Skip to main content

મૌલવી સૈય્યદ અલાઉદ્દીન (-1884)


મૌલવી સૈયદ અલ્લાઉદ્દીન આધ્યાત્મિક આગેવાન હતા. જેમણે દક્ષિણ ભારતના સૌથી મજબૂત રજવાડાઓમાંથી એક નિઝામના રાજ્યના લોકોને બ્રિટીશ આધિપત્યની વિરુદ્ધ બળવો કરવા માટે વિનંતી કરી. તેઓ બ્રિટિશ સરકાર સામેની સીધી લડતમાં મોખરે ઊભા હતા. મૌલવી સૈયદ અલ્લાઉદ્દીન મૂળ નિઝામ રજવાડાની રાજધાની હૈદરાબાદના વતની હતા.1857 માં ભારતની આઝાદીની પ્રથમ લડત શરૂ થયા પછી તરત જ અલ્લાઉદ્દીને તેમની બળવાખોર પ્રવૃત્તિઓ તીવ્ર બનાવી દીધી. ઔરંગાબાદમાં વિદ્રોહ શરૂ થયો જે નિઝામી રજવાડાનો ભાગ હતો. ઔરંગાબાદમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરુ થઈ, તેમની નિઝામી સરકારે શરુઆતમાં ધરપકડ કરી હતી. બળવાખોરો કે જેમણે ક્રાંતિકારી ચળવળમાં ભાગ લીધો હતો બ્રિટિશ અધિકારીઓની ધરપકડથી બચવા હૈદરાબાદ આવ્યા હતા.તેમની નિઝામ રાજ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને જેલમાં રાખ્યા હતા. જ્યારે નિઝામે ધરપકડ કરવામાં આવેલા બળવાખોરોને મુક્ત કરવાની તેમની અરજીને નકારી કાઢી ત્યારે નિઝામ રાજ્યના લોકો અને અગ્રણી નાગરિકો ગુસ્સે થયા. તેઓ 17 જુલાઈ, 1857 ના રોજ મક્કા મસ્જિદમાં મળ્યા અને હૈદરાબાદમાં બ્રિટીશ રેસિડેન્સી પર હુમલો કરવાનો નિર્ણય કર્યો. બ્રિટીશ સર્વોપરિતાનું પ્રતીક એવા બ્રિટિશ રેસીડેન્સી પર હુમલો કરવાની લડત આપવા મૌલવી અલ્લાઉદ્દીન અને અન્ય ક્રાંતિકારી નેતા પઠાણ તુરેબાઝ ખાનની આગેવાની હેઠળ બપોરે 4 વાગ્યે લગભગ 500 લોકો સુલતાન બજારથી આગળ નીકળ્યા. નિઝામ નવાબ બ્રિટિશરોનો મિત્ર હોવાને કારણે ઇંગ્લિશ અધિકારીઓને નિકટવર્તી હુમલાની જાણકારી આપી. ઇંગ્લિશ અને નિઝામની સૈન્ય વ્યૂહાત્મક રીતે આગળ વધ્યા અને વધારાના દળો સાથે હુમલાખોરોનો સામનો કર્યો. આખી રાત બંને પક્ષો વચ્ચે ફાયરિંગ ચાલતું રહ્યું. દુશ્મન સૈન્યનો હાથ ઉપર હોવાથી બળવાખોરો પીછેહઠ કરી ગયા. ગુસ્સાથી લાલચોળ બ્રિટિશરો અને નિઝામના લશ્કરોએ હૈદરાબાદના લોકોને નારાજ કર્યા.મૌલવી સૈયદ અલ્લાઉદ્દીનના માથે ચાર હજાર રૂપિયાના એવોર્ડની ઘોષણા કરવામાં આવી. મૌલવી ભૂગર્ભમાં જતા રહ્યા. પીર મુહંમદ નામના તેમના નજીકના મિત્ર પાસે દોઢ વર્ષ આશ્રય લીધા પછી, તેમણે પોતાની જમીન અને લોકો ઉપર બ્રિટીશરોના આધિપત્યને સમાપ્ત કરવા માટે સૈયદ ભીખ્ખું, સૈયદ લાલ અને મુહંમદઅલી જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ક્રાંતિકારીઓ સાથે સલાહ-મંત્રણા શરૂ કરી. અંતે, બ્રિટિશ દળે તેમની ધરપકડ કરી અને મૌલવી અલાઉદ્દીનને 28 જૂન, 1859 ના રોજ અંદમાનની સેલ્યુલર જેલમાં ખસેડવામાં આવ્યા. કેદી તરીકે 25 વર્ષ દુખી જીવન જીવ્યા પછી, મૌલવી સૈયદ અલ્લાઉદ્દીનનું 1884 માં નિધન થયું.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) 

મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

ખાન અબ્દુલ ગફ્ફર ખાન (1890-1988)

ખાન અબ્દુલ ગફાર ખાન, જેઓ 'સરહદના ગાંધી' તરીકે પ્રખ્યાત હતા, તેમનો જન્મ 1890 માં પેશાવર જિલ્લાના ચારસદ્દાહ તહસીલના ઉત્તમનઝાઈ ગામમાં થયો હતો. તેમના પિતા ખાન બહેરામ ખાન તેમના ગામ ઉત્તમનઝાઈના સરદાર હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેઓ બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં જોડાયા હતા. પરંતુ, 1906 માં, ભારતીય સાથીદારો પ્રત્યે બ્રિટિશ અધિકારીઓના ગેરવર્તણૂકને કારણે તેમણે સૈન્ય છોડી દીધું. બાદમાં, તેઓ તેમના ઉચ્ચ શિક્ષણને આગળ ધપાવવા અલીગઢ ગયા. તેમનો અભ્યાસ પૂરો કર્યા વિના તેમની માતાની ઈચ્છા મુજબ તેઓ તેમના વતનના ગામ પાછા ફર્યા. તેમણે તેમના વિસ્તારમાં અનેક પ્રવાસો કર્યા અને લોકોની તકલીફથી વાકેફ થયા. તેમનું માનવું હતું કે લોકોના વિકાસ માટે શિક્ષણ જ એકમાત્ર રસ્તો છે. આમ, તેમણે પોતાના મિત્ર અબ્દુલ અઝીઝની મદદથી 1910માં ઉત્તમનઝાઈમાં ‘આઝાદ નેશનલ સ્કૂલ’ શરૂ કરી. તેમના પ્રયાસોથી પઠાણોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું. તેમણે 1919 માં રોલેટ વિરોધી આંદોલનમાં ભાગ લઈને ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેઓ 1928 માં કલકત્તા ખાતે મહાત્મા ગાંધીને મળ્યા. ત્યારથી તેઓ ગાંધીવાદી વિચારધારાને અનુસરતા થયા. તેમણે 1929માં ‘ખુ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...