મહાત્મા ગાંધી દ્વારા ‘મહાન દેશભક્ત’ તરીકે પ્રશંસા મેળવેલ મુહમ્મદ ઉમર સોભાનીનો જન્મ બોમ્બેમાં 1890માં થયો હતો. તેમના પિતા યુસુફ સોભાની એક જાણીતા ઉદ્યોગપતિ હતા. તેમણે ખૂબ જ નાની ઉંમરે તેમના પિતા પાસેથી વ્યવસાયની મૂળભૂત બાબતો શીખી અને વ્યવસાયિક કુશળતાનું સારું પરિણામ મેળવ્યું. તે દિવસોમાં તે ‘કોટન કિંગ’ તરીકે જાણીતા હતા. તેમનો વ્યવસાય ચલાવતા સમયે, તેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભારે રસ દાખવ્યો. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સભ્ય પદ સંભાળ્યું અને સક્રિયપણે પડદા પાછળની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું જેના માટે ગાંધીજીએ ‘સ્ટેજ મેનેજર’ તરીકે પણ તેમની પ્રશંસા કરી. તેમણે એની બેસન્ટની દેખરેખ હેઠળ ‘હોમ રૂલ ચળવળ’ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જ્યારે પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતીય રાષ્ટ્રીય ચળવળના ભાગ રૂપે કોઈપણ આંદોલન માટે હાકલ કરી, ત્યારે તેમણે તેમના વ્યક્તિગત સ્રોતમાંથી તમામ ખર્ચ ભોગવીને દરેક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો. આ બધું બ્રિટિશ અધિકારીઓની આંખોમાં ખટકવા લાગ્યું. તેમણે 1921 માં ખિલાફત અને અસહકાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે, તેમણે વિદેશી માલ સળગાવતી વખતે તેમના તમામ મોંઘા કપડાંને સળગતી આગની જ્વાળાઓમાં નાંખી દીધા હતા અને તેથી તે હંમેશા દેશવાસીઓ માટે અનુકરણીય રહ્યા. તેમણે ગાંધીજીને ‘તિલક સ્વરાજ્ય ભંડોળ’ માટે કોરા ચેક આપ્યા. તેમણે ભંડોળ ઊભું કરવાના કાર્યક્રમ દરમિયાન તેમના સાથી ઉદ્યોગપતિઓ પાસેથી ખુબ મોટું દાન એકત્રિત કર્યું. તેમણે પોતાનો બંગલો ‘સોભાની વિલા’ ખિલાફત કમિટિને એક લાખ રૂપિયાના ઉદાર દાન સાથે ભેટ આપ્યો. તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રવૃત્તિઓને નાણાં પૂરાં પાડતાં હોવાથી બ્રિટિશ સરકારે તેમના ધંધા પર પ્રતિબંધો લગાવી દીધાં. આ પગલાંઓને લીધે, તેઓ હવેથી બધી પ્રવૃત્તિઓ અને સભાઓમાં ભાગ લઈને આગળ વધ્યા. બ્રિટિશરો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેમનો ધંધો ખરાબ પરિસ્થિતિમાં ચાલ્યો ગયો હતો, ત્યારે આવી પરિસ્થિતિમાં પણ તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ખિલાફત સમિતિની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહ્યા હતા. આખરે, જ્યારે તેઓ ‘અંગોરા ફંડ’ માટે દાન એકત્રિત કરતા હતા ત્યારે તેમને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ફેબ્રુઆરી 1922 દરમિયાન તેમને ત્રણ કરોડ અને ચાલીસ લાખ રૂપિયાનું નુકસાન થયું. આ નુકસાનથી તેઓ આર્થિક રીતે વિકલાંગ થઈ ગયા અને માનસિક રીતે હતાશ થયા. ભારતીય સ્વાતંત્ર્ય ચળવળને આર્થિક શક્તિ પ્રદાન કરવાને મોટો આદર સમજનાર તે માણસ તેના આર્થિક અને માનસિક હતાશામાંથી બહાર આવવા અસમર્થ ‘ના’ કહેવા ટેવાયેલ ન હતો, તેમણે 6 જુલાઈ 1926 ના રોજ આત્મહત્યા કરી હતી.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment