Skip to main content

સર સૈયદ મુહમ્મદ સાદુલ્લાહ, બંધારણના ઘડવૈયાઓમાંના એક.


26 નવેમ્બર એ આપણા દેશનો સંવિધાન દિવસ છે, બંધારણ સભાની ડ્રાફ્ટ કમિટીના પ્રમુખ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ તૈયાર કર્યું હતું અને તેને રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોંપ્યું હતું, આ પ્રસંગે વડાપ્રધાન ડૉ. પંડિત જવાહરલાલ નેહરુ, ગૃહ મંત્રી સરદાર પટેલ અને શિક્ષણ મંત્રી મૌલાના આઝાદ પણ હાજર હતા.

બંધારણ તૈયાર કરનારી સાત સભ્યોની સમિતિમાં એક સર સૈયદ મુહમ્મદ સાદુલ્લાહ સાહેબ પણ હતા, જેમણે બંધારણ તૈયાર કરવામાં ખૂબ જ મહેનત કરી, ખાસ કરીને અનુસૂચિત જનજાતિ અનામતના કિસ્સામાં, અંગ્રેજોએ કેટલીક આદિવાસી જાતિઓને ગુનાહિત જાતિ તરીકે ઓળખાવી અને તેમને ઘણીબધી સુવિધાઓથી વંચિત કરી દીધા હતા. અનેક સુવિધાઓ રાખી હતી.આઝાદી પછી બંધારણ બનાવતી વખતે પણ કેટલાક નેતાઓ તેમને વંચિત રાખવા માગતા હતા, તેઓ તેમને મતનો અધિકાર આપવાના પક્ષમાં પણ ન હતા. આવા સમયે જયપાલ મુંડાએ તેમની સામે જોરદાર અવાજ ઉઠાવ્યો અને તેમને ટેકો આપનારાઓમાં સર સૈયદ મુહમ્મદ સાદુલ્લાહ સાહેબ મોખરે હતા.
કોણ હતા સર સૈયદ મુહમ્મદ સાદુલ્લાહ સાહેબ :
-----------------------------------
સર સૈયદ મુહમ્મદ સદુલ્લાહ સાહેબને દેશ ભૂલી ગયો છે, એમનો ઉલ્લેખ સુદ્ધાં જોવા નથી મળતો, સરકારો પાસે તો મુસ્લિમો નેતાઓને યાદ કરવાની અપેક્ષા સુદ્ધાં ક્યાંથી હોય..!!!
સર સૈયદ મુહમ્મદ સાદુલ્લાહ સાહેબનો જન્મ 21મી મે 1885ના રોજ ગુવાહાટીમાં થયો હતો, તેમણે સોનારામ હાઈસ્કૂલ, ગુવાહાટીમાંથી ઈન્ટરમીડિયેટની પરીક્ષા પાસ કરી અને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેસિડેન્સી કોલેજ કલકત્તામાં પ્રવેશ કર્યો, ત્યાંથી 1906માં રસાયણશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી. 1907માં કોટન કોલેજ, ગુવાહાટીમાં સહાયક પ્રાધ્યાપક તરીકે નિમણૂક થઈ.1909 માં લેક્ચરરનું પદ છોડીને વકીલાત શરૂ કરી, 1909 થી 1919 સુધી ગુવાહાટી બાર કાઉન્સિલના સભ્ય રહ્યા, પછી કલકત્તા હાઈકોર્ટમાં ગયા અને ત્યાં 1924 સુધી વકાલત કરી.


પછી રાજકારણમાં આવ્યા અને 1923માં આસામના ધારાસભ્ય તરીકે ચૂંટાયા, જીત્યા બાદ 1924માં તેમને આસામના શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા, તેઓ 1929 સુધી શિક્ષણ મંત્રી રહ્યા, ત્યારબાદ તેમણે વિવિધ આયોગોની અધ્યક્ષતા કરી, 1938માં તેઓ આસામના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા 1942 સુધી રહ્યા. આસામ રાજ્યના વડા પ્રધાન રહ્યા પછી, પછી તેઓ તેમના મિત્ર મુહમ્મદ અલી ઝીણાની અપીલ પર મુસ્લિમ લીગમાં જોડાયા અને આસામ વિધાનસભામાં મુસ્લિમ લીગના નેતા તરીકે ચૂંટાયા. 1946 માં, તેઓ બંધારણ સભા માટે ચૂંટાયા હતા, તેઓ દેશના વિભાજનની તરફેણમાં ન હતા,માટે મુસ્લિમ લીગમાંથી રાજીનામું આપી દીધું.
બંધારણ સભામાં જ્યારે ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ નિર્માણ સમિતિની રચના કરવામાં આવી ત્યારે તેમને પણ સભ્ય બનાવવામાં આવ્યા, તેમણે એમનું કામ ખુબ જ લગનથી કર્યું જેનો પુરાવો સંવિધાન સભામાં આપેલ એમનું ભાષણ છે.
8 જાન્યુઆરી 1955ના રોજ તેમનું અવસાન થયું.
- ખુરશીદ અહમદ

