પંડિત રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લાહ ખાન એવા બે ક્રાંતિકારી હતા જેમણે ભારતીય સ્વતંત્રતા ચળવળના ઇતિહાસમાં અગ્નિયુગ તરીકે ઓળખાતા સમયમાં માતૃભૂમિને મુક્ત કરવા માટે સશસ્ત્ર સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો.તેમની મિત્રતા બલિદાનથી પવિત્ર થાય છે,જે અભૂતપૂર્વ છે અને આજ સુધી આદર્શ ઉદાહારણ છે.
અશફાકુલ્લાહ ખાનનો જન્મ 22 ઓક્ટોબર, 1900 ના રોજ ઉત્તરપ્રદેશના શાજહાંપુરમાં એક શિક્ષિત જમીનદાર પરિવારમાં થયો હતો. તેમના માતાનું નામ મઝહરુન્નીસા બેગમ અને પિતાનું નામ શફીકુલ્લાહ ખાન. નાની ઉંમરે તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ તરફ આકર્ષાયા. આમ તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આહ્વાનના જવાબમાં રાષ્ટ્રીય ચળવળની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. બાદમાં એબી રિચ મિશન હાઇસ્કૂલમાં બનેલી ઘટના જ્યાં તેમણે અભ્યાસ કર્યો હતો, ત્યાં તેમણે સંપર્કો કર્યા અને રાષ્ટ્રીય-સ્થાનિક સ્તરના નવા વિકાસને કારણે અશફાકને ક્રાંતિકારી ચળવળનો માર્ગ પસંદ કર્યો હતો.
પંડિત
રામપ્રસાદ બિસ્મિલનો જન્મ 11 જૂન 1897
ના રોજ
શાજહાંપુરમાં રૂઢીચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતાપિતા મૂળમથી અને
મુરલીધર હતા. તેમણે નાનપણથી જ આર્ય સમાજની પ્રવૃત્તિઓમાં ઊંડો રસ દાખવ્યો હતો.
મોટા થતાં તેમણે ઉર્દૂ, હિન્દી
અને અંગ્રેજી પર સારો એવું પ્રભુત્વ મેળવ્યું. તેમણે કવિતાઓ પણ લખી અને કેટલાય પુસ્તકો
પ્રકાશિત કર્યા. ભારતીયો પર બ્રિટીશ વર્ચસ્વ સહન કરવામાં અસમર્થ તેઓ રાષ્ટ્રીય
ચળવળમાં જોડાયા. ચળવળમાં તેમના અનુભવો તેમને માનવા તરફ દોરી ગયા કે વિદેશી શાસકોને
માતૃભૂમિમાંથી હાંકી કાઢવાનો એકમાત્ર રસ્તો સશસ્ત્ર સંઘર્ષ છે. તે દિવસોના જાણીતા
ક્રાંતિકારીઓ સાથે દળોમાં જોડાયા અને બ્રિટીશ શાસન સામે શસ્ત્ર ઉઠાવવા માટે
હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનમાં જોડાયા.
અશફાકુલ્લાહ
ખાનના ભાઈ રિયાસતુલ્લાહ ખાન અને બિસ્મિલ એક જ શાળામાં અભ્યાસ કર્યો,
એટલે કે
એબી રિચ મિશન સ્કૂલ,શાહજહાંપુર.
બિસ્મિલ અને રિયાસતુલ્લાહ શાળામાં ગાઢ મિત્રો
હતા. એક દિવસ શાહજહાંપુર પાસે ખન્નૌથ નદીના કિનારે એક સભા યોજાઈ. આ પ્રસંગે બોલતાં,
રામપ્રસાદે
જાહેર કર્યું કે તેઓ ભારતભૂમિને વિદેશી શાસનથી મુક્ત કરવા માટે કંઈપણ બલિદાન આપવા
માટે તૈયાર છે અને યુવાનોને આ ઉમદા પ્રયાસ માટે આગળ આવવા હાકલ કરી હતી. તે ભાષણે
અશફાક પર જાદુઈ અસર કરી અને તે જ ક્ષણથી તેણે પંડિત રામપ્રસાદ બિસ્મિલની
આગેવાની હેઠળ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનમાં જોડાવાના પ્રયાસો શરૂ કર્યા.
ત્યારથી
અશ્ફાકે ઘણી વખત બિસ્મિલને મળવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો. બિસ્મિલે આ વિશે
પોતાની આત્મકથામાં લખ્યું : ‘મને તે
સારી રીતે યાદ છે. બાદશાહ દ્વારા માફીની ઘોષણા બાદ જ્યારે હું શાહજહાંપુર આવ્યો
ત્યારે તમે મને શાળામાં પ્રથમ વખત મળ્યા હતા. તમને મને મળવાની તીવ્ર ઈચ્છા હતી.
તમે મારી સાથે મૈનપુરી ષડયંત્ર વિશે વાત કરવા માંગતા હતા. હું ઉદાસીન હતો કારણ કે
મને એક મુસ્લિમ છોકરાની પ્રામાણિકતા પર શંકા હતી. મેં તમારી સાથે કેઝ્યુઅલ અને
અનૈતિક રીતે વાત કરી હતી પછી તમને દુખ પણ થયું હતું અને તમારી લાગણીઓ તમારા ચહેરા
પર સ્પષ્ટ દેખાતી હતી'(બિસ્મિલ
આત્મકથા (તેલુગુ) રામપ્રસાદ બિસ્મિલ, ઇન્ગુવા
મલ્લિકાર્જુન સરમા દ્વારા અનુવાદિત, માર્ક્સવાદી
અધ્યયન વેદિકા, હૈદરાબાદ,
1989, પેજ. 105)
બિસ્મિલ
અને અશફાકે તેમના અન્ય મિત્રો સાથે 1921 માં
અમદાવાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પરિષદમાં હાજરી આપી હતી. આ પરિષદમાં જ
મૌલાના હસરત મોહાનીએ 'સંપૂર્ણ
સ્વતંત્રતા' માટે ડ્રાફ્ટ રિઝોલ્યુશન રજૂ
કર્યું હતું. મૌલાનાના ભાષણે ડ્રાફ્ટ રિઝોલ્યુશનને ટેકો આપવાની અપીલ કરી હતી અને 'ઇન ટોટો'
પ્રતિનિધિઓને
પ્રભાવિત કર્યા હતા. આ સંદર્ભમાં બિસ્મિલ અને અશફાકે મોહાનીના ડ્રાફ્ટ
રિઝોલ્યુશનના સમર્થનમાં વાત કરી. મહાત્મા ગાંધીએ તેનો યોગ્ય રીતે વિરોધ કર્યો હતો,અને
તે
દિવસે તે ઠરાવ બની શક્યો નહીં.
આ રીતે
બિસ્મિલ અને અશફાક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત પરિષદો અને બેઠકોમાં
ભાગ લેતા રહ્યા. ત્યારબાદ બિસ્મિલની આગેવાની હેઠળ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન
દ્વારા આયોજિત અનેક સાહસિક ક્રાંતિકારી ચળવળોમાં અશફાકે ભાગ લીધો. જ્યારે અશફાકને
આ સાહસિક હુમલાઓની નિરર્થકતાનો અહેસાસ થયો જે લોકોને મુશ્કેલીમાં મૂકી દે છે ,
ત્યારે તેમનો વિરોધ કરે છે,એ વખતે
તેમણે પોતાની અનિચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ
લોકશાહી ઢબે તેમણે એસોસિએશનના નિર્ણયો સ્વીકાર્યા અને એસોસિએશનની તમામ પ્રક્રિયાઓ
અને પ્રવૃત્તિઓમાં ભાગ લીધો.
અશફાક
ધર્મનિષ્ઠ મુસ્લિમ હતો. બિસ્મિલ એક આર્ય સમાજિક હતા જેમણે હિન્દુ ધર્મમાંથી અન્ય
ધર્મોમાં પરિવર્તન પામેલાઓને પુન:સ્થાપિત કરવા માટે 'શુદ્ધિ
કાર્યક્રમો' સક્રિયપણે આયોજિત કર્યા હતા.
તેઓ બંને ધર્મમાં ભિન્ન છે, તેમ
છતાં માતૃભૂમિને બ્રિટિશ શાસકોની પકડમાંથી મુક્ત કરવાની તેમની અફર ઇચ્છાએ તેમને એક
કર્યા. આ રીતે તેમની વચ્ચે રચાયેલી મિત્રતા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના
ઇતિહાસમાં આદર્શ છે.
તેમની
મિત્રતાની લાગણી,સંબંધીઓ અને મિત્રોએ તેમના વિશે શું વિચાર્યું તેનું વર્ણન
બિસ્મિલ દ્વારા તેમની આત્મકથામાં કરવામાં આવ્યું છે.તે બધાને આશ્ચર્ય થતું કે એક
આર્ય સમાજિક અને શ્રદ્ધાળુના મુસ્લિમ મિત્રો કેવી રીતે બની શકે?
હું
આર્ય સમાજના પરિસરમાં રહેતો હતો અને મુસ્લિમોને હિન્દુ ધર્મમાં બદલતો હતો. પણ તેમને
આ બાબતોમાં જરા પણ વાંધો નહોતો. મારા કેટલાક મિત્રો તમારી સાથે તિરસ્કાર કરતા હતા
કારણ કે તમે મુસ્લિમ છો. પણ તમે મક્કમ રહ્યા. તમે મને મળવા માટે આર્ય સમાજના
પરિસરમાં આવતા હતા. જ્યારે હિન્દુ-મુસ્લિમ સંઘર્ષ થતો હતો,
ત્યારે
તમારા વિસ્તારના લોકો તમને ખુલ્લેઆમ ઠપકો આપતા હતા. પરંતુ તમે ક્યારેય તેમના
મંતવ્યો પર ધ્યાન આપ્યું નહી.’(બિસ્મિલ
આત્મકથા (તેલુગુ), પૃષ્ઠ .105-106).
અશ્ફાકના
પરિવાર અને મિત્રોએ તેના પર બિસ્મિલ સાથેની મિત્રતા તોડવા માટે ભારે દબાણ લાવ્યું.
પરંતુ અશફાક હાર્યો નહીં અને બિસ્મિલ સાથે મિત્રતા ચાલુ રાખી. તેઓ એ સમજવામાં
નિષ્ફળ રહ્યા કે બંને વચ્ચેનો સંબંધ તેમની માતૃભૂમિને મુક્ત કરવાનો તેમનો સમાન
ઉદ્દેશ હતો. તેમને ડર હતો કે તે ટૂંક સમયમાં ઇસ્લામ છોડીને હિન્દુ ધર્મમાં જોડાશે.
અશફાક એકવાર બીમાર પડ્યો અને બેભાન થઈ ગયો. તેનો પરિવાર અને મિત્રો ભારે ચિંતિત
હતા. બેભાન અવસ્થામાં પણ, અશફાકે 'રામ ...
હૈ ... રામ' ઉચ્ચાર્યું અને તેનાથી
પરિવારમાં ઘણો હંગામો અને મૂંઝવણ ઊભી થઇ.
બિસ્મિલ
પોતાની આત્મકથામાં આ વાત સમજાવતાં કહે છે : ‘તમારા
વિસ્તારના લોકો તમને ખુલ્લેઆમ ઠપકો આપે છે. પરંતુ તમે ક્યારેય તેમના મંતવ્યો પર ધ્યાન
આપ્યું નથી. તેઓએ તમને 'કાફિર'
પણ
કહ્યા. તમે મારા માટે ઊંડી પ્રશંસા કરી
હતી. તમે મને 'રામ'
કહેતા
હતા. એકવાર તમારા હૃદયના ધબકારા વધી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. તે સ્થિતિમાં
પણ તમે ‘રામ…
હૈ…
રામ’
બોલ્યા.
તમારા કુટુંબીજનો અને મિત્રો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ તમને 'અલ્લાહ
... અલ્લાહ ... અલ્લાહ' કહેવાનું
કહ્યું પણ તમે 'રામ ... રામ ... રામ'
બોલવાનું
બંધ ન કર્યું ત્યારે અમારા એક મિત્ર જે તમારા 'રામ ...
રામ ... રામ' ના ઉચ્ચારણનું રહસ્ય જાણતા હતા,તે
આવ્યા અને મને ત્યાં મોકલ્યો.મારા ત્યાં આવ્યા પછી જ તમને રાહત મળી. તમારા 'રામ..રામ'
ના
મંત્રોનું રહસ્ય બધા માટે પ્રગટ થયું. (બિસ્મિલ આત્મકથા (તેલુગુ),
પૃષ્ઠ. 106).
બિસ્મિલે
ક્યારેય તેની ધાર્મિક વિચારધારાથી અશફાકને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો નથી.
જ્યારે બિસ્મિલને ખબર પડી કે અશ્ફાકનો પરિવાર ‘શુદ્ધી’
દ્વારા
શુદ્ધ થવાની સંભાવના વિશે ચિંતિત છે. તેણે અશફાકને કહ્યું કે ‘તારો
પરિવાર તારા વર્તનથી ચિંતિત હતો અને ડર હતો કે તું ઇસ્લામ છોડીને શુદ્ધ થઈને હિંદુ
ધર્મમાં ફેરવાઈ જશે.’ પરંતુ તમારા હૃદયમાં કશું અશુદ્ધ નથી. તમારા માટે ત્યાં શું
છે, તેઓ શુદ્ધ થવાનું વિચારે છે?
આ
સંદર્ભમાં તમે જે પ્રગતિ કરી છે તે મારું હૃદય સંપૂર્ણ રીતે જીતી લે છે.’(બિસ્મિલ
આત્મકથા (તેલુગુ), પૃષ્ઠ. 106).
આ રીતે
બિસ્મિલે અશફાકની ધાર્મિક લાગણીઓ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યો.
અશફાકુલ્લાહ
ખાન જ્યાં પણ હતા રામપ્રસાદ બિસ્મિલ સાથે રહ્યા હતા. માતૃભૂમિની મુક્તિ સિવાય અન્ય
કોઈ વિચાર ન ધરાવતા યુવાનોએ મિત્રતાના આદર્શવાદી બંધનને પ્રદર્શિત કર્યું. તેઓએ એ
વાતને સાબિત કરી કે એક ઉદ્દેશ્ય માટે રચાયેલ બંધન જાતિ,
ધર્મ
અને જાતિના વિચિત્ર વિચારોથી ઉપર છે. બંનેની મિત્રતા એ હકીકતની સાક્ષી છે કે
માતૃભૂમિને મુક્ત કરવા માટે શરૂ કરાયેલ સશસ્ત્ર સંઘર્ષ ધાર્મિક આસ્થાની બેડીઓ તોડી
નાંખે છે.
અશ્ફાક
તેના હકારાત્મક અભિગમથી બિસ્મિલના મનમાંથી મુસ્લિમો વિશેના પૂર્વગ્રહોને ભૂંસી
નાખવા સક્ષમ હતા. જ્યારે માતૃભૂમિના પ્રશ્નની વાત આવે છે,
ત્યારે
હિન્દુ કે મુસ્લિમ એ જ રીતે જવાબ આપે છે, કોઈપણ
બલિદાન કરવામાં ક્યારેય અચકાતા નથી અને ધર્મ ક્યારેય અવરોધ બનતો નથી. અશફાકે તેના
અખંડ નિશ્ચય અને પ્રતિબદ્ધતા સાથે આ સાબિત કર્યું. રૂઢીચુસ્ત પરંપરાગત અને આર્ય
સામજિક પંડિત રામપ્રસાદ બિસ્મિલ અશફાક વિશે લખે છે : ‘છેવટે
એવો વિચાર આવ્યો કે મુસ્લિમોથી હિન્દુઓને અલગ પાડનારી કોઈપણ વસ્તુ મારા મનમાંથી
અદૃશ્ય થવા લાગી. તમને મારા માટે ઊંડો વિશ્વાસ અને અપાર સ્નેહ હતો ’.
(બિસ્મિલ આત્મકથા (તેલુગુ), પૃષ્ઠ .106).
અશફાકની
ખુશીની કોઈ સીમા નહોતી જ્યારે તેને પોતાની માતૃભૂમિની સેવા કરવાના સ્વપ્નને સાકાર
કરવાનો મોકળો માર્ગ મળ્યો. 'અશફાકે
કહ્યું : ‘મને આઝાદી અને સ્વતંત્રતા પ્રત્યે
લગાવ છે. હું હંમેશા મારી માતૃભૂમિની ખાતર મારો જીવ આપવા તૈયાર છું. મને ગુલામીની
માળા ગમે તેટલી આકર્ષક હોય તે પહેરવાનું ગમતું નથી,
અને હિન્દુસ્તાન
રિપબ્લિક એસોસિએશનના સભ્ય તરીકે બિસ્મિલ ક્રાંતિકારી ચળવળમાં આગળ વધ્યા.
જોકે
બિસ્મિલે શરૂઆતમાં અશફાકુલ્લાહ ખાનની રજૂઆતને નકારી કાઢી હતી,
પરંતુ જ્યારે
તેમણે ક્રાંતિકારી ચળવળ પ્રત્યે અશફાકની પ્રતિબદ્ધતા,
બલિદાન
માટેની તૈયારી અને પ્રવૃત્તિમાં પ્રામાણિકતા જોઈને તેના વિશે જાણી ખુશ થયો.
અશ્ફાકના પાત્ર, પ્રામાણિકતા અને તેના
અવિશ્વસનીય ક્રાંતિકારી વિચારોનું વર્ણન કરતાં બિસ્મિલ લખે છે ;
‘તમારા વિચારોએ મારા વિચારોનો રંગમાં રંગી દીધા છે. તમે અનુભવી
ક્રાંતિકારી બની ગયા છો. ત્યારથી તમારી પાસે દિવસ અને રાત એક જ ચિંતન હતું…
તમારા ક્રાંતિકારી
વિચારોને મુસ્લિમોના યુવા મનમાં કેવી રીતે દાખલ કરવા અને ક્રાંતિકારી ચળવળને કેવી
રીતે ટેકો આપવો . તમે તમારી વિચારધારા સાથે તમારા સગા-સંબંધીઓ અને મિત્રોને
પ્રભાવિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. મારા બધા સહ-ક્રાંતિકારીઓને આશ્ચર્ય થતું
કે હું કેવી રીતે એક મુસ્લિમને ક્રાંતિકારી સંગઠનના નોંધપાત્ર સારા સભ્યમાં ફેરવી
શક્યો. તમારું મન વિશાળ છે અને તમારા વિચારો મહાન છે.’(બિસ્મિલ
આત્મકથા (તેલુગુ) પૃષ્ઠ. 107)
અશ્ફાકે
ક્રાંતિકારી સંગઠનના સભ્ય તરીકે તેમને સોંપવામાં આવેલી કોઈપણ મુશ્કેલ જવાબદારી
માટે ક્યારેય 'ના'
કહ્યું
નથી. કે તેમણે કરેલા કોઈપણ પ્રયાસમાં તે ક્યારેય નિષ્ફળ ગયો નથી. તેમના વ્યક્તિગત
અભિપ્રાયને ધ્યાનમાં લીધા વિના, તેમણે
હંમેશા એસોસિએશનના સામૂહિક નિર્ણયોનું સન્માન કર્યું. અશફાક શિસ્તબદ્ધ સૈનિકની જેમ
તેમને સોંપવામાં આવેલી ફરજો અને જવાબદારીઓ સારી રીતે નિભાવીને બિસ્મિલના નજીકના
સહયોગી બન્યા. આનો ઉલ્લેખ કરીને બિસ્મિલ લખે છે;
‘મારા પ્રત્યેનું તમારું વલણ વખાણવા લાયક હતું. તમે ક્યારેય મારા આદેશોનો
અનાદર કર્યો નથી. તમે હંમેશાં આજ્ઞાકારી
કાર્યકર્તાની જેમ મારા ઓર્ડર લીધા અને પાળ્યા.’(બિસ્મિલ
આત્મકથા (તેલુગુ), પેજ. 107).
અશફાક
જેની પાસે ક્રાંતિકારી ચળવળ માટે લોખંડી ઇચ્છાશક્તિ હતી,
તેની
પાસે પ્રભાવશાળી ભૌતિક હતું. બિસ્મિલને ક્રાંતિકારી સંગઠનમાં અશફાક જેવો મજબૂત
માણસ હોવાનો ગર્વ હતો. તેણે અશફાકને એક મહાન યોદ્ધો માન્યો અને તેને ગર્વથી જાહેર કર્યું
કે ; 'હું અમુક અંશે સંતુષ્ટ છું,
તે એટલા
માટે કે તમે આ દુનિયામાં મારી પ્રતિષ્ઠા વધારી છે. અશફાકુલ્લાએ ક્રાંતિકારી
આંદોલનમાં ભાગ લીધો હતો કે તેના ભાઈ -બહેનો,
સંબંધીઓ
અને મિત્રો શું કહે છે એનું ધ્યાન ન રાખ્યું અને તે તેની ધરપકડ પછી પણ પોતાની વાત
પર અડગ રહ્યો અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં બોલ્ડ અક્ષરોમાં લખવા
યોગ્ય છે. તમે શારીરિક જ નહીં પણ માનસિક રીતે પણ એક મહાન યોદ્ધા છો. તમે સાબિત
કર્યું છે કે તમે એક મહાન આત્મા છો ’. (બિસ્મિલ
આત્મકથા (તેલુગુ), પૃષ્ઠ. 108).
અશફાકુલ્લાહ
ક્રાંતિકારી ચળવળના હેતુ માટે પોતાની જાતને સમર્પિત કરવાથી જ અટક્યા નથી. તેણે તેના
સંબંધીઓ અને મિત્રો સુધી તેનો પ્રકાશ ફેલાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. એક
ક્રાંતિકારી તરીકે તેમણે તેમના ઉદ્દેશો અને વિચારોથી તેમના સગા -સંબંધીઓને વાકેફ
કર્યા અને તેમને માતૃભૂમિની સેવામાં પવિત્ર થવા માટે પ્રોત્સાહિત કર્યા.બિસ્મિલ અશફાકની
પ્રશંસા કરતી વખતે લખે છે;
'તમે તમારા વિચારોને તે બધા લોકો સુધી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ
કર્યો છે જે તમારી સાથે સંબંધિત અને મૈત્રીપૂર્ણ છે. છેવટે,
આ
પ્રવૃત્તિઓના પરિણામ સ્વરૂપે, તેઓએ
તમને કોર્ટમાં મારા લેફ્ટનન્ટ તરીકે નામ આપ્યું. ચુકાદો લખનાર ન્યાયાધીશની વાત
કરીએ તો તેઓ તમને વિજયની માળા (હેન્ગમેન્સ નોઝ) થી શણગારે છે’(બિસ્મિલ
આત્મકથા (તેલુગુ), પૃષ્ઠ. 108).
ક્રાંતિકારીઓની
બેઠકો દરમિયાન અશફાકુલ્લાહ તેના મિત્રોના મંતવ્યોમાં પોતાનો મુદ્દો મજબૂત અને
સ્પષ્ટ રીતે રજૂ કરવાની ટેવ ધરાવતા હતા. જ્યારે પણ કોઈ મુદ્દે ચર્ચા થતી ત્યારે
તેમણે પોતાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ અને મોટેથી વ્યક્ત કર્યો જોકે તેમના સહ-ક્રાંતિકારીઓ
તેનો સખત વિરોધ કરતા. એકવાર સામૂહિક રીતે નિર્ણય લેવામાં આવ્યા પછી,અશફાક તેને
સંમતિ આપતા અને જોખમોની પરવા કર્યા વિના તેને ચલાવવા આગળ વધતા. અશફાકનું આ વલણ
તેમના લોકશાહી સ્વભાવને પ્રતિબિંબિત કરે છે,
જેમાં
તેઓ મૂર્ત સ્વરૂપ હતા.
અશફાકુલ્લાહ
ખાને ક્રાંતિકારી ચળવળમાં ક્યારેય કોઈના અનુયાયી બનવાનું પસંદ નથી કર્યું. તે
સભ્યો અને આગેવાનો માટે એક સમાન કાર્યકર્તા હતા. તેને ક્યારેય બિસ્મિલના અનુયાયી તરીકે
બોલાવવાનું ગમ્યું નહીં. પોતાના આદર અને આત્મસન્માનને સુરક્ષિત રાખીને,
અશફાક
એક ઊંચા મોભા-આદર સાથે ક્રાંતિકારી બન્યો. અશ્ફાકુલ્લાહ ખાનના સ્વભાવ,
વર્તન
અને આત્મસન્માનનો ઉલ્લેખ પોતાની આત્મકથામાં કરતા બિસ્મિલ લખે છે;
‘તમે મારા નાના ભાઈ જેવા હતા,પરંતુ તમે નાના ભાઈમાં જેટલા ખુશ ન હતા,એટલા
તમે એક મિત્ર તરીકે સમાન રીતે વર્તવા માંગવામાં વધુ ખુશ હતા.અંતે તમારી ઈચ્છા સાચી
પડી અને પરિપૂર્ણ થઇ.’(બિસ્મિલ
આત્મકથા (તેલુગુ), પૃષ્ઠ. 105).
બે
ક્રાંતિકારીઓ વચ્ચેના આ ગાઢ સંબંધને
કારણે જ, બિસ્મિલે ડિસેમ્બર 1927 માં
લખેલી આત્મકથામાં અશફાકુલ્લાહ માટે એક આખું પ્રકરણ સમર્પિત કર્યું,
ત્યારબાદ
તેને કાકોરી ટ્રેન ઘટના કેસમાં ફાંસીની સજા આપવામાં આવી. તે પ્રકરણમાં તેમણે
અશફાકુલ્લાહ ખાનની પ્રતિબદ્ધતા, તેનો
સાહસિક સ્વભાવ, તેની બલિદાનની ભાવના,આત્મસન્માન
અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમનું આબેહૂબ વર્ણન કર્યું.ફાંસી આપવાના ત્રણ દિવસ
પહેલા, બિસ્મિલે જેલમાંથી ગુપ્ત રીતે
તેમની આત્મકથા સંબંધિત તે દિવસ સુધી લખાયેલા કાગળો શિવા સરમા દ્વારા મોકલ્યા જેઓ
તેમની મુલાકાત લેવા જેલમાં આવ્યા હતા. આત્મકથા 1929 માં
ગણેશ શંકર વિદ્યાર્થી દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી ,જેઓ સામયિક 'પ્રતાપ'ના
તંત્રી હતા. 1939 માં
બ્રિટીશ સરકારે આ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો. તે સમય સુધીમાં પુસ્તક લોકોના
હાથમાં પહોચી ગયું હતું. આઝાદી પછી પુસ્તક ફરી એકવાર પ્રકાશિત થયું.
બિસ્મીલે
અશ્ફાકુલ્લાહ માટે આખું પ્રકરણ શા માટે સમર્પિત કરવું પડ્યું તે સમજાવતાં તે લખે
છે, ‘આ કેસમાં મેં ભજવેલી ભૂમિકામાં
હું શ્રી અશફાકુલ્લાહ ખાન વારસીનો ઘણો ઋણી છું. આ અંતિમ ક્ષણોમાં મને લાગે છે કે
તેમના વિશે થોડાક શબ્દો લખવાની મારી ફરજ બને છે’(બિસ્મિલ
આત્મકથા (તેલુગુ), પૃષ્ઠ. 105).
બિસ્મિલના
આ શબ્દો આપણને એક ઝલક આપે છે કે અશફાકુલ્લાહ ખાને ભજવેલી ભૂમિકા કેટલી મહત્વની અને
તેમની મિત્રતાના સંબંધો કેટલા મજબૂત હતા.
અશફાકુલ્લાહ
ખાને હિન્દુ -મુસ્લિમ એકતાને પ્રાધાન્ય આપ્યું. તે એવી સ્વતંત્રતા ઈચ્છતો હતો કે
જે અસમાનતાનો સામનો ક્યારેય ન કરે. આ સંદર્ભમાં અશફાક અને બિસ્મિલ મૌલાના અબુલ કલામ
આઝાદની સમાન ઊભા છે. આનો ઉલ્લેખ કરીને બિસ્મિલ લખે છે,
‘તમે હંમેશા હિન્દુ-મુસ્લિમ એકતા માટે ઊભા હતા. તમે સાચા મુસ્લિમ અને
સાચા દેશભક્ત છો.’(બિસ્મિલ
આત્મકથા (તેલુગુ), પૃષ્ઠ .106).
અશફાક
અને બિસ્મિલ માનતા હતા કે જો ભારતીયોને ધર્મના નામે વિભાજિત કરવામાં આવે તો
સ્વતંત્રતા પ્રાપ્ત કરવી અશક્ય છે. તેથી અશફાક અને બિસ્મિલ બંનેના મક્કમ અભિપ્રાય
હતા કે બ્રિટિશ શાસનની પકડમાંથી માતૃભૂમિની મુક્તિ માટે હિન્દુઓ અને મુસ્લિમો
વચ્ચે એકતા ખુબ જરૂરી છે.
જિંદગીના
છેલ્લા દિવસોમાં અશફાકુલ્લાહ ખાને પોતાના દેશવાસીઓને અપીલ કરી હતી,
‘ભારતમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે અણબનાવના કારણે બ્રિટિશ શાસન
ચાલુ છે. આ અસમાનતાને કારણે જ ભારત બ્રિટીશ શાસન હેઠળ આવ્યું. અંગ્રેજી શાસકો
આપણને વિભાજીત કરવા અને ભારતમાં તેમનું શાસન ચાલુ રાખવા માટે પૈસા અને હોદ્દાનો
ઉપયોગ છળકપટ તરીકે કરે છે. મોટા નેતાઓ પણ પૈસા અને હોદ્દાની લાલચનો શિકાર બન્યા છે
. હું મરવાનો છું. હું મારા દેશ માટે મરવા જઈ રહ્યો છું. મારા શબ્દો સાંભળો. એક
રહો.(શહીદ અશફાકુલ્લાહ ખાન ઔર ઉનકા
યુગ (હિન્દી), સુધીર વિદ્યાર્થી દ્વારા,
અલ્હાબાદ,
2010, પેજ નંબર 119).
અશ્ફાકે
એ દિવસોમાં આર્ય સામાજીકો અને
મુસ્લિમો દ્વારા થતા ધર્માંતરણનો વિરોધ કર્યો અને ચેતવણી આપી હતી કે ધર્મના નામે
તમામ સંઘર્ષો શાસક વર્ગો દ્વારા રચવામાં આવેલા કાવતરા છે. ફાંસી આપવાના ત્રણ દિવસ
પહેલાં, અશ્ફાકે 16
ડિસેમ્બર 1927 ના રોજ
ફૈઝાબાદ જેલમાંથી દેશવાસીઓને સંબોધીને એક પત્ર લખ્યો હતો.પત્રમાં તેણે લખ્યું કે,
'દેશના ભાઈઓ અને બહેનો, તમે જે
પણ ધર્મ કે પરંપરાને અનુસરો છો,સાથે આપણી
માતૃભુમીની સેવા માટે સખત પ્રયત્ન કરો. અંદરોઅંદર ઝઘડા ન કરો. બધા ધર્મો એક જ
લક્ષ્ય હાંસલ કરવાનાં સાધનો છે. તો પછી, આ
નિરર્થક ઝઘડાઓ અને સંઘર્ષો શા માટે.!? દેશને આઝાદ કરવા એકતા સાથે બ્રિટીશ શાસન
સામે લડવું. છેલ્લે, આપ સૌને
મારા સલામ. ભારતને આઝાદ થવા દો. ભારતના મારા ભાઈઓ અને બહેનોને ખુશ રહેવા દો’.(જ્ઞાપકમ
ચેસુકોંડી એપ્પુદ્યના (શહીદોના પત્રો) તેલુગુ,
ભારત
સરકાર, નવી દિલ્હી,
શ્રી
જે. લક્ષ્મી રેડ્ડી દ્વારા તેલુગુ અનુવાદ,
પૃષ્ઠ 43).
અશફાકુલ્લાહ
ખાન દ્વારા ઉચ્ચારવામાં આવેલા અમર શબ્દો આજના દિવસોમાં પણ લાગુ પડે છે. રાષ્ટ્રોના
સમૂહમાં ભારતનો ઉદય થાય તે માટે દેશના મુખ્ય સમુદાયો હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે
એકતા મજબૂત કરવાની તાતી જરૂરિયાત છે. અશફાકુલ્લા ખાન,
જે
હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે એકતાનું મજબૂત બંધન ઇચ્છતા હતા અને તેમના જીવનના અંત
સુધી તે આદર્શ માટે સંઘર્ષ કર્યો હતો. તેઓ બિનસાંપ્રદાયિકતાનું પ્રતીક છે. પ્રખ્યાત
ક્રાંતિકારી શ્રી મન્મધનાથ ગુપ્તાએ બિસ્મિલની આત્મકથાના પોતાની પ્રસ્તાવનામાં આનો
પડઘો પાડ્યો છે જ્યારે તેઓ લખે છે કે 'એવું
કહી શકાય કે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક વચ્ચેની મિત્રતા સર્વોચ્ચ ક્રમની જૂની
શૈલીની બિનસાંપ્રદાયિકતાનું ઉદાહરણ આપે છે.'
(બિસ્મિલ આત્મકથા (તેલુગુ), પૃષ્ઠ. IV).
કાકોરી
ટ્રેન ઘટના, જેને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના
ઇતિહાસમાં સનસનાટીભરી અને સાહસિક ઘટના તરીકે વર્ણવવામાં આવે છે,
જે 9 ઓગસ્ટ,
1925 ના રોજ બિસ્મિલના નેતૃત્વ હેઠળ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના દસ
યુવાનોના જૂથ દ્વારા ચલાવવામાં આવી હતી. અશફાકુલ્લાહ આ જૂથના સભ્ય હતા,
શરૂઆતમાં
પ્રવૃત્તિનો વિરોધ કર્યો હતો. તેમનો મત હતો કે આ પ્રકારની ક્રિયાઓ ક્રાંતિકારી
ચળવળને નુકસાન કરશે. જોકે લોકશાહી તરીકે, તેમણે
એસોસિએશન દ્વારા લેવાયેલા સામૂહિક નિર્ણયનું સન્માન કર્યું અને કાકોરી ટ્રેન
ઘટનામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. જૂથના સભ્યોમાં સૌથી મજબૂત હોવાને કારણે,
જ્યારે
છાતી પર બંદૂકો અને કુહાડીઓ જેવા હથિયાર ન હતા ત્યારે અશ્ફાકે હથોડાથી વારંવાર
પ્રહાર કરીને સરકારી લોખંડની તિજોરી તોડી અને ખોલી.
અશફાકુલ્લાહ
ખાન પકડાયા પછી, બ્રિટીશ સરકારે ક્રાંતિકારીઓ
અને તેમના સહકાર્યકરો પર કડક કાર્યવાહી
કરી. થોડા સમયમાં તે હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશનના મહત્વના સભ્યોની ધરપકડ
કરવામાં સફળ રહ્યા. જોકે અશફાક જેણે આ કાર્યવાહીમાં ભાગ લીધો હતો તેણે પોલીસને થાપ
આપી અને ભૂગર્ભમાં ચાલ્યા ગયા. બ્રિટીશ કોર્ટે તેમની ગેરહાજરીમાં ધરપકડ કરાયેલા
સભ્યોનું પગેરું શોધવાનું ટ્રાયલ શરૂ કર્યું. અશફાકે પોતાની વેશભૂષા બદલી, બ્રિટિશ
જાસૂસો અને પોલીસ દ્વારા પકડાયા વગર થોડોક સમય ભૂગર્ભમાં રહી શક્યા. છેવટે એક
મિત્ર દ્વારા વિશ્વાસઘાતના પરિણામે દિલ્હીમાં તેની ધરપકડ કરવામાં આવી.
અશફાકની
ધરપકડ કર્યા પછી, બ્રિટીશ
સરકાર તેની પાસેથી તેમના ક્રાંતિકારી સંગઠનના રહસ્યો જાણવા માંગતી હતી. તેણે કંઈપણ
જાહેર ન કર્યું હોવાથી, તેઓ
તેને કાબૂમાં લેવા માટે ધર્મનું કાર્ડ રમવા માંગતા હતા. આ માટે તેઓએ મુસ્લિમ
અધિકારી તસદદ્દીક હુસૈન, નાયબ
પોલીસ અધિક્ષકને કામે લગાડ્યા. તસદદ્દીક હુસૈન એ હકીકતનો ઉપયોગ કરવા માંગતા હતા કે
અશ્ફાક મુસ્લિમ છે જ્યાં બિસ્મિલ હિંદુ છે. તેણે અશફાકને કહ્યું,
‘રામપ્રસાદ હિન્દુ અને આર્ય સામાજિક છે. તેમનો ઉદ્દેશ ભારતમાં હિન્દુ
રાજની સ્થાપના કરવાનો છે જે મુસ્લિમોના હિતોનો વિરોધી છે. એક મુસ્લિમ તરીકે તમે
તેમના કોમવાદને ખતમ કરો અને સરકારને સહકાર
આપો. જેમ કે તમારી ધાર્મિક પરંપરાઓ મુજબ વિધર્મી સાથે સહકાર આપવો ,એ કબૂલાત આપવી
અને તમારો જીવ બચાવવો અને તમારા ધર્મના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે' (બિસ્મિલ
આત્મકથા (તેલુગુ), પૃષ્ઠ. 151)
અધિકારીએ
અશફાકને કબૂલાત માટે સમજાવવાનો ભરપુર પ્રયાસ કર્યો.
