સરદાર ભગતસિંહ અને આઝાદ હિંદ ફોજ (ભારતીય રાષ્ટ્રીય સૈન્ય) ના લડવૈયાઓને બચાવવા કાનૂની લડાઇ લડનાર મુહમ્મદ આસિફ અલીનો જન્મ 11 મે, 1888 ના રોજ ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લાના નગીના ગામે થયો હતો. તેમણે લંડનમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને ભારત પરત આવ્યા પછી દિલ્હીમાં કાયદાની પ્રેક્ટીસની શરૂઆત કરી હતી. તેમના રાજકીય જીવનની શરૂઆત એની બેસન્ટની આગેવાની હેઠળના હોમ રુલ ચળવળમાં ભાગ લેવાથી થઈ. તેમણે અરુણા ગાંગુલી સાથે લગ્ન કર્યા. જે પાછળથી સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં અરુણા આસિફ અલી તરીકે પ્રખ્યાત થયા. જ્યારે બ્રિટિશ સરકારે તેમના ભાષણો અને લખાણો પર પ્રતિબંધ લાદ્યો ત્યારે તેમણે સરકાર સામે કાનૂની લડત લડી, જેનાથી તેમનું નામ અને ખ્યાતિ થઇ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અપાયેલા કોલને પ્રતિક્રિયા આપીને, તેઓ તેમાં જોડાયા અને પોતાની કાયદાકીય પ્રેક્ટીસ છોડી સ્વતંત્રતા ચળવળમાં સંપૂર્ણ સમય કાર્યકર તરીકે પોતાને સમર્પિત કર્યા. ભારતીય રાષ્ટ્રીય ચળવળના પ્રચારમાં ભાગ લેવા બદલ તેમને 18 મહિનાની કેદ કરવામાં આવી હતી. પાછળથી, તેમણે 1924 માં મુસ્લિમ લીગ સંમેલનમાં હાજરી આપી અને ‘સ્વતંત્રતા’ ના ઠરાવના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમણે બંધારણના મુસદ્દા માટેની કમિટીના સભ્ય તરીકે ‘ગવર્નમેન્ટ ઓફ ઇંડિયા એક્ટ,1919’ ની જગ્યાએ નવા બંધારણના મુસદ્દામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ સમાધાન કર્યા વિના સાંપ્રદાયિકતા સામે લડ્યા અને ધાર્મિક આધારો પર ભારતના ભાગલા પાડવાના વિચારને ઉશ્કેરતા નેતાઓને ક્યારેય માફ ન કર્યા. ભારતીય રાષ્ટ્રીય ચળવળના નેતા તરીકે, તેમણે ખૂબ જ જવાબદારીની ભાવના સાથે અનેક કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું, જેના માટે તેમણે ઘણા સમય માટે જેલમાં રેહવું પડ્યું. તેમણે 1945 માં દિલ્હીથી યોજાયેલી ચૂંટણીઓમાં જીત મેળવી હતી, અને પંડિત નહેરુની આગેવાની હેઠળના મંત્રીમંડળમાં સામેલ થયા હતા. પાછળથી, તેમણે ભારતીય બંધારણના મુસદ્દાની રચના માટે ચર્ચાઓમાં ભાગ લીધો હતો અને બંધારણમાં બિનસાંપ્રદાયિક વિચારધારાના રક્ષણ અને પ્રસ્તાવના માટે ખૂબ રસ લીધો હતો. તેમની કાયદા પ્રેક્ટિસ કારકિર્દી દરમિયાન, તેમણે સરદાર ભગત સિંહ વતી અને ભારતીય રાષ્ટ્રીય સૈન્યના લડવૈયાઓ માટે પણ બ્રિટિશ સરકાર સામે કાનૂની લડાઇઓ લડ્યા. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા રચિત આઈએનએ સંરક્ષણ સમિતિના સચિવ તરીકે કામ કર્યું. તેમણે સ્વતંત્ર ભારતમાં 1947 પછી વિવિધ હોદ્દાઓ સંભાળી અને રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. પ્રતિભાશાળી લેખક, તીક્ષ્ણ વિવેચક, રાષ્ટ્રના શ્રેષ્ઠ હેતુ માટે પ્રતિબદ્ધ નેતા, ઉત્તમ વક્તા અને સક્ષમ રાજદૂત તરીકે સામાજિક અને રાજકીય ક્ષેત્રે અભેદ્ય છાપ છોડનારા મુહમ્મદ આસિફ અલીનું, 2 એપ્રિલ 1953ના રોજ અવસાન થયું.
- સૈયદ નસીર અહમદ,લેખક (પુસ્તક : ધી ઈમ્મોર્ટલ્સ) મોબાઇલ : + 91 9440241727.
Comments
Post a Comment