સૈયદ ફકરુલ હાજિયા હસન, જેમણે એકલાએ માત્ર ભારતીય સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો ન હતો, પરંતુ તેમના બાળકોને રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા, તેમનો જન્મ એવા પરિવારમાં થયો હતો જેઓ ઇરાકથી ભારતમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. તેણીએ તેમના બાળકોને સ્વતંત્રતા સેનાની તરીકે ઉછેર્યા જેઓ 'હૈદરાબાદ હસન બ્રધર્સ' તરીકે પ્રખ્યાત થયા. હાજિયાએ અમીર હસન સાથે લગ્ન કર્યા જે ઉત્તર પ્રદેશથી હૈદરાબાદ શહેરમાં સ્થાયી થયા હતા. આમ તે હૈદરાબાદી બની ગયા. તેમના પતિ અમીર હસન હૈદરાબાદ સરકારમાં ઉચ્ચ અધિકારી હતા. તેમની નોકરીના ભાગરૂપે, તેમણે વિવિધ સ્થળોએ મુસાફરી કરવી પડી. તેણીએ તેમના પતિ સાથે મળીને તે સ્થળોની ભાષાઓમાં ખૂબ જ રસ દાખવ્યો અને આ રીતે તેણીએ ઉર્દૂની સાથે અંગ્રેજી, મરાઠી, કન્નડ, ગુજરાતી, તેલુગુ શીખ્યા. આ પ્રવાસો દરમિયાન તેમણે ભારતમાં મહિલાઓની વેદના નિહાળી હતી. તેમણે બાળકીઓના વિકાસ માટે ઘણું કામ કર્યું. તે હૈદરાબાદમાં રહેતાં હોવા છતાં, જે અંગ્રેજોના નિયંત્રણ હેઠળ હતું, તેણીએ સ્વતંત્ર વિચારો ધરાવતી મહિલા તરીકે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. મહાત્માના આહ્વાનનો જવાબ આપતા, તેણીએ હૈદરાબાદના ટ્રુપ બજારમાં આવેલી તેમની આબિદ મંઝિલમાં વિદેશી કપડાં સળગાવી દીધા. તેણીએ ખિલાફત અને અસહકાર ચળવળમાં ભાગ લીધો હતો. તે ભારતીય રાષ્ટ્રીય સેનાના દરેક સદસ્યને પોતાના બાળકની જેમ માન્યા. ફકરૂલ હાજિયાએ શ્રીમતી સરોજિની નાયડુ સાથે આઝાદ હિંદ ફૌઝના નાયકોની મુક્તિ માટે સખત મહેનત કરી. મહાત્મા ગાંધી, નેહરુ, સુભાષચંદ્ર બોઝ, મૌલાના અબુલ કલામ આઝાદ જેવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રખ્યાત નેતાઓએ હાજિયા હસન પ્રત્યે ખૂબ આદર દર્શાવ્યો હતો. તેઓ તેને ‘અમ્મા જાન’ કહીને બોલાવતા હતા. તેમના સ્વતંત્ર વિચારોએ એમના ત્રણ બાળકોને પ્રેરણા આપી. તેમના મોટા પુત્ર બદરુલ હસને સ્વતંત્રતા ચળવળમાં મહાત્મા ગાંધીને અનુસર્યા હતા. તેમનો નાનો પુત્ર આબિદ નેતાજી સુભાષચંદ્ર બોઝને અનુસરતો હતો. આબિદ હસન ‘જય હિન્દ’ અને ‘નેતાજી’ ના નારાઓના સર્જક તરીકે પરિચિત થયા, જે ભારતીય સ્વતંત્રતા ચળવળના સાહિત્યિક ઇતિહાસમાં યાદગાર છે. તેમનો બીજો પુત્ર જાફર હસન હૈદરાબાદ સરકારમાં શિક્ષણશાસ્ત્રી બન્યો અને તેણે તેની માતાની જેમ ગાંધીજીને અનુસર્યા. સૈયદ ફકરુલ હાજિયા હસન કે જેમણે પોતાની માતૃભૂમિની આઝાદી માટે લડત ચલાવી હતી અને તેમના પરિવારને પણ તે ઉમદા દિશામાં દોરી જનાર સૈયદ ફકરુલ હાજિયા હસનનું 1970માં અવસાન થયું હતું.
- સૈયદ નસીર અહમદ (લેખક, ધી ઈમ્મોર્ટલ્સ પુસ્તક)
Comments
Post a Comment