ભારતના ઈતિહાસમાં એક એવો યોદ્ધા પણ હતો જેની બુદ્ધિ અને બહાદુરીએ અંગ્રેજોને ઘણી વખત ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા હતા. તેમની બહાદુરીના કારણે તેમને 'શેર-એ-મૈસૂર' કહેવામાં આવ્યા હતા. આ પરાક્રમી યોદ્ધાનું નામ હતું ટીપુ સુલતાન. ટીપુની બહાદુરી જોઈને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામે તેમને વિશ્વના પ્રથમ રોકેટ આવિષ્કારક ગણાવ્યા હતા.
ઇતિહાસકાર વિલીયમ ડાર્લિમ્પલ કહે છે કે દસ્તાવેજોમાંથી જે ટીપુની છબી ઉભરી આવે છે તેવી નથી જે અંગ્રેજી ઈતિહાસકારો દ્વારા બનાવવામાં આવી છે, પણ વધુ જટિલ છે. શાસક તરીકે, ટીપુ એક નવા વિચારોવાળા,લોકોની પ્રગતિ અને શાસનને મજબૂત બનાવવા, નવી તકનીકો અપાવનાર હતો. પશ્ચિમી દેશોના સામાજિક સંગઠનોને જોઈને તેમાંથી શીખ લીધી અને તેવી જ નીતિઓ પોતાના શાસનમાં ચલાવવા માંગી.એમના અંગત પુસ્તકાલયમાં 2000 થી વધુ પુસ્તકો હતા, જેમાં માત્ર ધર્મ, સૂફી વગેરે વિશે જ નહીં પરંતુ ઇતિહાસ, ગણિત, ખગોળશાસ્ત્ર જેવા વિષયો પર પણ હતા. તેઓ કલાને પ્રોત્સાહન આપતા હતા.આ લાયબ્રેરી ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ મોકલી દેવામાં આવી.
ટીપુ સુલ્તાન સાથે સંબંધિત એક તસવીર નાસામાં પણ છે. ટીપુ સુલતાન વિશ્વના પહેલો શાસક હતો જેમણે યુદ્ધમાં રોકેટનો ઉપયોગ કર્યો હતો. આ જોઈને જર્મનોમાં મિસાઈલ ટેક્નોલોજીનો વિકાસ થયો.ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચેના યુદ્ધમાં જે રીતે રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો તેની તસવીર નાસામાં લાગેલી છે.
156 મંદિરોને જમીન અને દાગીના ભેંટ આપ્યા હતા.10 હજાર સોનાના સિક્કા કાંચી મંદિરને દાન કર્યાં હતા. 13 કરોડમાં એમની એક તોપની હરાજી થઇ હતી. 21 કરોડમાં એમની તલવારની હરાજી થઈ હતી.
રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામે તેમની આત્મકથા 'વિંગ્સ ઓફ ફાયર'માં અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમના ભાષણમાં ટીપુ સુલતાનનો ઉલ્લેખ કરેલ છે.
ટીપુ સુલતાન સ્વાભિમાનનું જીવંત ઉદાહરણ છે. જ્યારે ઘણા ભારતીય રાજાઓ અંગ્રેજો સાથે સંધિઓ પર હસ્તાક્ષર કરી રહ્યા હતા, ત્યારે તે તેમની સામે લડાઈ લડી રહ્યા હતા. તેઓ અંગ્રેજો સામેની લડાઈમાં શહીદ થનાર પ્રથમ ભારતીય રાજા હતા, ઉપખંડના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની હતા.
Comments
Post a Comment