મૌલાના હસન અહેમદ મદની, જેઓ માત્ર બ્રિટિશરો સામે સ્વતંત્રતા માટે જ નહીં,પરંતુ જેઓ ભારતના વિભાજનની ઇચ્છા રાખતા ભાગલાવાદીઓની સામે પણ લડ્યા હતા, , તેમનો જન્મ 6 ઓક્ટોબર, 1879 માં ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેમણે મક્કા અને મદીનાની યાત્રા કરી, જ્યાં તેમણે ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરવામાં લગભગ 16 વર્ષ પસાર કર્યા અને આધ્યાત્મિકતાનું જ્ઞાન મેળવી વિદ્વાન બન્યા. તેમણે પ્રખ્યાત રાષ્ટ્રવાદી મૌલાના મુહમ્મદ હસનની સાથે ‘રેશમી રુમાલ કાવતરા’ માં ભાગ લીધો હતો અને બ્રિટિશ સરકાર દ્વારા 1916 માં ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેઓ 1920 માં ભારત પાછા ફર્યા, તેમણે ખિલાફત અને અસહકાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી. તેમણે બ્રિટીશ આર્મીમાં રહેલા ભારતીયોને તેમાંથી બહાર આવવા અને આઝાદીની લડતમાં સાથ આપવા કોલ આપ્યો હતો, જેના માટે દેશદ્રોહના આરોપો હેઠળ તેમની અટકાયત કરવામાં આવી હતી. હિન્દુઓ અને મુસ્લિમો બંને બ્રિટિશરોના અત્યાચારોનો સામનો કરી રહ્યા હતા અને ગુલામોની જેમ જિંદગી વીતાવતા હોવાથી, તેમણે તેમને અપીલ કરી હતી કે, યોગ્ય માર્ગ બ્રિટિશરો સામે લડવાનો છે. તેમણે એમ પણ જાહેર કર્યું કે બ્રિટિશરોને હરાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે પરસ્પર મિત્રતા અને સંવાદિતાને મજબૂત બનાવવી જોઈએ. મૌલાના મદનીએ મીઠાના સત્યાગ્રહ અને અસહકાર ચળવળમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 1942 માં ભારત છોડો આંદોલન દરમિયાન તેમને કેદ કરવામાં આવ્યા હતા. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તેમને ઘણી વખત જેલમાં રાખવામાં આવ્યા હતા. મૌલાના મદનીએ ઓલ ઇન્ડિયા મુસ્લિમ લીગની અલગતાવાદી વિચારધારાનો વિરોધ કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે કોમી દ્વેષની ઉશ્કેરણી ડહાપણ નથી અને મુસ્લિમ લીગનો ‘દ્વિ રાષ્ટ્ર’ સિદ્ધાંત લોકોના સામાન્ય હિતો માટે જોખમી છે. તેમણે પોતાના ભાષણો અને લખાણોમાં મુસ્લિમ લીગના નેતાઓની ખૂબ જ આકરી ટીકા કરી હતી. આઝાદી પછીના યુગ દરમિયાન તેમણે આધ્યાત્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કર્યું. હસન અહેમદ મદનીએ દેવબંદના ‘દાર-ઉલ-ઉલૂમ’ ના મુખ્ય શિક્ષક તરીકે કામ કર્યું હતું જ્યાં બરાબર તે બાળપણમાં જ ભણેલા હતા. તેમણે ‘જમીયત-ઉલ-ઉલમા-હિંદ’ ને પણ લીડ કર્યું અને તેના માર્ગદર્શક રહ્યા હતા. તેમને ‘શેખ-ઉલ-ઇસ્લામ’ તરીકે આદર અને સન્માન મેળવેલ. ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને સ્વતંત્ર ભારતમાં પણ તેમની ભૂમિકા માટે 1954 માં ભારત સરકાર દ્વારા તેમને ‘પદ્મ ભૂષણ’ બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે માતૃભૂમિને એટલો પ્રેમ કરતા કે તેમણે અંતિમ શ્વાસ ભારતમાં જ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમની ઇચ્છા મુજબ, મૌલાના ‘શેખ-ઉલ-ઇસ્લામ’ હસન અહેમદ મદનીએ 6 ડિસેમ્બર, 1957 ના રોજ ભારતની રાજધાની દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment