મૌલાના શફી દાઉદી, જેમણે જાહેર કર્યું હતું કે લઘુમતી સમુદાયો માટે ખાસ વ્યવસ્થા હોવી જરૂરી છે અને આગામી દિવસોમાં સંખ્યાત્મક શક્તિ ઓછી હોવાના પરિણામે રાજકીય સત્તામાં પૂરતી ભાગીદારી મળી શકશે નહીં, તેમનો જન્મ 27 ઓક્ટોબર, 1875 ના રોજ બિહારના મુજફરપુર જિલ્લાના દાઉદનગરમાં થયો હતો. તેમના પિતાનું નામ મુહમ્મદ હસન હતું. દાઉદીએ 1895 માં મેટ્રિકયુંલેશન અને પછી બી.એ. અને બી.એલ. કલકત્તા યુનિવર્સિટીમાંથી કર્યું. તેમણે કલકત્તામાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. તેઓ 1917 માં પ્રથમ વખત મહાત્મા ગાંધી સાથે સંપર્કમાં આવ્યા. ત્યાર પછી કાયદાની પ્રેક્ટિસ છોડી દીધી અને 1920 માં ખિલાફત અને અસહકાર ચળવળમાં જવા માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. તેઓ 21 ઓક્ટોબર, 1920 ના રોજ બિહારની પ્રાંતિય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. તેમણે ગાંધીજીના આહવાનને પગલે 'કૌમી સેવાદળ' અને 'ચરખા સમિતિ'ની રચના કરી અને દારૂ પર કાયદેસરનો પ્રતિબંધ, વિદેશી માલનો બહિષ્કાર, એડલ્ટ એજ્યુકેશન અને ખાદી પહેરવા જેવા કાર્યક્રમો હાથ ધર્યા.તેમની પ્રવૃત્તિઓથી નારાજ, બ્રિટિશ સરકારે તેમને 1921-1922માં એક વર્ષ માટે જેલમાં કેદ કર્યા. તેમણે મુજફરપુર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે બે વાર કામ કર્યું. ચિતરંજનદાસ અને મોતીલાલાલ નેહરુના નેતૃત્વમાં બનેલી ‘કોંગ્રેસ સ્વરાજ પાર્ટી’ માં તેઓ 1923 માં જોડાયા. તેઓ 1924માં અને ફરીથી 1927માં સેન્ટ્રલ લેજિસ્લેટિવ અસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાયા. 1928 માં, તેઓ ‘નહેરુ રિપોર્ટ’ થી અલગ થયા અને સ્વરાજ્ય પાર્ટીને ફઝલ-એ-હુસેન સાથે જોડાણમાં ‘ઓલ ઈન્ડિયા મુસ્લિમ કોન્ફરન્સ’ રચવા માટે છોડી દીધી. રાષ્ટ્રીય ચળવળની પ્રવૃત્તિઓનો પ્રચાર કરવા માટે તેમણે ઉર્દૂ પાક્ષિક ‘ઇત્તેહાદ’ શરૂ કર્યું. તેમણે 1928 થી 1935 દરમિયાન ‘સેન્ટ્રલ કાઉન્સિલ’ ના સભ્ય તરીકે સેવા આપી હતી. તેમણે મૌલાના શોકત અલી સાથે લંડનમાં 1931 માં યોજાયેલી બીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. તે 1937 માં ‘મજલિસ-એ-આહરા’ માં જોડાયા અને ચૂંટણીઓમાં હાર્યા. ત્યારથી તેઓ રાજકારણથી દૂર થઈ ગયા અને કાયદાની પ્રેક્ટિસ સાથે સમાજ સેવાની પ્રવૃત્તિઓમાં પોતાને સામેલ કરતા રહ્યા. ભારતના ભાગલા વખતે તેમણે મુસ્લિમોને પાકિસ્તાન માટે ભારત ન છોડવાની અપીલ કરી હતી. તેમના અંતિમ શ્વાસ સુધી કાયદાની પ્રેક્ટીસ અને સમાજ સેવા કરતાં કરતાં મૌલાના શફી દાઉદીનું 1 જાન્યુઆરી, 1949 ના રોજ નિધન થયું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment