Skip to main content

નવાબ મુહમ્મદ ઈસ્માઈલ ખાન (1884-1958)


નવાબ મુહમ્મદ ઇસ્માઇલ ખાન, જે 1857 ના સ્વતંત્રતાના પ્રથમ યુદ્ધમાં બ્રિટિશરો સામે લડનારા કુટુંબના વંશજ હતા, તેમનો જન્મ ઉત્તર પ્રદેશના આગ્રામાં 1884માં થયો હતો. તેમના પિતા નવાબ ઇશાક ખાન જે આઈસીએસ અધિકારી અને ન્યાયશાસ્ત્રી હતા. નવાબ ઇશાકે તેમની નોકરીથી રાજીનામું આપી દીધું કારણ કે તેઓ બ્રિટીશરોની વધુ પડતી સત્તાને સહન કરી શકતા ન હતા. બાદમાં, તેમણે મુહમ્મદન એંગ્લો ઓરિએન્ટલ કોલેજમાં સેવા આપી જેની સ્થાપના સર સૈયદ અહેમદ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે ઈસ્માઈલ માત્ર 12 વર્ષના હતા ત્યારે તેમણે ઇસ્માઇલને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડ મોકલ્યો. ઇસ્માઈલે બી.એ. અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લો કોર્સ પૂરો કર્યો અને 1906 માં ભારત પાછા ફર્યા. ઉચ્ચ કક્ષાના અધિકારી તરીકે તેમને આકર્ષક નોકરી મળી હોવા છતાં, તેમણે આ નોકરીને પસંદ ન કરી, પરંતુ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. પિતાના સમયથી જ તે મોતીલાલ નેહરુના પરિવાર સાથે ગાઢ સંબંધો ધરાવતા હતા, તેથી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની નજીક રહ્યા. પરંતુ, 1910 માં ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ સાથે જોડાયા. તેમણે તમામ પક્ષો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો રાખ્યા,ખિલાફત અને અસહકાર આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો. તેમનું નિવાસસ્થાન ‘મુસ્તફા કેસલ’ આંદોલનના કાર્યકરો અને નેતાઓનું કેન્દ્ર હતું. ઉત્તરપ્રદેશના મુસ્લિમ લીગના તેઓ એક અગ્રણી નેતા હોવાથી, તેઓ 1923 માં સર્વાનુમતે સેન્ટ્રલ વિધાનસભામાં ચૂંટાયા. તેમણે 1926 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી પોતાને દૂર કર્યા, એવો આક્ષેપ કર્યો કે કોંગ્રેસ સમસ્યાઓનો સામનો કરી રહેલ મુસ્લિમોની નિવારણમાં નિષ્ફળ ગઈ. તેઓ ફરીથી મુસ્લિમ લીગના ઉમેદવાર તરીકે 1937 માં એસેમ્બલી ચૂંટણીમાં ચૂંટાયા. પરંતુ, તે ચૂંટણીઓમાં ન તો કોંગ્રેસ કે ન લીગને સરકાર બનાવવા માટે પૂરતું બહુમત મળ્યું. આમ, મૌલાના અબુલ કલામ આઝાદે કોંગ્રેસ અને લીગ વચ્ચેની ડીલ માટે મધ્યસ્થી કરી હતી. આઝાદે ચૌધરી ખલીકુઝ્ઝમાન અને ઇસ્માઇલ ખાન માટે બે મંત્રી પદનો પ્રસ્તાવ મૂક્યો, જે કોંગ્રેસને ટેકો આપશે. પરંતુ સોદો નિષ્ફળ ગયો કારણ કે પંડિત નેહરુએ ફક્ત એક જ પદ ઓફર કર્યો હતો. બાદમાં નવાબ ઇસ્માઇલ ખાન ઓલ ઇન્ડિયા મુસ્લિમ સિવિલ ડિફેન્સ એસોસિએશનના પ્રમુખ બન્યા. જ્યારે મુસ્લિમ લીગ દ્વારા રાષ્ટ્રના ભાગલા માટે 1940 માં ‘લાહોર ઠરાવ’ કરવામાં આવ્યો ત્યારે તેમણે તેને સમર્થન આપ્યું નહીં. રાષ્ટ્રના ભાગલા પછી, ઇસ્માઇલ ખાન તેમના પુત્રો અને સહ-નેતાઓ સાથે પાકિસ્તાન જવા માટે અચકાતાં જવા ઈચ્છતા ન હતા. ભારતમાં જ રહીને, તેમણે ધારાસભાના સભ્ય અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કુલપતિ તરીકે કામ કર્યું. નવાબ મુહમ્મદ ઇસ્માઇલ ખાનનું 28 જૂન, 1958 ના રોજ મેરઠમાં અવસાન થયું.

- સૈયદ નસીર અહમદ ( લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...