બતક મિયાં અંસારી, જેમણે ગળીનું વાવેતર કરાવતા બ્રિટિશરો દ્વારા મહાત્મા ગાંધીને ઝેર આપી મારી નાંખવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું, તેમનો જન્મ 1867 માં બિહારના મોતીહારીમાં થયો હતો. તેમના પિતાનું નામ મુહમ્મદ અલી અન્સારી હતું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે બિહારમાં ગળીનું વાવેતર કરાવતા બ્રિટિશરો દ્વારા ખેડૂતો ઉપર કરવામાં આવતા અત્યાચારની ફરિયાદોની તપાસ માટે ગાંધીજીને બિહારના ચંપારણ મોકલ્યા હતા. કેમ કે બ્રિટિશ વાવેતરકારોને ડર હતો કે, તપાસમાં તેમના અત્યાચાર ખુલ્લા પાડવામાં આવશે, તેથી તેઓએ ગાંધીજીને ઝેરી ભોજન પીરસીને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું. તેઓએ એમ પણ વિચાર્યું કે, જો કોઈ ભારતીય દ્વારા ભોજન પીરસવામાં આવે, તો તેઓ ખુલ્લા પડશે નહિ. આમ, તેઓએ બતક મિયાં અંસારીની પસંદગી કરી, જે તે સમયે બ્રિટીશ સરકારમાં નાના કર્મચારી હતા. તેમને મહાત્માને ઝેરી ખોરાક પીરસવાના બદલામાં વૈભવી જીવનની ઓફર કરી ,જયારે ના પાડી તો તેમના પર દબાણ બનાવ્યું,ભયંકર પરિણામોની ધમકી આપવામાં આવી હતી. પરંતુ, અન્સારી તેમની ઓફરની લાલચમાં ન આવ્યા અને તેમની ચેતવણીઓને પણ ધ્યાનમાં લીધી નહીં. તેમણે મહાત્મા ગાંધીને સીધા જ જઈને ષડયંત્ર વિશે માહિતી આપી હતી અને મહાભોજન પહેલાં તેમને કાવતરાની ચેતવણી આપી હતી, આના કારણે બતક મિયાંને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને બ્રિટિશ પ્લાન્ટરો દ્વારા ક્રૂર વર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટના 1917 માં બની હતી, જેના ડો.રાજેન્દ્રબાબુ પ્રસાદ નજરે જોનારા સાક્ષી હતા. જ્યારે બાબુ રાજેન્દ્ર પ્રસાદે 1950 માં સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે મોતીહારીની મુલાકાત લીધી ત્યારે, તેઓ બતક મિયાં અન્સારીને તરત ઓળખી ગયા અને એમની કંગાળ હાલત જોઈ. રાજેન્દ્ર પ્રસાદે તરત જ તેમને 50 એકર જમીન મંજુર કરી આપી. પરંતુ, અધિકારીઓની ઉદાસીનતાને લીધે આ આદેશો ખૂબ લાંબી અવધિ માટે લાગુ કરી શકાયા નહીં. 1957 માં જ્યારે બતક મિયાં અન્સારીનું નિધન થયું ત્યારે ડો.રાજેન્દ્ર પ્રસાદને તેમના મૃત્યુના સમાચાર મળ્યા અને તેમણે તેમના પરિવારના સભ્યોને 3 ડિસેમ્બર, 1958 ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રણ આપ્યું અને તાત્કાલિક કાર્યવાહી કરી જમીનને તેઓને સોંપવાની કાર્યવાહી કરી. ભારતની સ્વતંત્રતા ચળવળના ઇતિહાસમાં આગવું સ્થાન મેળવવા લાયક બતક મિયાં અન્સારીનું બલિદાન ત્યારે જ ચર્ચામાં આવ્યું જ્યારે 1999માં સ્વાતંત્ર્ય સેનાની સૈયદ ઇબ્રાહિમ ફિકરી (દિલ્હી) એ ઉર્દૂમાં લખેલું તેમનું પુસ્તક 'હિન્દુસ્તાની જંગ-એ-આઝાદી મેં મુસલમાનોકા હિસ્સા' રજૂ કર્યું. અંસારી, જેમણે મહાત્મા ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલ કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું, તેમનું જીવનકાળ એકદમ ગરીબીભર્યું રહ્યું,તેમ છતાં તેમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળ અને રાષ્ટ્ર માટે ખૂબ મોટી સેવા આપી,જીવનકાળ દરમિયાન તેમની યોગ્ય કદર થઇ નહિ.ભારતના પ્રથમ રાષ્ટ્રપતિએ કરેલા વચનનો હજી પૂરો અમલ થવાનો બાકી હતો. શ્રીમતી પ્રતીભા પાટીલ(ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) ના પ્રયત્નોને કારણે લાંબા સમયથી બાકી રહેલી ફાઇલ ખસી રહી હોય તેવું લાગ્યું પરંતુ બતક મિયા અંસારીના પરિવારને સરકાર હજુ સુધી મદદ પૂરી પાડી શકી નથી.
- સૈયદ નસીર અહમદ ( લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment