Skip to main content

યુસુફ જાફર મેહર અલી (1903-1950)


‘સાયમન પાછો જા’ ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવનાર યુસુફ જાફર મેહર અલી,જેમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં એક આગળ પડતા પ્રસંગોમાં સ્થાન મેળવેલો. 3 સપ્ટેમ્બર, 1903 ના રોજ સમૃદ્ધ ઉદ્યોગપતિના પરિવારમાં બોમ્બેમાં તેમનો જન્મ થયો હતો. તે વિદ્યાર્થીકાળથી જ બ્રિટીશ શાસકોની અમાનવીય કૃત્યોની ટીકા કરતા હતા. તેમણે તેમના પર આકરી ટિપ્પણી કરી કે ‘બ્રિટિશ શાસકો કૂતરા જેવા છે. જો તમે તેમને લાત મારશો, તો તેઓ તમને ચાટશે. પરંતુ જો તમે તેમને ચાટશો, તો તેઓ તમને લાત મારશે. ’ તેમણે 1925 માં ‘યંગ ઇન્ડિયા સોસાયટી’ની શરૂઆત કરી અને યુવા આંદોલન શરૂ કર્યું. 21 જાન્યુઆરી, 1928 ના રોજ તેમણે સોસાયટીની બેઠક યોજી હતી અને ‘પૂર્ણ સ્વતંત્રતા’ ની તરફેણમાં અને ‘સાયમન કમિશનનો બહિષ્કાર’ અંગે ઠરાવો કર્યા હતા. પરંતુ, તે દિવસના ઠરાવોને કેટલાક અગ્રણી નેતાઓએ બાલિશ પ્રવૃત્તિઓ તરીકે વર્ણવ્યો. ‘બાળક એ માણસનો પિતા છે’ એમ કહીને તેમણે પ્રતિક્રિયા આપી. જ્યારે સાયમન કમિશન બોમ્બે પહોંચ્યો અને માલ સ્ટેશન પર વહાણમાંથી નીચે ઉતર્યો ત્યારે મેહર અલી પોલીસ કોર્ડનમાંથી છટકીને ત્યાં પહોંચી ગયો અને ‘સાયમન પાછો જા’ નો પોકાર કર્યો. પરિણામે, બ્રિટિશ સરકારે તેને તેમની કાનૂની પ્રક્રિયાથી બરતરફ કરી દીધો. યુસુફ જાફર મેહર અલીનો મત હતો કે યુવાનોને વૈચારિક જાગૃતિ, ઇતિહાસનો અભ્યાસ અને વ્યવહારિક વ્યૂહરચનાના જાણકારીની જરૂર છે. આમ, તેમણે ‘વાનગાર્ડ’ વીકલી મેગેઝિન શરૂ કર્યું. તેમણે યુવાનો માટે તાલીમ વર્ગો પણ કર્યા અને કેટલાય પુસ્તકો પ્રકાશિત કર્યા. આ પ્રવૃત્તિઓને કારણે તેમને ઘણીવાર પોલીસના અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો અને કેદની સજા ભોગવવી પડી હતી. તેમની એક જેલકેદની અવધિ દરમિયાન,અંડર ટ્રાયલ કેદીઓના હક્કો માટે લડ્યા. તેમણે દુકાનો અને સ્થાપન અધિનિયમની અમલવારીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેનો લાભ દુકાનના કર્મચારીઓને મળ્યો. તેમણે 1940 માં સત્યાગ્રહ ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને 1942 માં તેમના નારા ‘ભારત છોડો’ માટે પ્રખ્યાત બન્યા હતા, જેણે બ્રિટીશ શાસકોની કમર ભાંગી નાખી હતી. તેમણે માર્ચ, 1948 માં બોમ્બે વિધાનસભાની ચૂંટણી જીતી હતી, જેમાં તેઓ સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે લડ્યા હતા.તેમના બલિદાન અને સરળ જીવનશૈલી દ્વારા, તેમના સહકાર્યકરોની બરાબર તેમના દરેક સ્ટાફનું સન્માન કરીને, તમામ લોકોના પ્રતિનિધિઓ માટે રોલ મોડેલ બન્યા. સ્વાતંત્ર્ય ચળવળમાં અગ્રેસરની ભૂમિકા નિભાવનાર યુસુફ જાફર મેહર અલી પોલીસ ત્રાસને કારણે યેરવડા જેલમાં હતા ત્યારે માંદગીમાં સપડાયા. ત્યારબાદ તે સ્વસ્થ થઈ શક્યા નહીં અને 2 જુલાઈ, 1950 ના રોજ અંતિમ શ્વાસ લીધા.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.


Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...