, એક પ્રખ્યાત દેશી તબીબ હતા. અજમલ ખાન કેટલાય વિષયો શીખ્યા અને તેમના પિતાની જેમ ડોક્ટર તરીકે પ્રખ્યાત થયા. તેમણે પોતાને 1906 સુધી તબીબી પ્રેક્ટિસ અને જાહેર સેવા સુધી મર્યાદિત રાખ્યા. તેઓ મુસ્લિમ પ્રતિનિધિઓમાંના એક હતા, જે પેહલી ઓક્ટોબર, 1906 ના રોજ સિમલામાં વાઇસરોયને મળ્યા. પાછળથી, તેઓ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના વાઇસ-પ્રેસિડેન્ટ બન્યા. જ્યારે 1916 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે મતભેદો ઊભા થયા, ત્યારે તેમણે લખનૌ કરાર પર આ બંને સંગઠનો વચ્ચે કરાર કરવા માટે સહી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી . મહાત્મા ગાંધી સાથે તેમના ગાઢ સંબંધો હતા જેના કારણે તેમને મુસ્લિમ લીગ છોડ્યા પછી, 1917 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાવા માટે દોરી ગયા. તેમણે ડિસેમ્બર 1918 માં યોજાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિલ્હી સત્રોની રિસેપ્શન કમિટીના અધ્યક્ષ તરીકે કામ કર્યુ. તેમણે ખિલાફત, અસહકાર ચળવળના ઉદઘાટન સમારોહમાં ભાગ લીધો હતો, જ્યાં તેમને 'કૈસર-એ-હિંદ', 'હાઝિકુલ-મુલ્ક' જેવા માનદ બિરુદ આપવામાં આવ્યા હતા.જે બ્રિટિશ સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ રીતે તે એક રોલ મોડેલ બન્યા હતા. ખિલાફત મુદ્દે જાન્યુઆરી 1920 માં વાઇસરોયને જે મંડળ મળ્યું હતું,તેઓ એ પ્રતિનિધિ મંડળના સભ્ય હતા. તેમણે 1921 માં એહમદાબાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનની અધ્યક્ષતા પણ કરી હતી. તેઓ જામિયા મિલિયા ઇસ્લામિયા (રાષ્ટ્રીય મુસ્લિમ યુનિવર્સિટી) ના પ્રથમ ચાન્સેલર બન્યા, જે રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતા વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી હતી. કુલપતિ તરીકે સંસ્થાને મજબૂત બનાવવામાં તેમણે રાષ્ટ્રવાદી વિચારધારાને મજબૂત બનાવી. જ્યારે 10 માર્ચ, 1922 ના રોજ મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી, ત્યારે તેમણે અસહકાર આંદોલનનું નેતૃત્વ કર્યું. તેમણે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સુમેળભર્યા સંબંધો માટે સખત મહેનત કરી હતી અને સપ્ટેમ્બર 1924 માં તેમના ઘરે હિન્દુઓ અને મુસ્લિમોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. તેમણે તબીબી ડોક્ટર, શિક્ષણશાસ્ત્રી અને રાજકારણી તરીકે ભારતીય લોકોની સેવા કરી હતી. તેઓ કવિ પણ હતા. તેમણે ઉર્દૂ અને પર્સિયન ભાષાઓમાં કવિતાઓ લખી, કાવ્યસંગ્રહ ડો.ઝાકિર હુસેન દ્વારા 1926 માં 'દીવાન-શાદિયા' શીર્ષક સાથે બહાર પાડવામાં આવ્યું. જોકે, હકીમ અજમલ ખાન તેમની ખરાબ તબિયતને કારણે 1926 માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા.29 ડિસેમ્બર, 1927 તેમના મૃત્યુ સુધી પણ તેઓ હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સાંપ્રદાયિક સુમેળ માટે અથાક અવિરત કામ કરતા રહ્યા અને પ્રોત્સાહન આપતા રહ્યા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment