રાજદ્રોહના આરોપ હેઠળ બ્રિટિશ સરકાર દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા આઝાદ હિન્દ ફૌઝના સૈનિકોની મુક્તિની માંગણી કરનારા વિદ્યાર્થીઓના આંદોલનનું નેતૃત્વ કરનારા સૈયદ નાસિર હસનનો જન્મ 2 ઓગસ્ટ, 1928 ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં સ્વાતંત્ર્ય સેનાની પરિવારમાં થયો હતો.. તેમના પિતાનું નામ સૈયદ આલમ બરદર અને માતાનું નામ ઝોહરા હતું.હસનની માતાની માતા, ફકરુલ હાજિયા હસન પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમના મામા આબીદ હસન સફરાની, બદરૂલ હસન, પ્રો.જાફર હસને પણ ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. નાસિર,જ્યારે હૈદરાબાદની સિટી કોલેજમાં અભ્યાસ કરતા હતા એ વખતે 1946 માં વિદ્યાર્થીઓના આંદોલનમાં પ્રવેશ કર્યો હતો, જેમાં બ્રિટિશ સરકાર દ્વારા અટકાયતમાં કરાયેલા આઝાદ હિંદ ફોજ સૈનિકોની મુક્તિની માંગ કરવામાં આવી હતી. 1947 માં સ્વતંત્રતા બાદ નિઝામ રાજ્યને ભારતીય સંઘમાં ભળી જવાની માંગને પણ નાસિરે સમર્થન આપ્યું હતું. તેમણે આ આંદોલનમાં સક્રિયપણે ભાગ લીધો હતો.વિધાર્થીઓનું નેતૃત્વ કર્યું હતું, એમણે હૈદરાબાદ સ્ટેટ કોંગ્રેસના પ્રમુખના ઘરને ઘેરી લીધું હતું, તેમને વિલય માટે નિઝામ સરકાર ઉપર દબાણ લાવવા માંગ કરી હતી. જ્યારે નિઝામ પોલીસે નલગોન્ડા જિલ્લાના સૂર્યપેટ ખાતે મર્જર તરફી આંદોલન દરમિયાન કાર્યકર્તાઓ પર દમનકારી હુમલાઓ શરૂ કર્યા ત્યારે સપ્ટેમ્બર 1946 માં નાસિરે દમન સામેના આંદોલનનું નેતૃત્વ કર્યું. ભારતને આઝાદી મળ્યા પછી નાસિર સામ્યવાદ તરફ આકર્ષાયા. તેઓ પ્રગતિશીલ લેખક સજ્જાદ ઝહીરના આમંત્રણ પર પાકિસ્તાન ગયા હતા. તેમણે પાકિસ્તાનમાં ખેડુતો અને મજૂરો વતી લોકોના આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તેઓ સિંધ પ્રાંતિય શાખાના કમ્યુનિસ્ટ પાર્ટીના સેક્રેટરીના સ્તરે પહોંચ્યા. પાકિસ્તાનની સૈન્ય સરકારે, નાસિરની લોક-તરફી પ્રવૃત્તિઓથી ત્રસ્ત થઇ, તેમને બે વર્ષ માટે દેશનિકાલ કર્યા હતા અને તે પહેલાં તેમને લગભગ ચાર વર્ષ અટકાયતમાં રાખ્યા હતા. દેશવટાના સમયગાળા દરમિયાન, તે હૈદરાબાદ પહોંચ્યા અને માતાપિતા સાથે સમય વિતાવ્યો. તે સમય દરમિયાન,પરિવારને મુશ્કેલીઓ ન આપવા માટે પ્રચારથી દૂર રહ્યા અને દેશનિકાલનો સમયગાળો પૂરો થતાં તે પાકિસ્તાન પાછા ગયા. બાદમાં, પાકિસ્તાનની સૈન્ય સરકારે તેમને લાહોરના કિલ્લાની જેલમાં અટક કરી દીધા હતા. અને ત્યાં સૈયદ નાસિર હસનનું 13 નવેમ્બર, 1960 ના રોજ અવસાન થયું હતું.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment