Skip to main content

સર સૈયદ એહમદખાંની બુલંદ ઈમારત 'અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી'

અલીગઢમાં ઉભેલી સર સૈયદ દ્વારા બાંધવામાં આવેલી દરેક ઇમારત લાલ કિલ્લા, તાજમહેલ, હવા મહેલ કરતાં પણ ઘણી ઊંચી-બુનિયાદ છે, કારણ કે
તેમણે કોઈ મુલ્લાની જેમ કૌમની કસીદાઓ નથી વાંચ્યા. કોઈપણ ધાર્મિક નેતાની જેમ તેમણે ધર્મના રક્ષણની ઘોષણા કરી ન હતી. કોઈપણ પાદરીની જેમ, ઈસુનો વાસ્તો ન હતો આપ્યો. કોઈપણ કહેવાતી સાંસ્કૃતિક સંસ્થાની જેમ, લાકડીઓના ઉપયોગ માટે તાલીમ આપવામાં આવી ન હતી. તેમને ઝંડા અને બોમ્બ સાથે સ્વર્ગમાં મોકલવાનો રસ્તો કોઈને બતાવ્યો નથી. તેમનું પગલું ખૂબ મૌન હતું.

તે માત્ર ઊંચા આકાશ તરફ જોઈ રહ્યો હતો. તે બાળકોને તેમાં કૂદકો મારતા જોઈ રહ્યો હતો. તે બાળકોના જીવનની ખુશીઓ વણી રહ્યો હતો.જે પણ તમે જીરવી શકતા ન હતા. તમે ઇચ્છતા હતા કે તમારા બાળકો મદરેસામાં તખ્તીઓ તોડે.તમારી ટાટ પટ્ટીઓ પર પડેલા તમારા બાળકો તમારું સાહિત્ય સાંભળતા રહે. તેમણે તો હ્યુમની કોંગ્રેસથી પણ અંતર કરી લીધું. કારણ કે તેમણે તો આવનારી પેઢીઓ માટે જીવનની તેજસ્વી બ્લુપ્રિન્ટ્સ વણવી હતી. તમે આ બિલકુલ સહન ન કરી શક્યા. એક તરફ બંગાળી પંડિતોએ તેમને અંગ્રેજોનો એજન્ટ જાહેર કર્યા અને બીજી તરફ મુલ્લાઓએ દેશદ્રોહી જાહેર કર્યા. તે આ બંને મેડલ મેળવીને પણ ખુશ હતા, કારણ કે તેમનો હેતુ પાયામાં ફેરવાઈ ગયો હતો.
કોઈપણ રીતે, જ્યારે દમાગ પર પડદો હોય અને આંખો પર કટ્ટરતા હોય, ત્યારે સારી-સાચી બાબતો જોવી જ રહી. જ્યારે તમે બધા તમારા પીળા,ઊધઈ ખાઈ ગયેલા પાનાઓ પર કસીદા વાંચતા હતા,તે તમારા બાળકો માટે એક શાળાનું નિર્માણ કરી રહ્યા હતા.જ્યારે તમે ધાર્મિક ઝંઝીરોમાં જકડાયેલા હતા,ત્યારે તે તમારા તાલીમનો દરવાજો બનાવી રહ્યા હતા. જ્યારે તમે તમારા ભવ્ય ઇતિહાસના નશામાં ધૂત ગુલામ જીવન જીવી રહ્યા હતા ત્યારે તે આવતીકાલ માટે માર્ગ બનાવી રહ્યા હતા.એવો રસ્તો કે જેના દ્વારા તમારા નસીબ પર લાગેલ કુંડી ખુલી જાય. તમે તેમને અપમાનિત-ઈર્ષ્યા કરી પણ તે ન હલ્યા, અડગ રહ્યા.

તેમણે દેશ અને દુનિયાને એવા રત્નો આપ્યા કે રત્નોની ગણતરી કરવાનું ભૂલી જાઓ.હું તે સમયના સૌથી દૂરદ્રષ્ટા વિચારક સર સૈયદ અહેમદ ખાનની વાત કરું છું. આપણે અલીગઢ યુનિવર્સિટીના તેમના સ્વપ્નની વાત કરી રહ્યા છીએ. જ્યારે પણ હું કોઈ અલીગને પ્રગતિની પ્રથમ સીડી ચડતો જોઉં છું, ત્યારે હું સર સૈયદ માટે પ્રાર્થના કરું છું. જો હું સર સૈયદની કબર પર મારું પ્રથમ પગલું લખી શકું તો તે મારી પેનથી લખાયેલ દુર્લભ લખાણ હશે.! 

આજે સર સૈયદના જન્મદિવસ પર, હું એ લાગણી-ભાવનાને જીવી રહ્યો છું. સર સૈયદે મઝાઝની ગઝલોની જમીન કેવી રીતે બનાવી તે હું જોઈ રહ્યો છું. હું મેહસુસ કરી રહ્યો છું કે કેવી રીતે સર સૈયદે ખાન અબ્દુલ ગફ્ફારના કદમોમાં અલીગઢની ધૂળ પહોચાડી. કેવી રીતે રફી અહમદ કિદવાઈ સર સૈયદના હાથથી વણાયેલી ઇમારતમાં પોતાને વણ્યા. આ દેશ, આ દુનિયાને દરેક સમયે સર સૈયદની જરૂર છે.જે ધર્માંધતાની પટ્ટી આપણી આંખો પર બાંધવા ન દે. આવતીકાલે ઉગતા સૂર્ય માટે આજે આપણને તૈયાર કરે, જે આપણી આંખોમાં સ્વપ્ન જોવાનું શીખવે,સર સૈયદની જમીનની જરૂર છે.

અલીગઢમાં સર સૈયદ દ્વારા બાંધવામાં આવેલી ઇમારત કોઈપણ લાલ કિલ્લા, તાજ મહેલ, હવા મહેલથી પણ બુનિયાદ છે, કેમકે અહીં આવતીકાલના ઉગતા સૂર્ય અને ચંદ્રની નર્સરી છે. જેઓ આ ઇમારતને તેમની ગંદી અને ધૃણાસ્પદ મનસૂબાઓથી કલંકિત કરવા માંગે છે તેઓ તેઓ ઊંધા પડી જશે કારણ કે ભૂતકાળમાં આવા નાપાક લોકો હતા અને તબાહ, બરબાદ અને અપમાનિત થઈ ક્રોધાવેશમાં પહેલાં પણ નાશ પામ્યા જ છે. સર સૈયદ દ્વારા નાખવામાં આવેલ પાયો ખૂબ જ ઊંડો છે, તે દૂર દૂર સુધી ફેલાયેલો છે ……

- હાફીઝ કિદવાઈ

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...