Comments

Popular posts from this blog

અબ્દુલ હબીબ યુસુફ મરફાની

 કદમ કદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા, યહ જિંદગી હે કૌમ કી, તુ કોમ પે લૂટાયે જા. યાદ છે આ ગીત ? આ ગીત આઝાદ હિંદ ફૌજનું કવાયતી ગીત હતું. ૧૯૪૩-૪૪ના અરસામાં આ ગીત દેશના એકેએક બાળકની ઝબાન પર રમતું હતું ! અને કેમ ન રમે ! માથે કફન બાંધીને દેશની આઝાદી કાજે વિરાટકાય અંગ્રેજ સલ્તનત સામે આઝાદ હિંદ ફૌજનું ગઠન કરી ભારતના પ્રાણ પ્યારા નેતાજી સુભાષચંદ્ર બોઝ જંગે ચઢયા હતા. અને એમની પડખે કેવા ઝિંદાદિલ જાંબાઝો હતા ! 'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા' આ તેમનો મંત્ર હતો.કમભાગ્યે એક હવાઈ અકસ્માતમાં તેઓ અલ્લાહને પ્યારા થઈ ગયા. તેમના જમણા હાથ સમા અબ્દુલ હબીબ મારફાની 'સેવકે હિંદ'ની જાંબાઝી વિષે વાંચો. પ્રથમ તમારાં રૂવાટાં ઊભા થઈ જશે અને પશ્ચાત તેમના પ્રત્યે અહોભાવ તમારું હૈયું પુલકિત બની જશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામતા ઈતિહાસનું એક પ્રકરણ અહીં પ્રસ્તુત, પ્રકરણ શું છે આઝાદીના મતવાલા જાંબાઝોની જવામર્દી, દેશની આઝાદી કાજે સર્વસ્વ કુરબાન કરવાની તેમની ઉચ્ચતમ ભાવના, ખિસ્સામાં હોય, તેમની પાસે હોય તે તમામ પોતાના સરદારના ચરણે ધરી દેવાના તેમના જોશ અને વલવલા વિષે તમે વાંચશો અને જાણશો તો અવાક રહ...

મેજર જનરલ મુહમ્મદ ઝમાન કિયાની (1910-1986)

'જો મારી સાથે કિયાની જેવા વધુ દસ યોદ્ધાઓ મળ્યા હોત તો ભારત ઘણા સમય પહેલા આઝાદ થઈ ગયું હોત'- આ છે નેતાજી સુભાષચંદ્ર બોઝનો 1910માં પંજાબ પ્રાંતમાં જન્મેલા મુહમ્મદ ઝમાન કિયાનીની ક્ષમતા પરનો અભિપ્રાય.તેઓ બાળપણથી જ એક હોશિયાર વિદ્યાર્થી હતા. તેઓ 1931માં દેહરાદૂન ખાતે ભારતીય સૈન્ય એકેડેમીની પ્રથમ બેચમાં કેડેટ તરીકે જોડાયા હતા. તેઓ શ્રેષ્ઠ કેડેટ તરીકે રહ્યા હતા, અને તેમની સિદ્ધિઓ માટે તેમને સ્વોર્ડ ઓફ ઓનર, ગોલ્ડ મેડલ મળ્યો હતો. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં જોડાયા, પ્રથમ બટાલિયનની 14મી પંજાબ રેજિમેન્ટમાં જવાબદારીઓ લીધી. તેમણે 1941માં સ્ટાફ ઓફિસર-ઈન-ચાર્જ તરીકે મલાયાની યાત્રા કરી. જ્યારે બ્રિટિશ આર્મી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન દ્વારા પરાજિત થઈ, ત્યારે તેઓ સપ્ટેમ્બર, 1942માં કેપ્ટન મોહન સિંહના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય સેનામાં જોડાયા. તેમણે ચીફ ઓફ જનરલ સ્ટાફ તરીકેની લગામ સંભાળી અને ભારતીય રાષ્ટ્રીય સેનાને મજબૂત બનાવી. જ્યારે મોહન સિંહે ડિસેમ્બર, 1942માં ભારતીય રાષ્ટ્રીય સૈન્યનું વિસર્જન કર્યું, ત્યારે જુલાઈ, 1943માં સુભાષ ચંદ્ર બોઝના સિંગાપોર આગમન સુધી ભારતીય સ્વતંત્રતા લીગના પ્રમુ...

મુન્શી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ (1913-1999)

મુનશી સૈયદ મુહમ્મદ મસ્તાન બેગ, જેમણે જનતા વચ્ચે જાહેર કર્યું હતું કે "ગાંધીનો શબ્દ મારા માટે સુવર્ણ શબ્દ છે", અને તેમના સમગ્ર જીવન દરમિયાન મહાત્મા ગાંધીના માર્ગને અનુસર્યા, તેમનો જન્મ 1 જુલાઈ, 1913ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાં સંગડીગુંટામાં થયો હતો. તેમના માતા-પિતા મીરા સાહેબ અને હુસૈન બી હતા. તેઓ એક વિદ્યાર્થી તરીકે રાષ્ટ્રીય ચળવળ તરફ આકર્ષાયા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સભ્યપદ મેળવ્યું. તેમણે સવિનય કાનૂન ભંગ નાગરિક ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. શરૂઆતમાં, તેઓ ક્રાંતિકારી માર્ગ તરફ ખૂબ આકર્ષાયા હતા જે તેમની આસપાસના ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો હતો. તેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આયોજિત હડતાળ અને ધરણાં પસંદ નહોતા. તેમણે ઇંડિયન નેશનલ કોગ્રેસ (INC) ના ક્રાંતિકારી સભ્યો સાથે ગુપ્ત રીતે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રખ્યાત ક્રાંતિકારી અન્નપ્રગડા કામેશ્વર રાવ દ્વારા આયોજિત રાજકીય તાલીમ શિબિરમાં તેમણે ગુપ્ત રીતે ભાગ લીધો હતો.જેના કારણે તેમને 21 દિવસની પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. તે...