Skip to main content

મૌલાના અબ્દુલ કાસીમ ફઝલ ઉલ હક (1873-1962)


મૌલાના અબ્દુલ કાસીમ ફઝલ-ઉલ-હક, જે ‘બંગાળ ટાઇગર’ તરીકે જાણીતા છે, તેમનો જન્મ 26 ઓક્ટોબર, 1873 ના રોજ ઝાલોકાટી જિલ્લાના સતુરિયા ગામે થયો હતો, જે હવે બાંગ્લાદેશમાં છે. તેમના પિતા ખાઝી મુહમ્મદ વાજિદ એક પ્રખ્યાત વકીલ હતા અને માતાનું નામ સાદુન્નિસા ખાતુન હતું. ફઝલ-ઉલ-હકે આધ્યાત્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો અને ઘરે અરબી, ઉર્દૂ, પારસી ભાષાઓ શીખી અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું. તેઓ 1906 માં ડેપ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે સરકારી સેવામાં જોડાયા. 1906 માં ઢાકામાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની રચનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે 1911 માં નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને એડવોકેટ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી હતી. વિદેશી શાસન સામે લોકોમાં જાગૃતિ લાવવા તેમણે એક ન્યુઝ પેપર ‘ડેઇલી નબોજગ’ (ધી ડેઈલી ન્યુ એજ) શરૂ કર્યું. તેમણે મુસ્લિમોના કલ્યાણ માટે અનેક સમાજ અને સંગઠનોની સ્થાપના પણ કરી. તેઓ 1913 માં બંગાળ વિધાન પરિષદમાં ચૂંટાયા હતા. તેમણે ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં જુદા જુદા હોદ્દાઓ સંભાળ્યા હતા. ખિલાફત ચળવળમાં ભાગ લેવા માટે તેમણે 1919 માં કોંગ્રેસના પ્રાથમિક સદસ્યની સાથે કોંગ્રેસમાં તેમના જનરલ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે અસહકાર આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓને અપીલ કરી કે તેઓ શાળાઓ અને કોલેજોનો બહિષ્કાર ન કરે કારણ કે તેનાથી તેમના શિક્ષણને નુકસાન થાય છે. ગરીબો અને ખેડુતોના કલ્યાણ માટે તેમણે 1915 માં કૃષક પ્રજા પાર્ટીની શરૂઆત કરી હતી. તેઓ 1956 સુધી બંગાળ વિધાનસભાના સભ્ય તરીકે ચાલુ રહ્યા. તે 1924 માં બંગાળમાં શિક્ષણ પ્રધાન હતા અને 1935 માં કલકત્તાના મેયર તરીકે કામ કર્યું હતું. તેમણે 1937 માં મુસ્લિમ લીગ છોડી દીધી હતી અને ચૂંટણીમાં કૃષક પ્રજા પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું, જેમાં બંગાળ વિધાનસભાની 250 બેઠકોમાંથી 35 બેઠકો તેમની પાર્ટીએ જીતી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તેમનું સમર્થન ન કર્યું હોવાથી, તેમણે મુસ્લિમ લીગની મદદથી સરકાર બનાવી અને મુખ્ય પ્રધાન બન્યા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જમીનદારો અને મકાનમાલિકોના વિરોધ છતાં ખેડૂતોના કલ્યાણ માટે અનેક સુધારાઓ લાવ્યા. જ્યારે જિન્નાએ પક્ષની ફેરબદલ કરી અને પાકિસ્તાનની રચના માટે 1940 માં 'લાહોર ઠરાવ'ને ટેકો આપ્યો તેઓ ત્યારે ફરીથી મુસ્લિમ લીગમાં જોડાયા. જ્યારે મુસ્લિમ લીગ સાથેના વિવાદોને કારણે બંગાળની સરકાર પડી, ત્યારે તેમણે હિન્દુ મહાસભા અને ફોરવર્ડ બ્લોકને ટેકો આપીને સરકારની રચના કરી. 1943 સુધી તેમનું મંત્રાલય સત્તામાં રહ્યું. 1947 માં પાકિસ્તાનની રચના થયા પછી, તેમણે નવી સરકારમાં વિવિધ મંત્રાલયો સંભાળી લીધા. તેઓ 1954 માં પૂર્વ પાકિસ્તાનના મુખ્ય પ્રધાન અને 1956 માં પૂર્વ પાકિસ્તાનના રાજ્યપાલ પણ બન્યા હતા. મૌલાના અબ્દુલ કાસીમ ફજલ-ઉલ-હક, જેમને લોકો 'ખેડૂતના મિત્ર' તરીકે ઓળખાતા હતાં, 27 એપ્રિલ, 1962 ના રોજ ઢાકામાં નિધન થયું હતું.

- સૈયદ નસીર અહમદ (લેખક,ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...