મૌલવી સૈયદ અલ્લાઉદ્દીન આધ્યાત્મિક આગેવાન હતા. જેમણે દક્ષિણ ભારતના સૌથી મજબૂત રજવાડાઓમાંથી એક નિઝામના રાજ્યના લોકોને બ્રિટીશ આધિપત્યની વિરુદ્ધ બળવો કરવા માટે વિનંતી કરી. તેઓ બ્રિટિશ સરકાર સામેની સીધી લડતમાં મોખરે ઊભા હતા. મૌલવી સૈયદ અલ્લાઉદ્દીન મૂળ નિઝામ રજવાડાની રાજધાની હૈદરાબાદના વતની હતા.1857 માં ભારતની આઝાદીની પ્રથમ લડત શરૂ થયા પછી તરત જ અલ્લાઉદ્દીને તેમની બળવાખોર પ્રવૃત્તિઓ તીવ્ર બનાવી દીધી. ઔરંગાબાદમાં વિદ્રોહ શરૂ થયો જે નિઝામી રજવાડાનો ભાગ હતો. ઔરંગાબાદમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરુ થઈ, તેમની નિઝામી સરકારે શરુઆતમાં ધરપકડ કરી હતી. બળવાખોરો કે જેમણે ક્રાંતિકારી ચળવળમાં ભાગ લીધો હતો બ્રિટિશ અધિકારીઓની ધરપકડથી બચવા હૈદરાબાદ આવ્યા હતા.તેમની નિઝામ રાજ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને જેલમાં રાખ્યા હતા. જ્યારે નિઝામે ધરપકડ કરવામાં આવેલા બળવાખોરોને મુક્ત કરવાની તેમની અરજીને નકારી કાઢી ત્યારે નિઝામ રાજ્યના લોકો અને અગ્રણી નાગરિકો ગુસ્સે થયા. તેઓ 17 જુલાઈ, 1857 ના રોજ મક્કા મસ્જિદમાં મળ્યા અને હૈદરાબાદમાં બ્રિટીશ રેસિડેન્સી પર હુમલો કરવાનો નિર્ણય કર્યો. બ્રિટીશ સર્વોપરિતાનું પ્રતીક એવા બ્રિટિશ રેસીડેન્સી પર હુમલો કરવાની લડત આપવા મૌલવી અલ્લાઉદ્દીન અને અન્ય ક્રાંતિકારી નેતા પઠાણ તુરેબાઝ ખાનની આગેવાની હેઠળ બપોરે 4 વાગ્યે લગભગ 500 લોકો સુલતાન બજારથી આગળ નીકળ્યા. નિઝામ નવાબ બ્રિટિશરોનો મિત્ર હોવાને કારણે ઇંગ્લિશ અધિકારીઓને નિકટવર્તી હુમલાની જાણકારી આપી. ઇંગ્લિશ અને નિઝામની સૈન્ય વ્યૂહાત્મક રીતે આગળ વધ્યા અને વધારાના દળો સાથે હુમલાખોરોનો સામનો કર્યો. આખી રાત બંને પક્ષો વચ્ચે ફાયરિંગ ચાલતું રહ્યું. દુશ્મન સૈન્યનો હાથ ઉપર હોવાથી બળવાખોરો પીછેહઠ કરી ગયા. ગુસ્સાથી લાલચોળ બ્રિટિશરો અને નિઝામના લશ્કરોએ હૈદરાબાદના લોકોને નારાજ કર્યા.મૌલવી સૈયદ અલ્લાઉદ્દીનના માથે ચાર હજાર રૂપિયાના એવોર્ડની ઘોષણા કરવામાં આવી. મૌલવી ભૂગર્ભમાં જતા રહ્યા. પીર મુહંમદ નામના તેમના નજીકના મિત્ર પાસે દોઢ વર્ષ આશ્રય લીધા પછી, તેમણે પોતાની જમીન અને લોકો ઉપર બ્રિટીશરોના આધિપત્યને સમાપ્ત કરવા માટે સૈયદ ભીખ્ખું, સૈયદ લાલ અને મુહંમદઅલી જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓ સાથે સલાહ-મંત્રણા શરૂ કરી. અંતે, બ્રિટિશ દળે તેમની ધરપકડ કરી અને મૌલવી અલાઉદ્દીનને 28 જૂન, 1859 ના રોજ અંદમાનની સેલ્યુલર જેલમાં ખસેડવામાં આવ્યા. કેદી તરીકે 25 વર્ષ દુખી જીવન જીવ્યા પછી, મૌલવી સૈયદ અલ્લાઉદ્દીનનું 1884 માં નિધન થયું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ)
મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment