મૌલાના અહમદઅલી લાહોરી, જેમણે આધ્યાત્મિક જ્ઞાન માટે કામ કર્યું હતું અને બ્રિટીશરોના હાથમાંથી દેશની મુક્તિ માટે લડ્યા હતા, તેમનો જન્મ 25 મે, 1887 ના રોજ પંજાબ પ્રાંતના ગુજરાણવાલામાં થયો હતો, જે હવે પાકિસ્તાનમાં છે. તેમના માતાપિતા ઇચ્છતા હતા કે તે આધ્યાત્મિક વિદ્વાન બને, તેથી તેઓએ અહેમદ અલીને ગુજરાણવાલામાં પવિત્ર કુરાનનો અભ્યાસ કરવા મોકલ્યા. પાછળથી, તેઓ ક્રાંતિકારી નેતા, સ્વતંત્ર સેનાની મૌલાના ઓબેદઉલ્લાહ સિંધી કે જેને બ્રિટિશ સરકાર દ્વારા ‘ખતરનાક વ્યક્તિ’ જાહેર કરવામાં આવ્યા હતા દ્વારા શરૂ કરવામાં આવેલી એક આધ્યાત્મિક શૈક્ષણિક સંસ્થામાં જોડાયા. સ્વતંત્ર વિચારો અને વિચારધારા ધરાવતા અહેમદ અલી તેમના માર્ગદર્શક ઓબેદુલ્લાહથી ખૂબ પ્રેરિત હતા. ઓબેદૂલ્લાહે તેમને પર્સિયન સહિતની ઘણી ભાષાઓ શીખવી હતી અને ઘણા આધ્યાત્મિક વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ તેમનો અભ્યાસ આગળ વધારવા માટે જરૂરી ગોઠવણો કરી આપી હતી. અહેદઅલીએ બ્રિટીશ સામ્રાજ્યવાદી શાસકો સામે લડવામાં તેમના માર્ગદર્શક ઓબેદુલ્લાહનો માર્ગ અનુસર્યો હતો. દરમિયાન, ઓબેદુલ્લાહ સિંધીને તેમના માર્ગદર્શક મૌલાના મુહમ્મદ-ઉલ-હસને બીજા સ્વાતંત્ર્ય સેનાની, ભારત બહાર બ્રિટિશરો સામે સશસ્ત્ર લડત ચલાવવા માટે અફઘાનિસ્તાનના રાજાની મદદ મેળવવા માટે મોકલવામાં આવ્યા હતા.મૌલાના ઓબેદુલ્લાહએ કાબુલની તેમની યાત્રામાં ગુપ્ત રીતે સ્વતંત્રતા સેનાનીઓ અને બ્રિટિશ ઇન્ડિયન સૈન્યમાં ભારતીય સૈનિકોની મુલાકાત લીધી હતી. તેમણે તેમને બ્રિટીશ લોકોને સહકાર ન આપવા અને બ્રિટીશ સૈન્ય સામે સશસ્ત્ર લડતમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા. અહેમદ અલી લાહોરીએ ભારતમાં રહીને ઓબેદુલ્લાહ દ્વારા નિર્દેશિત અને દિગ્દર્શિત અનેક કાર્યક્રમોમાં ખૂબ જ સક્રિય ભાગ લીધો હતો. આના પગલે બ્રિટીશ સરકાર દ્વારા મોટા પ્રમાણમાં ધરપકડો કરવામાં આવી. મૌલાના અલી અહેમદ લાહોરીની ધરપકડ 1914 માં દિલ્હીમાં કરવામાં આવી હતી. તેમને કાશ્મીર,જલંધર અને સિમલાની જુદી જુદી જેલોમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો. બાદમાં, તેમને લાહોર શહેરની હદ ન છોડવાની શરતે મુક્ત કરવામાં આવ્યા.તેમણે ઘણા આધ્યાત્મિક પુસ્તકો લખ્યા, અનેક સંસ્થાઓ શરૂ કરી અને આધ્યાત્મિક શિક્ષણમાં ઘણા શિષ્યોને માર્ગદર્શન આપ્યું. મૌલાના અહેમદ અલી લાહોરીનું 16 ઓગસ્ટ, 1962 ના રોજ અવસાન થયું.
- સૈયદ નસીર અહમદ (લેખક ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment