Skip to main content

મુહમ્મદ આસિફ અલી (1888-1953)


સરદાર ભગતસિંહ અને આઝાદ હિંદ ફોજ (ભારતીય રાષ્ટ્રીય સૈન્ય) ના લડવૈયાઓને બચાવવા કાનૂની લડાઇ લડનાર મુહમ્મદ આસિફ અલીનો જન્મ 11 મે, 1888 ના રોજ ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના નગીના ગામે થયો હતો. તેમણે લંડનમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને ભારત પરત આવ્યા પછી દિલ્હીમાં કાયદાની પ્રેક્ટીસની શરૂઆત કરી હતી. તેમના રાજકીય જીવનની શરૂઆત એની બેસન્ટની આગેવાની હેઠળના હોમ રુલ ચળવળમાં ભાગ લેવાથી થઈ. તેમણે અરુણા ગાંગુલી સાથે લગ્ન કર્યા. જે પાછળથી સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં અરુણા આસિફ અલી તરીકે પ્રખ્યાત થયા. જ્યારે બ્રિટિશ સરકારે તેમના ભાષણો અને લખાણો પર પ્રતિબંધ લાદ્યો ત્યારે તેમણે સરકાર સામે કાનૂની લડત લડી, જેનાથી તેમનું નામ અને ખ્યાતિ થઇ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અપાયેલા કોલને પ્રતિક્રિયા આપીને, તેઓ તેમાં જોડાયા અને પોતાની કાયદાકીય પ્રેક્ટીસ છોડી સ્વતંત્રતા ચળવળમાં સંપૂર્ણ સમય કાર્યકર તરીકે પોતાને સમર્પિત કર્યા. ભારતીય રાષ્ટ્રીય ચળવળના પ્રચારમાં ભાગ લેવા બદલ તેમને 18 મહિનાની કેદ કરવામાં આવી હતી. પાછળથી, તેમણે 1924 માં મુસ્લિમ લીગ સંમેલનમાં હાજરી આપી અને ‘સ્વતંત્રતા’ ના ઠરાવના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે બંધારણના મુસદ્દા માટેની કમિટીના સભ્ય તરીકે ‘ગવર્નમેન્ટ ઓફ ઇંડિયા એક્ટ,1919’ ની જગ્યાએ નવા બંધારણના મુસદ્દામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ સમાધાન કર્યા વિના સાંપ્રદાયિકતા સામે લડ્યા અને ધાર્મિક આધારો પર ભારતના ભાગલા પાડવાના વિચારને ઉશ્કેરતા નેતાઓને ક્યારેય માફ ન કર્યા. ભારતીય રાષ્ટ્રીય ચળવળના નેતા તરીકે, તેમણે ખૂબ જ જવાબદારીની ભાવના સાથે અનેક કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું, જેના માટે તેમણે ઘણા સમય માટે જેલમાં રેહવું પડ્યું. તેમણે 1945 માં દિલ્હીથી યોજાયેલી ચૂંટણીઓમાં જીત મેળવી હતી, અને પંડિત નહેરુની આગેવાની હેઠળના મંત્રીમંડળમાં સામેલ થયા હતા. પાછળથી, તેમણે ભારતીય બંધારણના મુસદ્દાની રચના માટે ચર્ચાઓમાં ભાગ લીધો હતો અને બંધારણમાં બિનસાંપ્રદાયિક વિચારધારાના રક્ષણ અને પ્રસ્તાવના માટે ખૂબ રસ લીધો હતો. તેમની કાયદા પ્રેક્ટિસ કારકિર્દી દરમિયાન, તેમણે સરદાર ભગત સિંહ વતી અને ભારતીય રાષ્ટ્રીય સૈન્યના લડવૈયાઓ માટે પણ બ્રિટિશ સરકાર સામે કાનૂની લડાઇઓ લડ્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા રચિત આઈએનએ સંરક્ષણ સમિતિના સચિવ તરીકે કામ કર્યું. તેમણે સ્વતંત્ર ભારતમાં 1947 પછી વિવિધ હોદ્દાઓ સંભાળી અને રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. પ્રતિભાશાળી લેખક, તીક્ષ્ણ વિવેચક, રાષ્ટ્રના શ્રેષ્ઠ હેતુ માટે પ્રતિબદ્ધ નેતા, ઉત્તમ વક્તા અને સક્ષમ રાજદૂત તરીકે સામાજિક અને રાજકીય ક્ષેત્રે અભેદ્ય છાપ છોડનારા મુહમ્મદ આસિફ અલીનું, 2 એપ્રિલ 1953ના રોજ અવસાન થયું.


- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...