અબ્બાસ તૈયબજીનો જન્મ 1 ફેબ્રુઆરી, 1854 ના રોજ ગુજરાતમાં અમીર તૈયબજી પરિવારમાં થયો હતો. જસ્ટિસ અબ્બાસ તૈયબજીને મહાત્મા ગાંધીએ આ રીતે વર્ણવ્યા હતા : ‘મહાન લોકો માટે કોઈ મૃત્યુ નથી ... રાષ્ટ્ર માટે તેમનું બલિદાન તેમને લાંબું જીવન જીવાડશે(અમર બનાવી દેશે)... તેઓ એક ઉમદા આત્મા હતી ... તેમને મળવું પણ એ એક શ્રેષ્ઠ તક કહેવાતી ’.. અબ્બાસ શિક્ષણ માટે ખૂબ જ નાની ઉંમરે ઇંગ્લેન્ડ ગયા, જ્યાં તેઓ 1875 માં બાર-એટ-લો બન્યા અને તે જ વર્ષે ભારત પાછા ફર્યા. તેઓ 1893 માં બરોડા હાઈકોર્ટમાં ન્યાયાધીશ બન્યા. 1915 માં મહાત્મા ગાંધી સાથેની તેમની મુલાકાતથી તેમનું જીવન બદલાઈ ગયું. તેઓ ગાંધીજીના ખૂબ નજીકના સાથી બન્યા. તેમણે ગુજરાત રાજકીય પરિષદનું નેતૃત્વ કર્યું, જેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પહેલાં અસહકાર આંદોલન ચલાવ્યું હતું. તેમણે 1919 માં પોતાના વૈભવી જીવનનો ત્યાગ કર્યો અને મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય આંદોલનમાં ભાગ લીધો. 80 વર્ષની પૂર્ણ વૃદ્ધાવસ્થામાં પણ, તેઓ ખાદીના કાપડ વેચવા અને ખાદીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે બળદ ગાડીમાં આખા ગુજરાતમાં ફર્યા. તેમણે 1928 માં બારડોલી સત્યાગ્રહનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હતું અને દાંડી માર્ચ દરમિયાન મહાત્મા ગાંધીની ધરપકડ કરવામાં આવી ત્યારે રાષ્ટ્રીય આંદોલનને ‘સર્વસત્તાધીશ’ તરીકે નેતૃત્વ કર્યું હતું. રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ કરવા બદલ તેમની ઘણી વખત ધરપકડ કરવામાં આવી હતી.તેમણે તેમના આરોગ્યની દરકાર રાખી નહીં અને વૃદ્ધાવસ્થામાં અન્ય મુશ્કેલીઓ હોવા છતાં સ્વતંત્રતા ચળવળ સાથે આગળ વધ્યા. ગુજરાતમાં તૈયબજીના નેતૃત્વમાં મહાત્મા ગાંધીએ રાષ્ટ્રીય ચળવળમાં ઘણા પ્રયોગો સફળતાપૂર્વક અમલમાં મૂક્યા હતા. અસહકાર આંદોલન, વિદેશી માલનો બહિષ્કાર કરવા માટેની ચળવળ, દારૂબંધી મૂવમેન્ટ, સવિનય કાનુન ભંગ ચળવળ જેવી અન્ય અનેક હિલચાલ અબ્બાસ તૈયબજીના નેતૃત્વમાં ગુજરાતમાં પહેલા શરૂ કરવામાં આવી હતી, જે પછીથી આખા દેશમાં અમલમાં મુકાઈ. ગાંધીજી દ્વારા તેમની ‘ગુજરાતના ડાયમંડ’ તરીકે પ્રશંસા કરવામાં આવી હતી. બ્રિટિશ સામ્રાજ્યવાદના ચુંગાલમાંથી માતૃભુમીને મુક્ત કરવાના દ્રઢ સંકલ્પ સાથે ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં અગ્રણી ભૂમિકા ભજવનારા ન્યાયાધીશ અબ્બાસ તૈયબજીએ 9 મી મે 1936 ના રોજ અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment