તસદ્દૂક અહેમદ ખાન શેરવાની, માત્ર બ્રિટીશ શાસન સામે જ નહીં પણ સામાજિક અસમાનતાઓ અને અંધશ્રદ્ધાઓ સામે પણ લડ્યા હતા, તેમનો જન્મ 1885 માં ઉત્તર પ્રદેશના અલીગઢ નજીક બિલોના ગામમાં થયો હતો. તે અલીગઢની મુહમ્મદન એંગ્લો-ઓરિએન્ટલ કોલેજમાં જોડાયા, જ્યાં તે સ્ટુડન્ટસ યુનિયનના નેતા બન્યા. તસદ્દ્દુક અહેમદખાન શેરવાની ભારતીય રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને કોલેજના બ્રિટિશ તરફી વલણનો વિરોધ કર્યો અને મેનેજમેન્ટની ટીકા કરી, જેના પરિણામે તેમને કોલેજમાંથી હાંકી કાઢ્યા. બાદમાં તે લંડન ગયા, જ્યાં તેમણે 1911 માં બાર-એટ-લો પૂર્ણ કર્યું. તે 1912 માં ભારત પાછા ફર્યા અને અલીગઢમાં કાયદાની પ્રેક્ટીસ શરૂ કરી. તેઓ 1916 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા, જ્યાં તેઓ મોતીલાલ નેહરુ, સી.આર.દાસ, મહાત્મા ગાંધી, ડો.એમ.એ.અન્સારી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓથી પ્રભાવિત થયા. તસદ્દ્દુક અહેમદખાન શેરવાનીએ 1916 માં હોમ રુલ ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને 1919 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિમાં સભ્ય બન્યા હતા, ત્યારથી તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં વ્યાપકપણે ભાગ લેવાનું શરૂ કર્યું અને તેમની અવિરત સેવાઓ માટે ઓળખ મેળવી. તેમણે સાથે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. મુસ્લિમ લીગ દ્વારા 1919 માં અમૃતસર ખાતે યોજાયેલી બેઠકમાં, અહેમદ ખાને દેશને આઝાદી પ્રાપ્ત કરવા માટે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની પરસ્પર સમજણ અને મિત્રતાની ભારપૂર્વક હિમાયત કરી હતી. તેમણે મુસ્લિમોને ગાયની કતલ બંધ કરવા અપીલ કરતા ઠરાવને પણ ભારપૂર્વક ટેકો આપ્યો હતો. તેમણે લોકોને ચેતવણી આપી કે સાંપ્રદાયિકતા બધા માટે જોખમી છે. તેમણે ડિસેમ્બર 1920 માં મળેલી બેઠકમાં અહિંસા અને અસહકાર ચળવળને ટેકો આપવા માટે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગને પ્રભાવિત કરી હતી. તસદ્દ્દુક અહેમદ શેરવાનીએ મુસ્લિમ લીગ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વચ્ચે સુમેળ લાવવાના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ખિલાફત સમિતિ દ્વારા આપવામાં આવેલા આહવાનને પ્રતિક્રિયા આપીને, તેમણે 1920 માં ખિલાફત-અસહકાર સહકાર ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો, જેના પગલે 1921 માં તેમને જેલ થઈ ગઈ. જ્યારે 1932 માં બ્રિટિશ સરકાર દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે પણ તેઓને જેલમાં રાખવામાં આવ્યા હતા.. 22 માર્ચ 1935 માં તસદ્દુક અહેમદ ખાન શેરવાનીએ અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment