અલીગઢમાં ઉભેલી સર સૈયદ દ્વારા બાંધવામાં આવેલી દરેક ઇમારત લાલ કિલ્લા, તાજમહેલ, હવા મહેલ કરતાં પણ ઘણી ઊંચી-બુનિયાદ છે, કારણ કે
તેમણે કોઈ મુલ્લાની જેમ કૌમની કસીદાઓ નથી વાંચ્યા. કોઈપણ ધાર્મિક નેતાની જેમ તેમણે ધર્મના રક્ષણની ઘોષણા કરી ન હતી. કોઈપણ પાદરીની જેમ, ઈસુનો વાસ્તો ન હતો આપ્યો. કોઈપણ કહેવાતી સાંસ્કૃતિક સંસ્થાની જેમ, લાકડીઓના ઉપયોગ માટે તાલીમ આપવામાં આવી ન હતી. તેમને ઝંડા અને બોમ્બ સાથે સ્વર્ગમાં મોકલવાનો રસ્તો કોઈને બતાવ્યો નથી. તેમનું પગલું ખૂબ મૌન હતું.
તે માત્ર ઊંચા આકાશ તરફ જોઈ રહ્યો હતો. તે બાળકોને તેમાં કૂદકો મારતા જોઈ રહ્યો હતો. તે બાળકોના જીવનની ખુશીઓ વણી રહ્યો હતો.જે પણ તમે જીરવી શકતા ન હતા. તમે ઇચ્છતા હતા કે તમારા બાળકો મદરેસામાં તખ્તીઓ તોડે.તમારી ટાટ પટ્ટીઓ પર પડેલા તમારા બાળકો તમારું સાહિત્ય સાંભળતા રહે. તેમણે તો હ્યુમની કોંગ્રેસથી પણ અંતર કરી લીધું. કારણ કે તેમણે તો આવનારી પેઢીઓ માટે જીવનની તેજસ્વી બ્લુપ્રિન્ટ્સ વણવી હતી. તમે આ બિલકુલ સહન ન કરી શક્યા. એક તરફ બંગાળી પંડિતોએ તેમને અંગ્રેજોનો એજન્ટ જાહેર કર્યા અને બીજી તરફ મુલ્લાઓએ દેશદ્રોહી જાહેર કર્યા. તે આ બંને મેડલ મેળવીને પણ ખુશ હતા, કારણ કે તેમનો હેતુ પાયામાં ફેરવાઈ ગયો હતો.
કોઈપણ રીતે, જ્યારે દમાગ પર પડદો હોય અને આંખો પર કટ્ટરતા હોય, ત્યારે સારી-સાચી બાબતો જોવી જ રહી. જ્યારે તમે બધા તમારા પીળા,ઊધઈ ખાઈ ગયેલા પાનાઓ પર કસીદા વાંચતા હતા,તે તમારા બાળકો માટે એક શાળાનું નિર્માણ કરી રહ્યા હતા.જ્યારે તમે ધાર્મિક ઝંઝીરોમાં જકડાયેલા હતા,ત્યારે તે તમારા તાલીમનો દરવાજો બનાવી રહ્યા હતા. જ્યારે તમે તમારા ભવ્ય ઇતિહાસના નશામાં ધૂત ગુલામ જીવન જીવી રહ્યા હતા ત્યારે તે આવતીકાલ માટે માર્ગ બનાવી રહ્યા હતા.એવો રસ્તો કે જેના દ્વારા તમારા નસીબ પર લાગેલ કુંડી ખુલી જાય. તમે તેમને અપમાનિત-ઈર્ષ્યા કરી પણ તે ન હલ્યા, અડગ રહ્યા.
તેમણે દેશ અને દુનિયાને એવા રત્નો આપ્યા કે રત્નોની ગણતરી કરવાનું ભૂલી જાઓ.હું તે સમયના સૌથી દૂરદ્રષ્ટા વિચારક સર સૈયદ અહેમદ ખાનની વાત કરું છું. આપણે અલીગઢ યુનિવર્સિટીના તેમના સ્વપ્નની વાત કરી રહ્યા છીએ. જ્યારે પણ હું કોઈ અલીગને પ્રગતિની પ્રથમ સીડી ચડતો જોઉં છું, ત્યારે હું સર સૈયદ માટે પ્રાર્થના કરું છું. જો હું સર સૈયદની કબર પર મારું પ્રથમ પગલું લખી શકું તો તે મારી પેનથી લખાયેલ દુર્લભ લખાણ હશે.!
આજે સર સૈયદના જન્મદિવસ પર, હું એ લાગણી-ભાવનાને જીવી રહ્યો છું. સર સૈયદે મઝાઝની ગઝલોની જમીન કેવી રીતે બનાવી તે હું જોઈ રહ્યો છું. હું મેહસુસ કરી રહ્યો છું કે કેવી રીતે સર સૈયદે ખાન અબ્દુલ ગફ્ફારના કદમોમાં અલીગઢની ધૂળ પહોચાડી. કેવી રીતે રફી અહમદ કિદવાઈ સર સૈયદના હાથથી વણાયેલી ઇમારતમાં પોતાને વણ્યા. આ દેશ, આ દુનિયાને દરેક સમયે સર સૈયદની જરૂર છે.જે ધર્માંધતાની પટ્ટી આપણી આંખો પર બાંધવા ન દે. આવતીકાલે ઉગતા સૂર્ય માટે આજે આપણને તૈયાર કરે, જે આપણી આંખોમાં સ્વપ્ન જોવાનું શીખવે,સર સૈયદની જમીનની જરૂર છે.
અલીગઢમાં સર સૈયદ દ્વારા બાંધવામાં આવેલી ઇમારત કોઈપણ લાલ કિલ્લા, તાજ મહેલ, હવા મહેલથી પણ બુનિયાદ છે, કેમકે અહીં આવતીકાલના ઉગતા સૂર્ય અને ચંદ્રની નર્સરી છે. જેઓ આ ઇમારતને તેમની ગંદી અને ધૃણાસ્પદ મનસૂબાઓથી કલંકિત કરવા માંગે છે તેઓ તેઓ ઊંધા પડી જશે કારણ કે ભૂતકાળમાં આવા નાપાક લોકો હતા અને તબાહ, બરબાદ અને અપમાનિત થઈ ક્રોધાવેશમાં પહેલાં પણ નાશ પામ્યા જ છે. સર સૈયદ દ્વારા નાખવામાં આવેલ પાયો ખૂબ જ ઊંડો છે, તે દૂર દૂર સુધી ફેલાયેલો છે ……
- હાફીઝ કિદવાઈ
Comments
Post a Comment