Skip to main content

મલિક મુહમ્મદ યુનુસ (1884-1952)


બિહાર રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈને ઇતિહાસ રચનારા મલિક મુહમ્મદ યુનુસનો જન્મ 4 મે, 1884 ના રોજ બિહાર રાજ્યના પાનેહર ગામમાં થયો હતો. તેમના પિતા મૌલવી અલી હસન મુખ્તાર પ્રખ્યાત વકીલ હતા. મલિક મુહમ્મદ યુનુસે પટણામાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ત્યારબાદ ઇંગ્લેન્ડમાં કાયદાનું અધ્યયન કર્યું હતું જ્યાં તે પત્રકાર તરીકે પણ સફળ થયા. તેઓ વકીલ તરીકે ભારત પરત ફર્યા અને તેમણે 1906 માં કલકત્તામાં પ્રેક્ટીસ શરુ કરી. કલકત્તામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન દરમિયાન તેમણે 1906 માં રાજકારણમાં પ્રવેશ કર્યો. 1908 માં લાહોરમાં યોજાયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની બેઠકોમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના સચિવ તરીકે અસરકારક રીતે કાર્ય કર્યું હતું અને તેમના દ્વારા કરવામાં આવેલા સૂચનો મિન્ટો-મોર્લે સુધારામાં સમાવવામાં આવ્યા હતા. તેમણે પટના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લોકોના પ્રતિનિધિ તરીકે વિવિધ વિકાસ કાર્યક્રમોની રચના કરી. તેઓ શાહી વિધાનસભાની ચૂંટણીઓમાં લડ્યા અને જીત્યા, 1921 માં બિહાર– ઓરિસ્સા પ્રાંતીય પરિષદમાં ચૂંટાઈ આવ્યા. 1924 માં, તેમણે ‘પટના ટાઇમ્સ’ સાપ્તાહિક શરૂ કર્યું, જે થોડા જ સમયમાં લોકોની સમસ્યાઓનું પ્રતિબિંબ દર્શાવતું એક લોકપ્રિય દૈનિક બની ગયું. 1936 માં, તેમણે ‘બિહાર મુસ્લિમ ઈન્ડિપેન્ડન્ટ પાર્ટી’ શરૂ કરી, જેને મુહમ્મદઅલી જિન્નાએ મર્જ કરવાની સલાહ આપી ત્યારે તેમણે મુસ્લિમ લીગમાં જોડાવાની ના પાડી. તેમનો પક્ષે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાણ સાથે 1937ની ચૂંટણી લડ્યો હતો અને મુસ્લિમો માટે અનામત 40 માંથી 15 બેઠકો જીતી હતી અને કોંગ્રેસ પછી બીજા ક્રમના સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યું હતુ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વએ સરકાર બનાવવાની ના પાડી દીધી હોવાથી, યુનુસે 1,એપ્રિલ, 1937 ના રોજ બિહાર રાજ્યના પ્રથમ પ્રીમિયર (મુખ્ય પ્રધાન) તરીકેનો ચાર્જ સંભાળ્યો. તેમની સરકારે કૃષિને અગ્રતા આપી અને ઉર્દૂને સત્તાવાર ભાષા તરીકે જાહેર કરી. પરિણામે મુખ્ય રાજકીય પક્ષોના સહકાર અને સાંપ્રદાયિક દળોના વિરોધના કારણે તેમની સરકાર 19 જુલાઇ, 1937 ના રોજ પડી ગઈ. 1921 થી 1945 દરમિયાન તેઓ નિર્વિવાદ રીતે બિહારના પ્રાંત પદાધિકારી માટે ચૂંટાયા, તે સમયગાળા દરમિયાન તેમણે પોતાને સમાજસેવા માટે સમર્પિત કર્યા. તેમણે વિવિધ જવાબદારીઓ ‘થિયોસોફિકલ સોસાયટી’ અને ‘મેલ મિલાપ એસોસિએશન’ ઉભું કરી નિભાવી. તેમણે કવિતામાં પોતાનો હાથ અજમાવ્યો અને અસ્વસ્થતાને લીધે આરામ લેતાં કવિ તરીકે સફળ થયા. મલિક મુહમ્મદ યુનુસનું 13 મે, 1952 ના રોજ લંડનમાં અવસાન થયું.

- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...