Skip to main content

બેગમ નિશતુન્નિસા મોહાની (1884-1937)


બેગમ નિશતુન્નીસા મોહાની, જેમની પૂર્ણ સ્વતંત્રતાની વિભાવના અંગેના તેમના મંતવ્યો અને વિચારોની તીવ્ર ટીકા માટે ગાંધીજી દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી, તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અવધમાં 1884 માં થયો હતો. તેમના પિતાનું નામ સૈયદ શબીબ હસન મોહાની હતું. તેણીમાં ખૂબ જ નાની ઉંમરથી સેવા ભાવના હતી. તેણીના લગ્ન મૌલાના હસરત મોહાની સાથે થયા, જે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં લડાયક અભિગમ માટે જાણીતા હતા. બેગમ નિશતુન્નિસા મોહાની 1904 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા. જ્યારે 1907માં કોંગ્રેસના નેતાઓમાં મધ્યસ્થી અને કટ્ટરપંથી તરીકેના ભાગલા પડ્યાં ત્યારે તેણીએ તેમના પતિ સાથે બાળ ગંગાધર તિલકનો પક્ષ લીધો હતો. જ્યારે બ્રિટિશ સરકારે તેમના અખબાર ‘ઉર્દૂ-એ-મૌંલા’ માં બ્રિટિશ વિરોધી લેખ પ્રકાશિત કરવા માટે પ્રથમ વખત તેમના પતિ મૌલાના હસરત મોહાનીની ધરપકડ કરી, ત્યારે નિશતુન્નીસાએ ભારે હિંમતથી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. બેગમ નિશતુન્નિસાએ જેલમાં રહેલા તેમના પતિને એક પત્ર લખીને કહ્યું કે ‘હિંમતથી તમારા પર આવી પડેલા જોખમોનો સામનો કરો. મારા વિશે વિચારશો નહીં. તમારી પાસેથી કોઈ નબળાઇ વ્યક્ત થવી જોઈએ નહીં. કાળજી લેતા રેહજો ’. તેણીએ જ્યારે પણ તેમના પતિની ધરપકડ કરવામાં આવી ત્યારે સરકાર સામે અનેક કાનૂની લડાઇ લડ્યા. તેણીએ જેલવાસ દરમિયાન તેમના પતિ દ્વારા શરૂ કરાયેલ ‘ઉર્દુ-એ-મૌંલા’ અખબારનું પ્રકાશન ચાલુ રાખ્યું હતું. બેગમ નિશતુન્નીસા મોહાનીએ શ્રી.મોન્ટેગને સવાલ કર્યો હતો કે ‘જ્યાં તમે આયર્લેન્ડમાં ક્રાંતિકારીઓને મુક્ત કરી રહ્યા છો, ત્યાં તમે ભારતમાં અટકાયત કરાયેલા ફ્રીડમ ફાઇટર્સને કેમ મુક્ત નથી કરી રહ્યા?’, જ્યારે કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે મળીને તેમને મળ્યા. તેમણે ખિલાફત અને અસહકાર ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. બેગમ નિશતુન્નિસાએ ‘અલીગઢ ખિલાફત સ્ટોર’ શરૂ કરી, જે દેશમાં અસહકાર ચળવળને સમર્થન આપતો પ્રથમ ખાદી ગારમેન્ટ સ્ટોર હતો. મહાત્મા ગાંધીએ 19 મી મે 1920 ના રોજ ‘યંગ ઈન્ડિયા’ માં આંદોલનમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરતો એક વિશેષ લેખ લખ્યો હતો. નિશતુન્નીસા મોહાનીએ 1945 પછી તેમના પતિ મૌલાના હસરત મોહાની સાથે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને રાજકારણથી પોતાને દૂર રાખ્યા હતા. કોંગ્રેસ છોડ્યા બાદ ટ્રેડ યુનિયન આંદોલનમાં પોતાને સમર્પિત બેગમ નિશતુન્નીસા મોહાનીનું 18 એપ્રિલ 1937 ના રોજ કાનપુર ખાતે નિધન થયું હતું.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...