પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન 1 ડિસેમ્બર 1915 ના રોજ રાજા મહેન્દ્ર પ્રતાપની અધ્યક્ષતામાં પ્રવાસી ભારતીય સરકારની સ્થાપના કાબુલમાં કરવામાં આવે છે.જ્યાં રાજા મહેન્દ્ર પ્રતાપ રાષ્ટ્રપતિ,મૌલવી બરકતુલ્લાહ ભોપાલી પ્રધાનમંત્રી બને છે,ત્યાં મૌલાના ઉબૈદુલ્લાહ સિંધી તે સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવે છે.આ સરકાર વધારે દિવસો ચાલતી નથી અને વિશ્વ યુદ્ધ ખતમ થતાં જ તેની સાથે જોડાયેલા લોકો દુનિયાના અલગ-અલગ ભાગોમાં ફેલાઈ જાય છે.
ભારતની આઝાદી ખાતર દુનિયાના અલગ હિસ્સાઓમાં ભારતીયોને ગોળબંધ કરતાં 1927 માં મૌલવી બરકતુલ્લાહ ભોપાલીનું અમેરિકામાં અવસાન થઈ જાય છે.ત્યાં રાજા મહેન્દ્ર પ્રતાપ રાષ્ટ્રપતિ 32 વર્ષ જિલ્લા દેશનિકાલ રહ્યા.પછી 1946 માં પાછા ભારતના તટ પર મદ્રાસમાં પગ મૂકે છે.
આ બાજુ 1938 માં મૌલાના ઉબૈદુલ્લાહ સિંધી હિન્દુસ્તાનની આઝાદી ખાતર 25 વર્ષ દુનિયાના અલગ-અલગ ભાગોમાં દેશવટો ભોગવ્યા પછી જહાજથી પાછા હિન્દુસ્તાન આવે છે.તેમનું જહાજ કરાંચીના દરિયાકિનારે રોકાય છે.
જેના થોડા દિવસો પછી ડો.ઝાકીર હુસૈન મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીને દિલ્હી બોલાવી જામિયા મિલિયા ઇસ્લામિયામાં હેડ બનાવી દીધા,તેઓ દિલ્હીના ઓખલા વિસ્તારમાં રહેવા લાગ્યા.
ત્યાં જ એ દરમિયાન 1939 માં તેમને જમીઅત ઉલેમા ના બંગાળ પ્રાંતીય સંમેલન માટે કલકત્તા શાહ મુહમ્મદ ઉસ્માની દ્વારા બોલાવવામાં આવે છે.શાહ મુહમ્મદ ઉસ્માની લખ્યું કે જ્યારે આ વાતની ખબર સુભાષબાબુને થઈ તો તેમણે પોતાના સમર્થક અખબારોને સલાહ આપી કે જમીઅત ઉલેમા અને મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીના સમાચારો દિલ ખોલીને છાપે અને એવું જ થયું.સમાચારો ખૂબ છપાયા અને મોટી સંખ્યામાં દરેક જાતિ અને ધર્મના લોકો મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીને મળવા પહોંચ્યા.
એક દિવસ ખુદ નેતાજી સુભાષચંદ્ર બોઝ મુલાકાતની આશાએ મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીને મળવા પહોંચ્યા. શાહ મુહંમદ ઉસ્માનીએ લખ્યું છે કે આ વાત જેવી જ તેમને ખબર પડી કે તરત બહાર આવ્યા અને સુભાષબાબને ધીરેથી કહ્યું આજકાલ મૌલાના સાહેબ તરત જ નારાજ થઈ જાય છે એટલા માટે તેમનાથી કોઇ વાત પર બેહસ અને વિરોધ ના કરતા.આ વાત પર સુભાષબાબુએ જવાબ આપ્યો કે મૌલાના એ એટલી બધી તકલીફો ઉઠાવી છે કે કોઈપણ માણસનું દિમાગ ખરાબ થઈ જાય,એટલે જ તો ગુસ્સો પેદા થયો છે.હું તો બસ એમને મળવા ને આશીર્વાદ લેવા માટે આવ્યો છું. ત્યાર પછી તે અંદર દાખલ થાય છે અને મૌલાના પાસે પહોંચે છે.બંને હાથ જોડીને તેમનો સલામ અર્જ કરે છે, અને પછી ઝૂકીને મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીના પગે પડે છે અને આશીર્વાદ લે છે.હાર પહેરાવે છે અને ફળોની એક ટોકરી ભેટમાં આપે છે.ત્યારબાદ બેસીને બંને વાતચીત શરૂ કરે છે.
મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીએ સુભાષચંદ્ર બોઝને પૂછ્યું કે આજકાલ શું કરો છો? એના પછી તેમણે કહ્યું કે ફોરવર્ડ બ્લોક નામની એક પાર્ટી બનાવી રહ્યા છે.બંને વચ્ચે ઘણા લાંબા સમય સુધી વાત થઇ પછી સુભાષબાબુ ચાલ્યા ગયા અને એક દિવસ મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીને તેમના ઘરે બોલાવ્યા અને તેમની શાનદાર દાવત કરી.
આ મુલાકાત એટલા માટે મહત્વની છે કેમ કે મૌલાના ઉબૈદુલ્લાહ સિંધી 1915 ની આરજી હુકુમત એ હિંદમાં ગૃહ મંત્રી હતા,અને તેમના જ કદમો પર ચાલીને નેતાજી બોઝે આઝાદ હિંદ હૂકુમત કાયમ કરી.નેતાજી સુભાષચંદ્ર બોઝની આ સફર જાન્યુઆરી 1941 'ધ ગ્રેટ એસ્કેપ' થી શરૂ થાય છે,જ્યાં તેઓ કલકત્તાથી અંગ્રેજોને ચકમો આપી ફોરવર્ડ બ્લોકના સદસ્યોની મદદથી પેશાવર થઈ કાબુલ,અને પછી જર્મની પહોંચે છે.અહીંથી જાપાન જાય છે.આઝાદી હિંદ ફોજની કમાન સંભાળે છે.પછી શું થયું પૂરી દુનિયા જાણે છે.
Comments
Post a Comment