આધ્યાત્મિક, સાહિત્યિક અને રાજકીય રીતે દેશ પ્રત્યેના પ્રેમને મૂર્તિમંત કરનાર ડો. ઉમર અલી શાહનો જન્મ 28 ફેબ્રુઆરી, 1885 ના રોજ આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના પીથાપુરમમાં થયો હતો. તેલુગુ સાહિત્યના ઊંચા વિદ્વાન, તેમણે ખૂબ જ નાની ઉંમરે કવિતાઓ રચી અને કવિગારૂ(શ્રી કવિ) કહેવાયા. વિદ્વાન વ્યક્તિઓના સહવાસમાં તેમનો બહુકોણ અને સર્જનાત્મક લેખક તરીકે વિકાસ થયો. તેમણે રાષ્ટ્રવાદ, દેશભક્તિ, લિંગ સમાનતા, બંધુત્વ અને સાંપ્રદાયિક સુમેળનો ઉપદેશ આપતા ઘણા લેખો લખ્યા. તેમણે સામાજિક અનિષ્ટિઓની પણ ટીકા કરી અને મહિલાઓના કલ્યાણ, સમાજમાં સુધારા અને લોકોમાં સકારાત્મક જાગૃતિ ઈચ્છતા હતા. ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સ દ્વારા 1924 માં તેમને પ્રતિષ્ઠિત ‘પંડિત’ બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ તેમને ‘મૌલવી’ બિરુદથી સન્માનિત કર્યા અને ફ્રાન્સની અરણ યુનિવર્સિટીએ તેમને ‘Professor in Hindu-Muslim Culture (હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના અધ્યાપક)’ એવોર્ડથી સન્માનિત કર્યા હતા. એકેડેમિયા ઇન્ટરનેશનલ અમેરિકાએ તેમને ડોક્ટર ઓફ લીટરેચરથી સન્માનિત કર્યા. તેમણે 1916 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ લીધું અને ભારતીય રાષ્ટ્રવાદી ચળવળના ભાગ રૂપે યોજાયેલા અનેક આંદોલન અને કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે 1923-24માં કાકીનાદા ખાતે આયોજિત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સંમેલનમાં અખિલ ભારતીય ખિલાફત સમિતિના મહામંત્રી તરીકે કામ કર્યું હતું. તેમણે મુસ્લિમ લીગના મહાસચિવ અને ઉપપ્રમુખ તરીકે પણ આગેવાની લીધી. તેમને ખિલાફત સ્વૈચ્છિક કોર્પ્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ એક પ્રખ્યાત વક્તા હતા, તેથી તેમને ભારતીય સ્વતંત્રતા ચળવળના ભાગ રૂપે યોજાયેલી વિવિધ મીટિંગ્સ અને પરિષદોમાં પ્રવચનો આપવા આમંત્રણ આપવામાં આવતા હતા. તેમણે સમગ્ર મદ્રાસ પ્રેસિડેન્સીનો પ્રવાસ કર્યો અને લોકોને સ્વતંત્રતા ચળવળ તરફ આકર્ષિત કર્યા. ગાંધીજીએ ઉમદા રાજકીય વિચારોની વ્યક્તિ તરીકે તેમની પ્રશંસા કરી હતી. તેમણે 1930 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને મુસ્લિમ લીગના ટેકાથી 1935 માં સેન્ટ્રલ વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા હતા. તે જિન્નાના આમંત્રણ પર મુસ્લિમ લીગમાં જોડાયા હતા. જો કે, તેમણે ધર્મના આધારે રાષ્ટ્રના ભાગલાના પ્રસ્તાવને નકારી કાઢ્યો. જ્યારે તેઓ 1935 થી 1945 દરમિયાન કેન્દ્રીય વિધાનસભાના સભ્ય હતા, ત્યારે વિવિધ કાયદા ઘડવામાં તેમની સલાહ લેવામાં આવી હતી. તેમણે આંધ્રપ્રદેશના ગુટુર જીલ્લાના તેનાલી ખાતે આયોજિત ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગના સંમેલનમાં ભાગ લીધો હતો. ડો.ઉમર અલી શાહનું 23 જાન્યુઆરી, 1945 ના રોજ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નારસાપુરમમાં અચાનક નિધન થયું હતું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment