Skip to main content

મુહમ્મદ ઇસ્માઇલ (1892-1948)


મહાત્મા ગાંધીના અનુયાયી ખાદી આંદોલનનો પર્યાય બનેલા મુહમ્મદ ઇસ્માઇલનો જન્મ આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના નાકિરેકલમાં 1892 માં થયો હતો. તેમના પિતાનું નામ મસ્તાન સાહેબ અને માતાનું નામ કુલસુમ બીબી હતા. તેઓ બાળપણથી જ મહાત્મા ગાંધીથી પ્રેરિત હતા અને ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ તરફ આકર્ષાયા હતા. મહાત્મા ગાંધીએ આપેલા આહવાનના જવાબમાં મુહમ્મદ ઇસ્માઇલે ખાદીના વેચાણ અને પ્રચાર સ્વેચ્છાએ સ્વીકાર્યો હતો. તેમણે તેમના બાળપણના મિત્ર વેલપુલા ગંગૈયાહ સાથે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમણે ગ્રામ સ્વરાજ્ય માટે મહાત્માના આહવાનથી પ્રેરણા મેળવી,લોકોમાં ખાદીનો ઉપયોગ અને ઉત્પાદન વધારવા માટે અભિયાન ચલાવ્યું. તેમણે 1926 માં તેનાલીમાં પ્રથમ ખાદી સ્ટોર શરૂ કર્યો અને તે નફાના હેતુ વિના રાષ્ટ્રીય ચળવળના વિશેષ કારણોસર ચલાવ્યો, તે સુતરાઉ કાંતણ માટે કપાસ, ચરખા અને અન્ય સામગ્રી લાવ્યા અને ખાદી આંદોલનમાં રસ ધરાવતા લોકોને તે ઉપલબ્ધ કરાવ્યું. 'ખદ્દર ઇસ્માઇલ' ગ્રામીણ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પ્રવાસ કરી લોકોને ખાદીના ઉત્પાદન અને કુટીર ઉદ્યોગો તરફ જવા માટે પ્રોત્સાહિત કરતા. ઇસ્માઇલનો ખાદી સ્ટોર તેમની ગુપ્ત બેઠકો અને પ્રવૃત્તિઓ માટે તેનાલીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓનું મુખ્ય કેન્દ્ર બન્યું. તેથી, મુહમ્મદ ઇસ્માઇલ સ્વતંત્રતા સેનાનીઓમાં ‘ખદ્દર ઇસ્માઇલ’ તરીકે પ્રખ્યાત થયા. ઇસ્માઇલ અને તેમની પત્ની હજીરા બીબીએ અંતિમ શ્વાસ સુધી ખાદી પહેરી હતી. જોકે, ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના પ્રભાવ હેઠળ રહેલા સાથી મુસ્લિમોએ તેમનો બહિષ્કાર કર્યો, તેમ છતાં તેમણે ક્યારેય રાષ્ટ્રવાદી આંદોલનથી પોતાને દૂર રાખ્યા નહીં અને સતત નિર્ભયતાથી તેમાં ભાગ લીધો. અસહકાર ચળવળમાં સક્રિય ભાગ લેવા બદલ મુહમ્મદ ઇસ્માઇલને 18 મહિનાની કેદની સજા ફટકારાઈ હતી. આઝાદીની લડત દરમિયાન, તેમણે લગભગ છ વર્ષ જેલમાં પસાર કર્યા. મુસ્લિમ લીગના પ્રભાવ હેઠળ રહેલા કેટલાક સાથી મુસ્લિમોએ તેમને કોંગ્રેસની રાજનીતિ છોડી દેવાની ચેતવણી આપી હતી. મુહમ્મદ ઇસ્માલે આવી ચેતવણીઓ તરફ ધ્યાન આપ્યું નહીં અને પોતાને કોમી રાજકારણથી ઉપર રાખીને પોતાનું ધ્યેય ચાલુ રાખ્યું. તેમના વલણથી સાંપ્રદાયિક શક્તિઓને ચિંતા થઈ જેણે તેમના જીવન અને પરિવાર માટે જોખમ ઉભું કર્યું. ઇસ્માઈલે સ્વાતંત્ર્ય સંગ્રામ સિવાય પોતાને ધર્મનિરપેક્ષતાના હેતુ માટે સંપૂર્ણપણે સમર્પિત કરી દીધું. જ્યારે તે વેલોર જેલમાં હતા ત્યારે તેમને કમળો થયો હતો. થોડા સમય પછી તેમની માંદગી ખૂબ ગંભીર બની હોવાથી તેમને કેદમાંથી છોડી મુકવામાં આવ્યા. મુહમ્મદ ઇસ્માઇલ કમળાથી સાજા થઈ શક્યા નહીં અને 19 નવેમ્બર, 1948 ના રોજ સ્વતંત્ર ભારતમાં અવસાન થયું.

- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...