તસદ્દીક
હુસૈને અશફાકને તેમની તરફેણમાં ફેરવવા માટે ભારે દબાણ કર્યું. તેમણે કહ્યું કે તેઓ
સરકારને તેના તરફી કરવા માટે મનાવશે. અશફાકુલ્લા ખાને સ્મિત સાથે તેમના શબ્દો
સાંભળ્યા. પછી તસદ્દીક હુસૈનના શબ્દો, 'હિન્દુ
રાજની સ્થાપના' ના જવાબમાં
'તમારી સલાહ બદલ આભાર.' જો
ક્રાંતિકારીઓ ભારતમાં હિન્દુ રાજની સ્થાપના કરવાનો પ્રયાસ કરે છે,
તો હું
માનું છું કે હિન્દુ રાજ અંગ્રેજોના જુલમ કરતાં મુસ્લિમોના હિત માટે ઘણું સારું
છે. પરંતુ હું સારી રીતે જાણું છું કે ક્રાંતિકારીઓનો ઉદ્દેશ તમામ ભારતીયોની આઝાદી
છે '(શહીદ અશફાકુલ્લાહ ખાન ઔર ઉનકા યુગ (હિન્દી),
સુધીર વિદ્યાર્થી
દ્વારા, અલ્હાબાદ,
1980, પેજ નંબર 52). અશફાકના
આ જવાબથી પોલીસ અધિકારી મુંઝવણમાં મુકાયા હતા.
પરંતુ
બ્રિટિશ સરકાર અને તેની પોલીસના ઉચ્ચ અધિકારીઓ આટલે અટક્યા નહીં. તેઓએ શ્રી
ઇનુદ્દીન નામના મુસ્લિમ મેજિસ્ટ્રેટને અશફાકના દિલોદિમાગમાં કોમી ઝેરના બીજ વાવવા
માટે કામે લગાડ્યા જેથી તેને તેમની તરફેણમાં બદલી શકાય. તેમની યોજના મુજબ એક દિવસ
મેજિસ્ટ્રેટ ઇનુદ્દીન અશફાકને મળ્યા અને તેના પરિવાર વિશે પૂછપરછ કરી. તેમણે એવી
સજાઓ અંગે ચેતવણી આપી હતી કે જેઓ 'કાકોરી
ટ્રેન ઘટના' માં ભાગ લેનારાઓને આપવામાં
આવશે. જ્યારે અશફાક હાર્યો નહીં, ત્યારે
તેણે ધર્મના હથિયારનો ઉપયોગ કર્યો.
આ સમયે
ઈનુદ્દીને ખૂબ જ ચતુરાઈથી પ્રશ્ન કર્યો, ‘આ બધું
હિંદુઓનું ષડયંત્ર છે. રામપ્રસાદ બિસ્મિલ હિંદુ રાજ માટે લડે છે. તમને કેવી રીતે
ગેરમાર્ગે દોરવામાં આવ્યા? 'અશ્ફાક
તરત જ પ્રશ્નમાં ‘ભાગલા પાડો અને રાજ કરો 'ની
રણનીતિ જાણી ગયો અને વળતો જવાબ આપ્યો,'બિસ્મિલ
હિન્દુ રાજ માટે લડે છે તે સાચું નથી,જો તે સાચું હોય,તો ઠીક
છે. હિન્દુ રાજ બ્રિટિશ રાજ કરતાં વધુ સારું છે’(શહીદ
અશફાકુલ્લાહ ખાન ઔર ઉનકા યુગ (હિન્દી), પૃષ્ઠ
નં. 52).
અશફાક
ત્યાં જ અટક્યો નહીં. તેમણે ઉમેર્યું કે ‘આ કેસમાં હું એકલો મુસ્લિમ છું જેથી મારી
જવાબદારી ખુબ વધી જાય છે. જો હું કોઈ ભૂલ કરું તો તે સામાન્ય રીતે મુસ્લિમો અને
ખાસ કરીને પઠાણો પર કલંક બની જશે. તો મને સન્માનપૂર્વક મરવા દો ’.
(શહીદ અશફાકુલ્લાહ ખાન ઔર ઉનકા યુગ (હિન્દી),
પેજ
નંબર 53). આ
જવાબથી આઘાત લાગ્યો, મેજિસ્ટ્રેટ
ચૂપ થઈ ગયા અને હાર માની લીધી.
અશ્ફાક
અને બિસ્મિલ વચ્ચેની ગાઢ મિત્રતા અને માતૃભૂમિને મુક્ત કરવાના સમાન ઉદ્દેશ કે જેના
માટે તેઓ એક સાથે લડી રહ્યા હતા,અશફાકુલ્લાહ ખાનને રામપ્રસાદ બિસ્મિલ માટે પોતાનું
જીવન બલિદાન આપવા માટે પણ ઉશ્કેર્યા. જ્યારે કાકોરી ટ્રેન દુર્ઘટનાની સુનાવણી પૂરી
થઈ, ત્યારે કેસ સાથે સંકળાયેલા તમામ
ક્રાંતિકારીઓને સખત સજા આપી ચુકાદો આપવામાં આવ્યો. તમામ અપીલ ફગાવી દેવામાં આવી
અને વિવિધ સજાઓની પુષ્ટિ કરવામાં આવી. પછી આશાનું એકમાત્ર કિરણ લંડનમાં પ્રિવી
કાઉન્સિલને અપીલ કરવાનું બાકી રહ્યું.
અશ્ફાકુલ્લાહ
ખાન, જેની કેસના આ તબક્કે ધરપકડ
કરવામાં આવી હતી તે તેના જીગરી દોસ્ત અને 'હિન્દુસ્તાન
રિપબ્લિક એસોસિએશન' ના નેતા
રામ પ્રસાદ બિસ્મિલને ફાંસીની સજાથી બચાવવા માંગતો હતો. તેમણે વકીલોની સલાહ લીધી.
તેના મિત્ર બિસ્મિલ સાથે વાત કરી. છેવટે તેને ખબર પડી કે તે બિસ્મિલને ત્યારે જ
બચાવી શકશે જ્યારે તે ગુનો સંપૂર્ણપણે
પોતાને માથે લઇ લે. અશફાક માનવું હોય છે કે ક્રાંતિકારીઓએ પોતાનો જીવ બચાવવા માટે
અપીલ ન કરવી જોઈએ અને માફી ન માંગવી જોઈએ,એવી દ્રઢ માન્યતા હોવા છતાં અશફાક
અનિચ્છાએ બિસ્મિલની વિનંતી પર પ્રિવી કાઉન્સિલને અપીલ કરવા સંમત થયા.
તે મુજબ
અશ્ફાકુલ્લાહ ખાને પ્રીવી કાઉન્સિલ સમક્ષ રજૂઆત કરવા માટે એક અરજી તૈયાર કરી અને
કહ્યું કે તેઓ કાકોરી ટ્રેન ઘટના માટે સંપૂર્ણપણે દોષિત છે. તેમની અરજી જોઈને,
તેમના
વકીલ શ્રી કૃપા શંકર હઝેલા ચિંતિત હતા અને તેમને ચેતવણી આપી હતી કે જો તે આવું
જાહેર કરશે તો તેમને મૃત્યુદંડ આપવામાં આવશે. પણ અશફાક હાર્યો નહીં. તેમના વકીલ
કૃપા શંકરની ચેતવણીઓ પર ધ્યાન ન આપતાં પોતાના મિત્ર અને ક્રાંતિકારી ચળવળના નેતા
બિસ્મિલ માટે પોતાનું જીવન બલિદાન આપવા માટે તૈયારી દર્શાવી,
અશ્ફાકે
પોતાની અરજી પ્રિવી કાઉન્સિલને મોકલી અને ઐતિહાસિક કાકોરી ટ્રેન દુર્ઘટનાના ગુનાની
સંપૂર્ણ જવાબદારી પોતાના માથે લીધી.
તેમના
નિર્ણય સામે વાંધો ઉઠાવતાં તેમના વકીલને સત્ય અને તેમનો ઈરાદો સમજાવતા અશફાકે
કહ્યું કે ‘મેં પસંદ કરેલો રસ્તો કાંટાળો
છે અને આજે દેશ ખાતર જીવ આપવાની જરૂર છે. જ્યારે અપરાધની કબૂલાતની વાત આવે છે,
ત્યારે
હું માત્ર આ ગુનાને જ નહીં પરંતુ અન્ય તમામના ગુનાઓને કબૂલ કરવા માટે તૈયાર છું.’(શહીદ
અશફાખુલ્લાહ ખાન ઔર ઉનકા યુગ (હિન્દી), પૃષ્ઠ
નં. 85) આમ તેણે
પોતાની નીતિનું પુનરાવર્તન કર્યું અને કાકોરી ટ્રેન દુર્ઘટનામાં ગુનાના સંપૂર્ણ દોષનો
ટોપલો પોતાને માથે લીધો.
આ બાબતે
તેના વકીલ સાથે વાત કરતા અશફાકુલ્લા ખાને કહ્યું, :
‘હું
હંમેશા સૈનિક રહ્યો છું. શ્રી રામપ્રસાદ બિસ્મિલ અમારા નેતા છે. તે પ્રતિબદ્ધ
દેશભક્ત અને મહાન બૌદ્ધિક છે. જો હું તેમને બચાવવા માટે મારા જીવનનું બલિદાન આપું
તો તે અમારી પાર્ટી અને તેના ઉદ્દેશો માટે સારું રહેશે. હું માત્ર એક સૈનિક છું.
હું તેની બુદ્ધિ અને વલણ સમકક્ષ નથી. તેથી તેમને બચાવવા જરૂરી છે ’(શહીદ
અશફાકુલ્લાહ ખાન ઔર ઉનકા યુગ (હિન્દી), પૃષ્ઠ
ક્રમાંક 86).
તેને આ
અરજી તૈયાર કરવા માટે શું બનાવ્યું તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા પર,
અશફાકે
તેના વકીલને વધુ સમજાવ્યું, 'હકીકત એ
છે કે મેં બિસ્મિલની ઇચ્છા મુજબ આ લખ્યું છે. તેણે કહ્યું કે જો હું આવું લખું તો
તેને મૃત્યુદંડની સજાને બદલે આજીવન કેદની સજા થશે. મેં તેને વચન આપ્યું હતું કે
હું તે કરીશ જે તેના માટે સારું હશે. તેની સુખાકારી માટે મેં આ અરજી તૈયાર કરી છે.
(શહીદ અશફાકુલ્લાહ ખાન ઔર ઉનકા યુગ (હિન્દી),
પેજ
નંબર 86). આ ખુલાસો
સાંભળ્યા પછી પણ વકીલ કૃપા શંકર હાજેલાએ તેમને સખત ચેતવણી આપી હતી કે તે પિટિશન
કોઈને પણ ન મોકલો કારણ કે તેના કારણે તેમનો જીવ જશે. અશફાકુલ્લાહ ખાને જે પોતાના
સાથી મિત્ર માટે પોતાનું જીવન બલિદાન આપવા માટે તૈયાર હતા તે કોઈ પણ ફેરફાર કર્યા
વગર પ્રિવી કાઉન્સિલને મોકલી દીધી હતી.
અંગત
રીતે રામપ્રસાદ બિસ્મિલે અશફાકને ભાઈ અને એક મહત્વના ક્રાંતિકારી માન્યા. બ્રિટિશ
મેજિસ્ટ્રેટ કે જેમણે 'કાકોરી
કાવતરું કેસ' અજમાવ્યો તેમણે અશ્ફાકને
બિસ્મિલના સહ-ક્રાંતિકારી તરીકે નામ આપ્યું. અશ્ફાકુલ્લાહ ખાન જેમણે હિન્દુસ્તાન
રિપબ્લિક એસોસિએશન દ્વારા ચલાવવામાં આવેલી અનેક ક્રિયાઓમાં બિસ્મિલ સાથે પોતાની
જવાબદારીઓ નિભાવી હતી, કાયદાની
કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજામાં પણ બિસ્મિલ સાથે સમાનતાનો આનંદ માણ્યો હતો.
તેણે ક્યારેય બિસ્મિલ દ્વારા નક્કી કરેલી રેખા પાર કરી ન હતી. ન તો તેણે બિસ્મિલ
માટે પોતાનું જીવન બલિદાન આપતા અચકાયા હતા. તે બિસ્મિલના શબ્દનું સન્માન કરવા માટે
તેની ઇચ્છા વિરુદ્ધ તેની દયા અરજી મોકલવા માટે પણ તૈયાર થયા હતા.
જ્યારે
લોકો અને લોકોના પ્રતિનિધિઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ તમામ સ્તરે નકારી કાઢવામાં
આવી હતી, ત્યારે માફી આપવા માટે બ્રિટિશ
સરકારના વડાને દયા અરજી મોકલવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. મૃત્યુદંડની સજા પામેલા
તમામ લોકો દયા અરજીઓ મોકલી રહ્યા હતા પરંતુ અશફાક માફી માંગવા સંમત નહોતા. ઈશ્વરમાં
અપાર શ્રદ્ધા ધરાવતા માનવ તરીકે, અશફાકનું
માનવું હતું કે બધું ઈશ્વરની ઈચ્છા મુજબ થાય છે અને તેને મૃત્યુદંડની સજા
ફટકારવામાં આવી હતી કારણ કે તે (ઈશ્વર) દુનિયામાં તેની ભૂમિકાનો અંત લાવવા માંગતો
હતો અને કહ્યું હતું કે તે સજા સ્વીકારવા તૈયાર છે,
તેણે
તેના મિત્રો અને સંબંધીઓને પત્રમાં લખ્યું.
સરદાર
ભગતસિંહે 'વિદ્રોહી'
ઉપનામ
હેઠળ એ જ વાત કહી હતી જ્યારે તેમણે 1928 માં 'કીર્તિ'
ના
અંકમાં બિસ્મિલના છેલ્લા સંદેશને ટાંક્યો હતો. 'અશફાકુલ્લાના
વિચારો મારા જેવા જ હતા. જ્યારે તે અપીલ લખી રહ્યો હતો ત્યારે મેં લખનૌ જેલમાં
તેની સાથે વાત કરી. સરકારને દયા અરજીઓ રજૂ કરવા સામે તે મરી જ ગયો હતો. તે એટલા
માટે હતું કારણ કે તેના પર દબાણ કર્યું અને કારણ કે તે શબ્દોનો અપમાન ન કરી શક્યો અને
અશફાક તેની સાથે સંમત થયો '(જ્ઞાપકમ
ચેસુકોંડી એપ્પુદ્યના (શહીદોના પત્રો) તેલુગુ,
ભારત
સરકાર, નવી દિલ્હી,
પૃષ્ઠ 28
અને 40).
અશફાકુલ્લા
ખાને કહ્યું કે માતૃભૂમિની આઝાદીની લડત દરમિયાન મૃત્યુને સ્વીકારવું એ પવિત્ર બાબત
છે જેના પર ગર્વ હોવો જોઈએ. તેને ફાંસી આપવાના બે દિવસ પહેલા તેના મિત્રો અને
સંબંધીઓ સાથે વાત કરતાં અશફાકુલ્લાએ કહ્યું કે,
'આજે હું આશા સાથે સન્માનની લાગણી અનુભવું છું કે માતૃભૂમિની મુક્તિ
માટે એક પવિત્ર અને મોટી જવાબદારી મને સોંપવામાં આવી... તમારે ખુશ થવું જોઈએ અને
ગર્વ છે કે તમારામાંથી એક નસીબદાર છે કે
માતૃભૂમિને પોતાનું જીવન અર્પણ કરી શકે. ''(સ્વતંત્રતા
ચળવળ અને ભારતીય મુસ્લિમો, સંતમોય
રે, પીપલ્સ પબ્લિશિંગ હાઉસ,
નવી દિલ્હી,
1983 પેજ નંબર 43).
જનતાની
અપીલ સરકારને હલાવી શકી નહી. પ્રતિનિધિઓની અરજીઓ,ફોર્મ ડસ્ટબિનમાં જોવા મળી. દયા માટેની અરજીઓ ફગાવી
દેવામાં આવી હતી. છેલ્લે રામ પ્રસાદ બિસ્મિલ,
ઠાકુર
રોશન સિંહ, રાજેન્દ્ર લહરી અને
અશ્ફાકુલ્લાહ ખાન જે સ્વાતંત્ર્ય સેનાનીઓને મુખ્ય કેસ અથવા પૂરક કેસમાં ટ્રાયલનો
સામનો કરવો પડ્યો હતો તેમને દોષિત ઠેરવવામાં આવ્યા અને ફાંસી આપીને મોતની સજા આપવામાં આવી. અદાલતે 19
ડિસેમ્બર, 1927 ના રોજ
અશફાકુલ્લાહ ખાનને ફૈઝાબાદ જેલમાં અને બિસ્મિલને ગોરખપુર જેલમાં ફાંસી આપવાનો આદેશ
આપ્યો હતો. આદેશો અનુસાર અશફાકુલ્લાહ ખાનને લખનૌ જેલમાંથી ફૈઝાબાદ જેલમાં
ખસેડવામાં આવ્યો હતો.
તેમના
અંતિમ દિવસોમાં પણ અશફાકુલ્લાહ ખાન અને રામપ્રસાદ બિસ્મિલે ભારતીયોને તેમના ધર્મને
ધ્યાનમાં લીધા વગર સાથે રહેવાની અપીલ કરી હતી.ફાંસી આપવાના ત્રણ દિવસ પહેલા
અશફાકુલ્લાહે 16 ડિસેમ્બર
1927 ના રોજ પોતાના દેશવાસીઓને
સંબોધીને એક પત્ર લખ્યો હતો, ‘દેશના
ભાઈઓ અને બહેનો, તમે જે પણ ધર્મ કે પરંપરાને
અનુસરો છો, આપણી માતૃભૂમિની સેવા માટે સખત
મહેનત કરો. અંદરોઅંદર ઝઘડા ન કરો. બધા
ધર્મો એક જ લક્ષ્ય હાંસલ કરવાનાં સાધનો છે. તો પછી આ નિરર્થક ઝઘડાઓ અને સંઘર્ષો શા
માટે? દેશને આઝાદ કરવા એકતા સાથે
બ્રિટીશ શાસન સામે લડવું. છેલ્લે, આપ સૌને
મારા સલામ. ભારતને આઝાદ થવા દો. ભારતના મારા ભાઈઓ અને બહેનોને ખુશ રહેવા દો ’.
શહીદ બનનારા
તેમના સાથીઓ વતી નિવેદન આપતાં રામપ્રસાદ બિસ્મિલે કહ્યું,
'આપણે ફરી જન્મ લઈશું, ફરી
મળીશું અને સાથીઓ તરીકે માતૃભૂમિ માટે ફરીથી સંયુક્ત રીતે લડશું'
(સ્વતંત્રતા ચળવળ અને ભારતીય મુસ્લિમો,
સંતમોય
રે, પીપલ્સ પબ્લિશિંગ હાઉસ,
નવી
દિલ્હી, 1983 પેજ
નંબર 43). જોકે
મુસ્લિમો પુનર્જન્મમાં માનતા નથી, અશ્ફાકુલ્લાહ
ખાને બિસ્મિલની ભાવનાનો પડઘો પાડ્યો જ્યારે તેમણે કહ્યું હતું કે 'જો
ભગવાન મારી સમક્ષ હાજર થાય, તો હું
તેમને વિનંતી કરીશ કે સ્વર્ગને બદલે મને પુનર્જન્મ આપો જેથી હું ફરી એકવાર મારી
માતૃભૂમિ માટે મારા જીવનનું બલિદાન આપી શકું.
આખરે 19
ડિસેમ્બર
1927 ના રોજ સવારે બ્રિટિશ સરકારે
અશફાકુલ્લાહ ખાનને ફૈઝાબાદ જેલમાં, પંડિત
રામપ્રસાદ બિસ્મિલને ઉત્તર પ્રદેશની ગોરખપુર જેલમાં ફાંસી આપી. અશ્ફાકુલ્લાહે 27
વર્ષની
ઉંમરે દુનિયા છોડીને કહ્યું કે 'મારી
માતૃભૂમિ હંમેશા મુક્ત અને સમૃદ્ધ હોવી જોઈએ ... હું અહીં હોઉં કે ન હોઉં.'
રામપ્રસાદ
બીસ્મિલ્લે 30 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લેતાં કવિની કલ્પના કરી સશસ્ત્ર
સંઘર્ષોના ભવિષ્ય અને માતૃભૂમિની મુક્તિ વિષે કહ્યું,
'બિસ્મિલ, રોશન,
લહરી,
અશફાક
અન્યાયી રીતે મૃત્યુ પામશે ... સેંકડો યોદ્ધાઓ આપણે જે લોહી વહેવડાવ્યા છે તેમાંથી
જન્મશે.' અશફાકુલ્લાહ ખાન અને પંડિત
રામપ્રસાદ બિસ્મિલ, જેઓ એક
પવિત્ર લક્ષ્ય સાથે સશસ્ત્ર સંઘર્ષના માર્ગમાં એક દિશામાં આગળ વધ્યા અને એક સમાન
પવિત્ર માધ્યમ, યોગ્ય રીતે મિત્રતા અને
હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે વર્ણવી શકાય છે.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : પંડિત રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લાહ ખાન( હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રહરીઓ)) મોબાઇલ : + 91 9440241727.
અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ : હિદાયત પરમાર
Comments
Post a Comment