Skip to main content

ડો. મુખ્તાર એહમદ અંસારી (1880-1936)


ડો.મુખ્તાર અહેમદ અન્સારી, જેમણે વિવિધ સમુદાયોના સંયુક્ત સંઘર્ષો દ્વારા જ ભારતીય સ્વતંત્રતા હાંસલ કરી શકાય છે તેવી દ્રઢ માન્યતા સાથે હિન્દુ-મુસ્લિમ એકતા હાંસલ કરવા માટે સખત મહેનત કરી હતી.તેમનો જન્મ 25 ડિસેમ્બર, 1880 ના રોજ ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના યુસુફપુરામાં થયો હતો. તેમના પિતાનું નામ હાજી અબ્દુર રેહમાન અને માતાનું નામ ઇલહાન બીબી હતું. 1900 માં નિઝામ કોલેજમાંથી મેડીકલમાં સ્નાતક થયા અને હૈદરાબાદ રાજ્ય દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિની મદદથી ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે 1908 માં સર્જરીમાં માસ્ટરની પદવી પ્રાપ્ત કરી અને તે 1910 માં ભારત પરત ફર્યા. જો કે તે ધનિક લોકોમાં મેડિકલ પ્રોફેશનલ તરીકે ખૂબ પ્રખ્યાત બન્યા, તેમ છતાં, તેમણે કોઈ પણ ફી લીધા વિના ગરીબોની સેવા કરી.ડો.મુખ્તાર અહેમદ અન્સારીએ રાજકીય જીવનની શરૂઆત 1916 માં હોમ રુલ ચળવળમાં ભાગ લઈને કરી.તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ લીધું, જેને તેમની રાજકીય કારકીર્દિને વેગ આપ્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે લખનઉ કરારમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એન્ટિ-રૌલેટ એક્ટ મૂવમેન્ટમાં ભાગ લઈ તેઓ મહાત્મા ગાંધીની ખૂબ નજીક રહેવાવાળા વ્યક્તિ બન્યા. તેમણે ખિલાફત પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું, જે 1920 માં વાઇસરોયને મળ્યું અને અસહકાર ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી. તેઓ હકીમ અજમલ ખાન બાદ જામિયા મીલીયા ઇસ્લામીયાના કુલપતિ બન્યા. તેમણે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સુમેળ સુનિશ્ચિત કરવાને અગ્રતા આપી. તેમણે હિંદુઓની ભાવનાઓને માન આપવાની હિમાયત કરી અને મુસ્લિમ લીગ દ્વારા બોલાયેલ બેઠકમાં બકરી ઈદ દરમિયાન ગૌહત્યા છોડી દેવાની મુસ્લિમોને અપીલ કરી. તેમણે સાંપ્રદાયિક હિંસા રોકવા માટે લાલા લાજપત રાયની સાથે ભારતીય રાષ્ટ્રીય કરાર બનાવ્યો અને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સુમેળ લાવવા માટે 1924 માં એકતા સંમેલન યોજ્યું. ફરીથી એકવાર, તેમણે 27 ઓક્ટોબર, 1927 ના રોજ એકતા સંમેલન યોજ્યું અને અપીલ કરી કે ધર્મ રાજકારણમાં સામેલ ન કરવું જોઈએ. તેમણે 27-28 જુલાઈ, 1929 ના રોજ યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમાં ખૂબ જ સક્રિયપણે ભાગ લીધો હતો, જ્યાં તેમણે રાષ્ટ્રીય ભાવના ધરાવતા મુસ્લિમોને એક મંચ પર એકઠા કરવાનો સફળતાપૂર્વક પ્રયાસ કર્યો હતો. તેમણે ઓલ ઈન્ડિયા નેશનલ મુસ્લિમ પાર્ટીની સ્થાપના કરી અને તેના ટ્રેઝરર તરીકે કામ કર્યું. મહાત્મા ગાંધીના આમંત્રણ પર જ્યારે તે 1927 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા, ત્યારે તેમણે તેમની બધી સંપત્તિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રવૃત્તિઓ માટે ખર્ચ કરી, જેના કારણે તેઓ લગભગ નાદાર થઈ ગયા. જામિયા મીલીયા ઇસ્લામીયાના લેખન અને વિકાસમાં તેમણે પાછળનું જીવન પસાર કર્યું. ડો.મુખ્તાર અહેમદ અન્સારીનું 10 મે, 1936 ના રોજ અવસાન થયું.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...